Vartman Pravah
દમણ

દમણ દરિયા કિનારે સેંકડો છઠવ્રતિઓએ અસ્‍ત થતાં સૂર્યને અર્ધ્‍ય અર્પણ કર્યુ

છઠ મૈયાના ગીતોથી ભક્‍તિમય બનેલું વાતાવરણ : આવતીકાલે ઉગતા સૂર્યને જળ અર્પણ કરીને છઠ વ્રતનું સમાપન થશે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.10
દમણમાં સ્‍થાયી થયેલા યુપી, બિહાર સહિત અન્‍ય ઉત્તરભારતીયોઓએ આજે છઠ પૂજાના અવસરે અસ્‍ત થતા સૂર્યને જળ અર્પણ કરી લોક મંગલની પ્રાર્થના કરી હતી.
બપોરનાસમયે છઠ્ઠ માતાના ગીતો ગાતા સેંકડોની સંખ્‍યામાં છઠ્ઠવ્રતિઓ નદીઅને દરિયા કિનારે જતા જોવા મળ્‍યા હતા. ઉપવાસીઓની સાથે સાથે પુરૂષોની ભીડ પણ પૂજા સામગ્રી સાથે ઉમટી પડી હતી. નદીના કિનારે પહોંચ્‍યા પછી, ભક્‍તોએ ઘાટ પર શેરડી, નારિયેળ, ફળો અને અન્‍ય પૂજા સામગ્રી રાખી હતી. જ્‍યારે સૂર્ય ભગવાન અસ્‍ત થવા આવ્‍યા, ત્‍યારે ઉપવાસ કરતીસ્ત્રીઓએ પૂજા સામગ્રી સાથે વિધિવત પૂજા કરી હતી અને સૂર્યને અર્ઘ્‍ય અર્પણ કર્યું હતું. છઠ મૈયાના ગીતો થી સમગ્ર વાતાવરણ છઠમય બની જવા પામ્‍યું હતું. ત્‍યારબાદ ઉપવાસ કરતી મહિલાઓ બાકીની પૂજા વિધિ માટે ઘરે રવાના થઈ હતી.
આ અવસરે ઉત્તર ભારતીય સાંસ્‍કળતિક સેવા સમિતિ, બિહાર મિત્ર મંડળ, તૈલિક સાહુ રાઠોડ મહાસભા દ્વારા છઠ પૂજાની વ્‍યવસ્‍થા કરવામાં આવી હતી. જેમાં ભાજપ દમણ જિલ્લા પ્રમુખ અને ડીએમસી કાઉન્‍સિલર શ્રી અસ્‍પી દમણિયા મુખ્‍ય મહેમાન તરીકે ઉપસ્‍થિત રહ્યા હતા. તેમની સાથે ઉત્તર ભારતીય સાંસ્‍કળતિક સેવા સમિતિના પ્રમુખ અને દમણ નગર પાલિકાના ઉપપ્રમુખ શ્રી બળવંત યાદવ અને ડીએમસી કાઉન્‍સિલર શ્રી ચંદ્રગિરી ઈશ્વર, શ્રી વિનય પટેલ, બિહાર મિત્ર મંડળના પ્રમુખ શ્રી રામકુમાર, ઉપ પ્રમુખ શ્રી હરિ કિશોર ઉપસ્‍થિત રહ્યા હતા. સેક્રેટરી શ્રી શિવકુમાર સિંહ, સભ્‍ય શ્રી રંજનકુમાર શાહ, શ્રી ધીરજભાઈ પટેલ, શ્રી રામ વિલાસ શાહ, શ્રી વેચન મિશ્રા, શ્રી અવધેશ પંડિત, રેવતીઝા, શ્રી ઉમેશભાઈ શાહ, શ્રી સંજયભાઈ સાહુ અને તૈલીય સમાજના શ્રી અખિલેશ મિશ્રા ઉપસ્‍થિત રહ્યા હતા.
આવતીકાલે ઉગતા સૂર્યને અર્ઘ્‍ય જળ અર્પણ કર્યા બાદ ગઈકાલે ઉપવાસીઓએ ઠકુઆ પ્રસાદ ખાઈને ઉપવાસ કર્યા હતા. આ સાથે જ છેલ્લા ઘણા દિવસોથી ચાલી રહેલા છઠ વ્રતનો પણ અંત આવશે.
નાની દમણ જેટી પાસેના દરિયા કિનારે, છત્રવ્રતીઓ પરંપરાગત રીતે આજે અસ્‍થાચલગામી સૂર્યદેવને અર્ઘ્‍ય અર્પણ વિધિવત, શ્રદ્ધાથી પૂજા-અર્ચના કરી લોકમંગલની પ્રાર્થના કરી હતી.

Related posts

નમો મેડીકલ કોલેજ સેલવાસના એમબીબીએસના વિદ્યાર્થીઓ માટે ‘ગ્રામ દત્તક ગ્રહણ’ કાર્યક્રમ યોજાયો

vartmanpravah

બુચરવાડામાં બેટી શિક્ષા, બેટી સુરક્ષાને લઈ સાયબર ક્રાઈમ, ટ્રાફિક વ્‍યવસ્‍થા, ગાર્ડનિંગ વગેરેમાં જાગૃતતા આવે તે અંગે કાર્યક્રમ યોજાયો

vartmanpravah

આજે સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલના જન્‍મ દિવસને પ્રદેશમાં સેવા દિવસ તરીકે મનાવાશે

vartmanpravah

દમણ જિલ્લા ભાજપ પ્રમુખ અસ્‍પી દમણિયાએ પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીની ‘મન કી બાત’ કાર્યક્રમ આંટિયાવાડ મંડળની સાથે સાંભળ્‍યો

vartmanpravah

શ્રીમદ્‌ ભાગવત સપ્તાહના આરંભ પહેલાં દમણ જિલ્લા કોળી પટેલ સમાજની નિકળેલી ભવ્‍ય શોભા યાત્રા

vartmanpravah

પદ્મશ્રી પ્રભાબેન શાહે સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલની લીધેલી શુભેચ્‍છા મુલાકાત

vartmanpravah

Leave a Comment