Vartman Pravah
Breaking Newsગુજરાતદમણદીવદેશસેલવાસ

સંઘપ્રદેશ પ્રશાસનના સમગ્ર શિક્ષા અંતર્ગત કોન્‍ટ્રાક્‍ટ ઉપર કામ કરતા 257 શિક્ષકોને છૂટા કરાયા

  • 568 શિક્ષકોના કોન્‍ટ્રાક્‍ટ રિન્‍યુ કરાતા ‘કહીં ખુશી, કહીં ગમ’નો માહોલ

  • શિક્ષકોને છૂટા કરવાના મુદ્દે ગરમાયેલું દાદરા નગર હવેલીનું રાજકારણ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.13
સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવના શિક્ષણ વિભાગમાં સમગ્ર શિક્ષા અંતર્ગત કોન્‍ટ્રાક્‍ટ ઉપર કામ કરતા 257 શિક્ષકોને છૂટા કરવાનો અને 568 શિક્ષકોના કોન્‍ટ્રાક્‍ટ રિન્‍યુ કરાતા પ્રદેશમાં ‘કહીં ખુશી કહીં ગમ’નો માહોલ સર્જાયો છે. છૂટા કરાયેલા 257 જેટલા શિક્ષકો છેલ્લા 15 વર્ષથી નોકરી કરી રહ્યા હતા અને છેવટે તેમને ઘરનો રસ્‍તો દેખાડાતા કોરોના કાળમાં તેમના પરિવાર માટે જીવનનિર્વાહ કરવાનો પણ મોટો પ્રશ્ન સર્જાયો છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે સંઘપ્રદેશ પ્રશાસનના શિક્ષણ વિભાગે કલમના એક ગોદાથી પરફોર્મન્‍સ એવ્‍યુલેશન ટેસ્‍ટ(પેટ)માં ગેરહાજર રહેલા અને 40 માર્ક્‍સ કરતા ઓછા ગુણાંક લાવેલા શિક્ષકોને કેટ-મુંબઈ બેંચના 29મી ઓક્‍ટોબર,2021ના આદેશ મુજબ નિર્ણય લઈ છૂટા કરાયા હોવાનું સમગ્ર શિક્ષા વિભાગના સ્‍ટેટ પ્રોજેક્‍ટ ડાયરેક્‍ટર શ્રી નિલેશ ગુરવે પોતાના આદેશમાં જણાવ્‍યું છે.

Related posts

મતદાન કરી આંગળીએ શાહીનું નિશાન બતાવો અને મેળવો: વલસાડ જિલ્લામાં મતદાન પ્રોત્‍સાહિત કરવા વિવિધ શો-રૂમ, હોટલોએ આકર્ષક સ્‍કીમ અમલમાં મુકી

vartmanpravah

vartmanpravah

રેડક્રોસ સોસાયટી, સેલવાસમાં યુનિયન ટેરીટરી (યુ.ટી.) ચેરીટેબલ ટ્રસ્‍ટ દ્વારા રક્‍તદાન શિબિર યોજાઈ

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે શનિવારે જમ્‍પોર બીચ ખાતે બની રહેલા પક્ષીઘરનું કરેલું નિરીક્ષણ

vartmanpravah

આરોગ્યવિભાગની ૨૧૩ મેડિકલ ટીમ દ્વારા ડોર ટુ ડોર સર્વેની કામગીરી શરૂ કરાઇ

vartmanpravah

દાનહના સામરવરણીની એક ખાનગી શાળાના સંચાલક અને શિક્ષકે સગીર વિદ્યાર્થીની સાથે આચરેલું દુષ્‍કર્મઃ બંને આરોપીઓની ધરપકડઃ 3 સપ્‍ટે. સુધી પોલીસ રિમાન્‍ડ

vartmanpravah

Leave a Comment