March 3, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવાપી

સરીગામ જીપીસીપી અધિકારી સામે નવી મુસીબત

સરીગામ જીપીસીબી કચેરીમાં રજૂઆત માટે ગયેલા આદિવાસીઓને પ્રાદેશિક અધિકારી એ. ઓ. ત્રિવેદીએ મારે આ આદિવાસીઓને મળવું નથી એમ જણાવી વોચમેનની કેબીન પછી અંદર પ્રવેશવાની મંજૂરી ના આપતા ગાંધીનગર ફરિયાદ કરવામાં આવી હતી જે ફરિયાદની ઉચ્‍ચ કચેરીએ ગંભીર નોંધ લેતા માંગવામાં આવેલ ખુલાસો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સરીગામ, તા.22: સરીગામ જીપીસીપી કચેરીના પ્રાદેશિક અધિકારી શ્રી એ. ઓ. ત્રિવેદી અને આદિવાસી નેતા શ્રી મિતેશભાઈ પટેલ વચ્‍ચે રજૂઆત અને ફરિયાદનો દોર છેલ્લા એક વર્ષથી ચાલી રહ્યો છે. સરીગામ જીઆઇડીસીને અડીને આવેલો કરજગામના વિસ્‍તારના બોરિંગોમાં પાણી કલર યુક્‍ત આવવાની સમસ્‍યા યથાવત છે. જેને કાયમી નિરાકરણ માટે ગત તારીખ 10 ઓક્‍ટોબર 2024 ના રોજ અરજદારો શ્રી મિતેશભાઈ પટેલ અને એમની ટીમ બપોરે 3:30 કલાકે સરીગામ સ્‍થિત જીપીસીપીની કચેરી ખાતે રજૂઆત કરવા માટે ગયા હતા. આ દરમિયાન શ્રી મિતેશભાઇ પટેલે જીપીસીપી કચેરીના નિયમો અનુસાર મુલાકાતિઓ માટેનારજીસ્‍ટરમાં પોતાની એન્‍ટ્રી કરી પટાવાળા મારફતે એક ચિઠ્ઠી મોકલાવી પ્રાદેશિક અધિકારી શ્રી એ.ઓ. ત્રિવેદી પાસે મુલાકાત માટે સમયની માંગણી કરી હતી. પરંતુ તે સમયે અધિકારીશ્રીએ આ આદિવાસીઓને મારે મળવું નથી કહી કચેરીમાં પ્રવેશવાની મંજૂરી આપવામાં આવી ન હતી.
આ ઘટના બાદ આદિવાસી નેતા શ્રી મિતેશભાઈ પટેલ પાસે ઉચ્‍ચ કચેરીને રજૂઆત કરવા સિવાય વિકલ્‍પ ન બચતા એમને ઘટનાની વિગતવાર વર્ણન કરી ગાંધીનગર ખાતે સભ્‍ય સચિવ શ્રી અને ઉચ્‍ચ કચેરીને ધ્‍યાન દોરવાની ફરજ પડી હતી. આ રજૂઆતની ગંભીર નોંધ લેતા ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ સમિતિના તપાસ વિભાગે તાત્‍કાલિક ધોરણે અરજદાર શ્રી મિતેશભાઈ પટેલ સહિત અસરગ્રસ્‍ત વિસ્‍તારના રજૂઆત કરનારાઓને બોરિંગોના પ્રદૂષિત પાણીના મુદ્દે યોગ્‍ય રીતે સાંભળી અને કરેલ કાર્યવાહી અને આદિવાસીઓને રજૂઆત માટે મુલાકાત ન આપવાના કારણનો અહેવાલ દસ દિવસમાં મોકલી આપવા આદેશ કરવામાં આવ્‍યો છે.

Related posts

સીઈઓની કારણદર્શક નોટિસ : દાનહઃ ખરડપાડા ગ્રા.પં.ના ૬ જેટલા સભ્યોનું સભ્યપદ શા માટે રદ્ નહીં કરવું?

vartmanpravah

દમણવાડા ગ્રા.પં. દ્વારા બોર્ડની પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓને વેલકમ કીટ આપી પાઠવેલી શુભકામના

vartmanpravah

વલસાડ જિલ્લાની ધરમપુર, પારડી અને કપરાડા બેઠકો માટે ‘આપ’ પાર્ટીએ ઉમેદવારો જાહેર કર્યા : એક માત્ર ઉમરગામ બાકી

vartmanpravah

મોટી તંબાડીમાં પંચમુખી હનુમાનજી મંદિર ખાતે જન્‍મોત્‍સવ કાર્યક્રમ ધામધૂમથી ઉજવાયો

vartmanpravah

તા.૩૦મીએ પારડી ખાતે સુશાસન સપ્‍તાહ અંતર્ગત રોજગાર/એપ્રેન્‍ટીસ એનાયતપત્ર વિતરણ કરાશે

vartmanpravah

સરકાર મહત્ત્વાકાંક્ષી જિલ્લાઓ અને બ્લોક્સના ઝડપી વિકાસમાં રાજ્યોને સહાય કરશે, જેમાં પર્યાપ્ત આર્થિક તકોનું સર્જન સામેલ છેઃ કેન્દ્રીય નાણાં મંત્રી

vartmanpravah

Leave a Comment