March 2, 2026
Vartman Pravah
Breaking Newsદમણદીવદેશસેલવાસ

દાનહ અને દમણ-દીવ પ્રદેશ ભાજપની કારોબારીમાં ચૂંટણીના પરિણામથી નિરાશ નહી થવા  રાષ્‍ટ્રીય મહાસચિવ કૈલાશ વિજયવર્ગીયની સલાહ

  • પરાજયમાંથી બોધપાઠ લઈ આગળની રણનીતિ તૈયાર કરવા કાર્યકરોને હાકલ 

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)

સેલવાસ, તા.15

આજે સેલવાસ સ્‍થિત ભાજપ કાર્યાલય ‘અટલ ભવન’ ખાતે પ્રદેશ ભાજપની મળેલી કારોબારી સમિતિની બેઠકમાં લોકસભાની ગત પેટા ચૂંટણીમાં મળેલા પરાજયની સમીક્ષા અને અગામી રણનીતિ બાબતે  ઊંડાણથી ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી.

આ પ્રસંગે ખાસ ઉપસ્‍થિત રહેલા ભાજપના રાષ્‍ટ્રીય મહાસચિવ શ્રી કૈલાશ વિજયવર્ગિયએ કારોબારી સભ્‍યોને  ગત લોકસભાની પેટા ચૂંટણીના પરિણામથી નિરાશ નહી થવા સલાહ આપવાની સાથે જણાવ્‍યું હતું કે, રાજનીતિમાં  હાર અને જીત તો ચાલુ જ રહેતી હોય છે. પરંતુ હારમાંથી આપણે બોધપાઠ લઈ આગળની તૈયારી કરવાની છે.

શ્રી કૈલાસ વિજયવર્ગીય પોતાના પヘમિ બંગાળના  પ્રભારી તરીકેના અનુભવને વર્ણવતા જણાવ્‍યું હતું કે,જ્‍યારે હું પ્રભારી બન્‍યો ત્‍યારે આપણે માત્ર ત્રણ બેઠકો પશ્વિમ બંગાળમાં જીતી હતી, છતાં નિરાશ થયા વગર સતત મહેનત ચાલુ રાખતા હવે આ ચૂંટણીમાં અને લોકસભાની ચૂંટણીમાં આપણે વિપક્ષને પરસેવો છોડાવી દીધો છે. તેમણે કાર્યકર્તાઓને પનારો ચડાવી ભાજપના જનાધારને વધારવા સલાહ આપી હતી.

આ પ્રસંગે પ્રદેશ ભાજપ પ્રમુખ શ્રી દિપેશભાઈ ટંડેલે  આજે આઝાદીના આંદોલનકારી અને આદિવાસી સમાજના ભગવાન ગણાતા પ્રખર સમાજસેવક શ્રી બિરસા મુંડાની જન્‍મજયંતિ નિમિત્તે નમન કરતા જણાવ્‍યૂ઼ હતું કે, પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદીએ આજના દિવસને આદિવાસી ગૌરવ દિન તરીકે ઉજવવા બદલ તેમનો આભાર પ્રગટ કર્યો હતો.

આ અવસરે પ્રદેશ ભાજપ પ્રભારી શ્રીમતી વિજયા રહાટકરે શ્રી બિરસા મુંડાને શ્રદ્ધાંજલિ આપતાં જણાવ્‍યું હતું કે, આદિવાસીઓ પ્રકળતિ પ્રેમી છે અને પ્રકળતિની પૂજા કરે છે, આદિવાસી સમુદાયનું સ્‍વાતંત્ર્ય સંગ્રામની લડતમાં મોટું યોગદાન છે, અમે આદિવાસીઓના ઉત્‍થાન અને ઉદ્ધાર માટે કામ કરીએ છીએ.

આજની બેઠકમાં રાજકીય ઠરાવ શ્રી દિગ્‍વિજયસિંહ પરમાર દ્વારા મૂકવામાં આવ્‍યો હતો અને સ્‍થાનિક દરખાસ્‍ત શ્રી વિકાસ બાબુ દ્વારા મૂકવામાં આવી હતી. 15મી નવેમ્‍બરને ગૌરવ દિવસ તરીકે જાહેર કરવા બદલ અને કેન્‍દ્ર સરકાર દ્વારા 15 થી 22નવેમ્‍બર દરમિયાન આદિવાસી સમુદાય માટે તહેવારો અને સામાજિક કાર્યો કરવાની જાહેરાત કરવા બદલ આભાર પ્રસ્‍તાવ શ્રી જીતુ માઢા દ્વારા પસાર કરવામાં આવ્‍યો હતો. કારોબારી બેઠકમાં આ ત્રણેય પ્રસ્‍તાવ બુલંદ અવાજ સાથે પસાર કરવામાં આવ્‍યા હતા.

આજના કાર્યક્રમમાં દમણ-દીવના સાંસદ શ્રી લાલુભાઈ પટેલ, દાનહ પૂર્વ સાંસદ શ્રી નટુભાઈ પટેલ, મહામંત્રી શ્રી વાસુભાઈ પટેલ, શ્રી જીતુ માઢા, એસએમસી પ્રમુખ શ્રી રાકેશસિંહ ચોહાણ, સેલવાસ જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી અજયભાઈ દેસાઈ ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

ચીખલીમાં સબ ડિસ્‍ટ્રીક્‍ટ હોસ્‍પિટલના સ્‍ટાફ ક્‍વાટર્સ જર્જરિત: તંત્ર દિવાલ પર માત્ર જાહેર ચેતવણી લખી સંતોષ માની રહ્યું છે

vartmanpravah

વલસાડ મગોદના મહિલા સરપંચને પંચાયતના કચરાના ટેમ્‍પાનો ખાનગી ઉપયોગ કરતા ડીડીઓએ હોદ્દા ઉપરથી સસ્‍પેન્‍ડ કર્યા

vartmanpravah

રાજ્‍ય કાનૂની સેવા સત્તા મંડળ, દમણ અને દમણ બાર એસો.ના સંયુક્‍ત ઉપક્રમે દમણની સરકારી કોલેજમાં રેગિંગ વિરોધી કાનૂની જાગૃતિ શિબિર યોજાઈ

vartmanpravah

સેલવાસના દત્ત મંદિર ખાતે રંગ જયંતિ કાર્યક્રમ યોજાયો

vartmanpravah

સંઘપ્રદેશ ભાજપના નવા પ્રભારી તરીકે દુષ્‍યંતભાઈ પટેલની નિયુક્‍તિઃ સંગઠનમાં નવી ગતિ-ઊર્જા આવવાની સંભાવના

vartmanpravah

વલસાડ જિલ્લામાં પડેલા મુશળધાર વરસાદે ઠેર ઠેર સર્જી તારાજી

vartmanpravah

Leave a Comment