Vartman Pravah
Breaking Newsદેશસેલવાસ

શિવસેના સુપ્રિમો બાલા સાહેબ ઠાકરેની વિચારધારાને સાથે રાખી દાનહના ઉજ્જવળ ભવિષ્‍યનો અભિનવ ડેલકરે વ્‍યક્‍ત કરેલો સંકલ્‍પ

  • શિવસેના સુપ્રિમો બાલા સાહેબ ઠાકરેની 9મી પુણ્‍યતિથિ નિમિત્તે પ્રદેશ કાર્યાલય ટોકરખાડા ખાતે શિવસેના પ્રમુખ અભિનવ ડેલકર અને સાંસદ કલાબેન ડેલકરની ઉપસ્‍થિતિમાં યોજયો શ્રદ્ધાંજલિ કાર્યકમ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.17
દાદરા નગર હવેલી અને દમણ-દીવ પ્રદેશ શિવસેનાના કાર્યાલય ટોકરખાડા ખાતે આજે શિવસેનાના સુપ્રિમો બાલા સાહેબ ઠાકરેની 9મી પુણ્‍યતિથિ નિમિત્તે શ્રદ્ધાંજલિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં શિવસેના પ્રદેશ પ્રમુખ શ્રી અભિનવ ડેલકર અને સાંસદ શ્રીમતી કલાબેન ડેલકર ખાસ ઉપસ્‍થિત રહ્યા હતા.
શિવસેના પ્રદેશ પ્રમુખ શ્રી અભિનવ ડેલકરે ભારપૂર્વક જણાવ્‍યું હતું કે, શિવસેના સુપ્રિમો બાલા સાહેબ ઠાકરેની વિચારધારાને સાથે રાખી પ્રદેશને ઉજ્જવળ ભવિષ્‍ય તરફ લઈ જવામાં આવશે. ડેલકર પરિવાર અને ઠાકરે પરિવારે હાથ મેળવતાની સાથે જ સારા પરિણામોની શરૂઆત પ્રદેશમાં જોવા મળી છે. જે પ્રમાણે મહારાષ્‍ટ્રરાજ્‍યમાં શિવસેનાના મુખ્‍યમંત્રી શ્રી ઉદ્ધવ ઠાકરેના કામોની નોંધ સમગ્ર વિશ્વમાં લેવાઈ રહી છે તેવી રીતે આપણા પ્રદેશના કામોની નોંધ રાષ્‍ટ્રીય સ્‍તરે લેવામાં આવે તે પ્રકારની કાર્યશૈલી સાથે કામો કરવામાં આવશે. આ પ્રસંગે જન પ્રતિનિધિઓ સહિત શિવસેનાના કાર્યકર્તાઓ ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

દમણ પોલીસે દાભેલની એક ચાલમાં છાપો મારી ગાંજા સાથે એક વ્‍યક્‍તિની કરેલી ધરપકડ

vartmanpravah

રાષ્‍ટ્રીય સેવા યોજના, દીવના સ્‍વયંસેવકો દ્વારા દીવ કોલેજમાં ‘આઝાદી કા અમૃત મહોત્‍સવ’ અને સંવિધાન દિવસ અંતર્ગત રંગોળી કાર્યક્રમ યોજાયો

vartmanpravah

દાનહના પદાધિકારીઓએ કેન્‍દ્રીય સંચાર રાજ્‍યમંત્રીનું કરેલું સ્‍વાગત

vartmanpravah

રાષ્‍ટ્રીય યુવા મહોત્‍સવ-2023માં ભાગ લેવા સંઘપ્રદેશનું 100 સભ્‍યોનું યુવા દળ કર્ણાટક હુબલી રવાના

vartmanpravah

નવસારી જિલ્લામાં લોકઅદાલતો યોજાઈઃ 15738 કેસોનો નિકાલ કરાયો

vartmanpravah

સરીગામ પાગીપાડા નહેરની બાજુમાં ગેરકાયદેસર નિકાલ કરેલ દવા ગોળીના જથ્‍થાનો મુદ્દો ગંભીર પરંતુ મંદ ગતિએ તપાસ

vartmanpravah

Leave a Comment