Vartman Pravah
Breaking Newsદમણદીવદેશસેલવાસ

ભાજપના રાષ્‍ટ્રીય મહાસચિવ કૈલાશ વિજયવર્ગીયએ દાનહ ભાજપ સાથે સતત 32 વર્ષથી જોડાયેલા કાર્યકરોનું કરેલું સન્‍માન

  • દાનહના પૂર્વ પ્રદેશ પ્રમુખ દિપક જાદવ, પૂર્વ પ્રમુખ દિગ્‍વિજયસિંહ પરમાર અને પૂર્વ મહામંત્રી નરવીરસિંહ પરમારના યોગદાનને યાદ કરી શાલ, ફુલ અને શ્રીફળથી કરાયેલું અભિવાદન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.15
ભાજપના રાષ્‍ટ્રીય મહાસચિવ શ્રી કૈલાશ વિજયવર્ગીય દાદરા નગર હવેલીના પ્રવાસ દરમિયાન ભાજપના 1989માં દાદરા નગર હવેલીની સ્‍થાપના કરનારા અને 32 વર્ષોથી સતત કાર્યરત એવા ભાજપના પૂર્વ પ્રદેશ પ્રમુખ શ્રી દિપક જાદવ અને શ્રી દિગ્‍વિજયસિંહ પરમાર અને પૂર્વ મહામંત્રી શ્રી નરવીર સિંહ પરમારનુંતેમના નિવાસસ્‍થાને શાલ, ફુલ અને શ્રીફળ આપી સન્‍માન કરાયું હતું. તે દરમિયાન પ્રદેશ પ્રભારી અને મહાસચિવ શ્રીમતી વિજયા રહાટકર અને પ્રદેશ પ્રમુખ શ્રી દિપેશભાઈ ટંડેલ વિશેષ ઉપસ્‍થિત રહ્યા હતા.
શ્રી કૈલાસ વિજયવર્ગીય તમામને પ્રોત્‍સાહિત કરતા જણાવ્‍યું હતું કે, દાદરા નગર હવેલીમાં તમારા જેવા જૂના કાર્યકરોની મહેનત અને સતત કામના કારણે લોકસભામાં અને સ્‍થાનિક સંગઠનમાં ભાજપ ત્રણ વખત સત્તામાં આવી શકયું છે અને 32 વર્ષ સુધી ભાજપમાં કાર્યરત રહેવા બદલ આભાર વ્‍યક્‍ત કર્યો હતો.

Related posts

નાણાંમંત્રીશ્રી કનુભાઈ દેસાઈ પારડીના ડુંગરી તળાવને ઊડું કરવાના કામનું ખાતમુહૂર્ત કરી જિલ્લામાં ‘સુજલામ સુફલામ જળ અભિયાન-2023′ નો શુભારંભ કરાવશે

vartmanpravah

દીવ ખાતે 154 મી ગાંધી જયંતિ તથા લાલબહાદુર શાસ્ત્રીની જન્‍મ જયંતીની ઉજવણી કરવામાં આવી

vartmanpravah

19મી નવેમ્‍બરની દમણ ખાતે સૂચિત વીવીઆઈપી વિઝિટને અનુલક્ષી દમણમાં ભારે વાહનો અનેટ્રકોની અવર-જવર ઉપર આજે સાંજે 6:00 થી રવિવારના સવારના 6:00 સુધી પ્રતિબંધ

vartmanpravah

વાપીમાં પ્રથમ નોરતાથી જ સૂર, તાલ અને થનગનાટ સાથે ખેલૈયાઓએ કરેલી ઠેર ઠેર જમાવટ

vartmanpravah

સેલવાસ લાયન્‍સ અંગ્રેજી માધ્‍યમ શાળામાં ધોરણ 12ના વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ યોજાયો

vartmanpravah

ધરમપુરની શ્રીમંત મહારાણા નારણદેવજી લાઇબ્રેરીમાં વીર કવિ નર્મદની 190મી જન્‍મજયંતિની ઉજવણી

vartmanpravah

Leave a Comment