Vartman Pravah
Breaking Newsદીવ

દીવ કોર્ટે ગ્રામ્‍ય વિસ્‍તારોમાં કાનૂની જાગરૂકતા કાર્યક્રમ યોજાયો

(વર્તમાનપ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)

દીવ, તા.13

‘આઝાદી કા અમૃત મહોત્‍સવ અંતર્ગત’ સુપ્રિમ કોર્ટના આદેશાનુસાર દીવ કોર્ટ દ્વારા ગતરોજ દીવ જિલ્લામાં ચારેય પંચાયતોમાં કાનૂની જાગરૂકતા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્‍યું હતું.

આ કાર્યક્રમનું આયોજન કાનૂની સેવા સત્તામંડળ અને એડવોકેટ બાર એસોસિએશનના સહયોગથી કરવામાં આવ્‍યું હતું. જેમાં સાઉદવાડી ગ્રામ પંચાયતના હોલમાં લોકોને કાયદા અંગેની જાણકારી આપવામાં આવી હતી. જે દરમિયાન અનેક વકિલોએ વિવિધ કાયદા અને તે અંગે વિસ્‍તારથી જાણકારી આપવામાં આવી હતી. જેમાં ઘરેલું હિંસા, ભરણ-પોષણ, સમાજમાં ચાલી રહેલા કુરિવાજો માટે મફત કાનૂની મદદ આપવા સહિતની જાણકારી આપી હતી.

કાર્યક્રમ દરમિયાન ગ્રામ્‍ય વિસ્‍તારના પ્રશ્નોને સાંભળવામાં આવ્‍યા હતા અને તેના નિરાકરણ માટેના યોગ્‍ય સૂચનો આપવામાં આવ્‍યા હતા.

આ અવસરે સાઉદવાડી ગ્રામ પંચાયત સરપંચ શ્રી શંકર ભગવાન, મંત્રી હર્ષિદા મકવાણા, જિલ્લા પંચાયત સભ્‍યો, વકિલો અને ગ્રામજનો ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

ચીખલી તાલુકાની ચાસા પ્રાથમિક શાળામાં વિજ્ઞાન મેળાના આયોજન અંગે યોજાયેલી બેઠકમાં આચાર્યએ ઉગ્ર થઈને બીઆરસી ટીપીઈઓ સામે વાણીવિલાસ કરી વિજ્ઞાન મેળા માટે નનૈયો ભણી દીધો

vartmanpravah

પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીના જન્‍મ દિવસના ઉપલક્ષમાં દમણવાડા ગ્રા.પં.ની સેલ્‍ફ હેલ્‍પ ગ્રુપની 3 બહેનોને સ્‍વનિર્ભર બનવા મોટી દમણ રામસેતૂ બીચ ઉપર સિલવન દીદી લારીનો આરંભ

vartmanpravah

‘‘ભીડેવાડા બોલલા” – ભારતની પ્રથમ મહિલા સ્‍કૂલ સેલવાસના કવિ આનંદ ઢાલેને આંતરરાષ્‍ટ્રીય કાવ્‍યલેખન સ્‍પર્ધામાં મળેલું ઉત્‍સાહવર્ધક પારિતોષિક

vartmanpravah

પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીના આશીર્વાદ અને પ્રશાસક પ્રફુલભાઈ પટેલના સફળ પ્રયાસોથી ગોવા સ્‍ટેટ કો.ઓ. બેંકે દમણ-દીવ કો.ઓ.બેંકના બાકી નિકળતા તમામ નાણાં કુલ રૂા.102 કરોડની કરેલી ચૂકવણી

vartmanpravah

સેલવાસઃ આમલી વિસ્‍તારની રિદ્વિ સિદ્ધિ પ્રા.લિ. કંપનીમાં ગત મોડી રાત્રિએ ભડકી ઉઠેલી આગ

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલના માર્ગદર્શન અને પહેલથી

vartmanpravah

Leave a Comment