September 1, 2026
Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

લોકસભાની સામાન્‍ય ચૂંટણી-2024ને અનુલક્ષી દાદરા નગર હવેલીમાં જિલ્લા મેજિસ્‍ટ્રેટ દ્વારા કલમ 144 લાગુ કરાઈ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ,તા.19: દાદરા નગર હવેલી જિલ્લા મેજિસ્‍ટ્રેટ દ્વારા દાનહ લોકસભા સીટ પર શાંતિપૂર્ણ માહોલમાં ચૂંટણી પ્રક્રિયા સંપન્ન કરાવવા માટે કલમ 144 મુજબ આદેશ જારી કરવામા આવ્‍યો છે. દાનહ જિલ્લા મેજિસ્‍ટ્રેટ શ્રી પ્રિયાંક કિશોર દ્વારા જારી કરેલ આદેશમાં જણાવવામાં આવ્‍યું છે કે ભારતના ચૂંટણી આયોગ દ્વારા દાનહ સંસદીય વિસ્‍તાર માટે લોકસભા ચૂંટણીની ઘોષણા કરવામાં આવી છે, સાથે આદર્શ આચારસંહિતા લાગુ કરવામાં આવી છે. ચૂંટણી પ્રક્રિયા 16 માર્ચથી શરુ થઈ 06 જૂન, 2024 સુધી પૂર્ણ થવા સુધી પ્રદેશમાં ચૂંટણી પ્રક્રિયા દરમ્‍યાન શાંતિ અને ભાઈચારો જાળવી રાખવા માટે દંડ પ્રક્રિયા સંહિતા 1973ની કલમ 144 મુજબ પ્રાપ્ત સત્તાનો ઉપયોગ કરતા આ આદેશ જારી કરવામાં આવ્‍યો છે.
શારીરિક હિંસા ઉત્‍પન્ન કરવા માટે ઉપયોગ કરવામાં આવી શકનાર કોઈપણ હથિયાર, ગોળા બારૂદ અને અન્‍યઘાતક હથિયાર જેવા કે લાઠી, ભાલા, લાકડી, ચાકુ અથવા અન્‍ય તિક્ષ્ણ વસ્‍તુ સાર્વજનિક રીતે લઈ જવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્‍યો છે. રાત્રે 10:00 વાગ્‍યાથી સવારે 8:00વાગ્‍યા વચ્‍ચે ચૂંટણી પ્રચાર માટે સભા, સરઘસ કે જુલુસ કાઢવા અથવા તો સાર્વજનિક બેઠક આયોજીત કરવા અને ચૂંટણી પ્રચાર માટે સ્‍થિર લાઉડસ્‍પીકરનો ઉપયોગ કરવો પ્રતિબંધિત છે.
આ આદેશ તાત્‍કાલિક પ્રભાવથી લાગુ થશે અને ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થવા સુધી લાગુ રહેશે. ઉપરોક્‍ત આદેશ પ્રદેશમાં કાયદો અને વ્‍યવસ્‍થા બનાવી રાખવા માટે સંબંધિત પ્રશાસનના અધિકારી, પોલીસ કર્મી, પ્રશાસનના કોઈપણ સરકારી કર્મચારી જેઓને પોતાના કર્તવ્‍યના ભાગ રૂપે હથિયાર લઈ જવાની આવશ્‍યકતા મુજબ છૂટ રહેશે. જિલ્લા મેજિસ્‍ટ્રેટ દ્વારા વિશેષ રૂપે ઉપર્યુક્‍ત સમય માટે લેખિત રૂપે અધિકૃત કોઈ અન્‍ય વ્‍યક્‍તિ પર લાગુ થશે નહિ.

Related posts

વાપી જીઆઈડીસી સુપ્રિત કેમિકલ કંપનીમાં લાગેલી આગમાં ત્રણ કામદારો ભડથુ થઈ ગયા

vartmanpravah

વલસાડ જિલ્‍લા કલેકટર ક્ષિપ્રા આગ્રેના અધ્‍યક્ષસ્‍થાને જિલ્લા પુરવઠા સલાહકાર સમિતિની બેઠક યોજાઇ

vartmanpravah

સરીગામમાં માર્ગ અકસ્‍માતઃ એકનું મોત, એકને ઈજા

vartmanpravah

વલસાડ ધરમપુર ચોકડી હાઈવે ઓવરબ્રીજ ઉપર બંધ પડેલ ટ્રકને અન્‍ય ટ્રક ભટકાતા ગંભીર અકસ્‍માત

vartmanpravah

જિલ્લા રોજગાર કચેરી દ્વારા પારડીખાતે તા.30 સપ્‍ટેમબરના રોજ રોજગાર ભરતી મેળો યોજાશે

vartmanpravah

લાયન્‍સ ક્‍લબ ઓફ વાપી નાઈસ દ્વારા વાંસદા આઈ હોસ્‍પિટલમાં 41 નિઃશુલ્‍ક મોતિયા બિંદ ઓપરેશન કરાયા

vartmanpravah

Leave a Comment