September 8, 2026
Vartman Pravah
Breaking Newsગુજરાતવાપી

કપરાડાના ટુકવાડા ગામના સાગરમાળ ફળિયાના મતદારોનો ઘાડવી ગામમાં સમાવેશના વિરોધમાં આવેદનપત્ર પાઠવ્‍યું

યથાવત સ્‍થિતિ નહીં રખાય તો ચૂંટણી બહિષ્‍કારનું ગ્રામજનોએ આહવાન કર્યું

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.18
આગામી ડિસેમ્‍બર 2021માં ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાનાર છે તે પૂવર્ર બહાર પડાયેલ મતદાર યાદીમાં કપરાડાના ટુકવાડા ગામે મોટો છબરડો બહાર આવ્‍યો છે. આ ગામના સાગરમાળ ફળિયાના મતદારોનો સમાવેશ ઘાડવી ગામમાં કરી દેવામાં આવતા સ્‍થાનિક મતદારોમાં રોષ જોવા મળ્‍યો હતો. આજે ગુરૂવારે ગામના કોંગ્રેસ આગેવાનો દ્વારા વલસાડ કલેક્‍ટરમાં આવેદનપત્ર પાઠવી ચૂંટણી કાર્યાલય દ્વારા થયેલ છબરડાનો વિરોધ કરી જે તે મતદારો સાગળ ફળીયાના છે તેમને યથાવત રાખવાના સૂત્રોચ્‍ચાર સાથે માંગણી કરી હતી.
કપરાડાના ટુકવાડા ગામના સાગરમાળ ફળીયાના મતદારોનો ઘાડવી ગામમાં સમાવેશ મતદાર યાદી થકી જાહેર થતા ગ્રામજનોમાં રોષ ફેલાયો હતો. આજે કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો દ્વારા કલેક્‍ટરને આવેદનપત્ર પાઠવી મતદાર યાદીના ફેરફારનો વિરોધ કર્યો હતો. માંગણી કરી હતી કે જો સ્‍થિતિ યથાવત નહી કરાય તો આગામી ચૂંટણીનો ગ્રામજનો બહિષ્‍કાર કરશે તેવી ચિમકી પણ ઉચ્‍ચારી હતી.

Related posts

કપરાડાના આસલોણા ગામે દમણગંગા નદીના કોઝવે પસાર કરતાં પિતા-પૂત્ર અને પડોશી પૂત્ર તણાયા

vartmanpravah

મન કી બાત (૮૮મી કડી), પ્રસારણ તિથિ: ૨૪.૦૪.૨૦૨૨

vartmanpravah

નેશનલ હ્યુમન વેલફેર કાઉન્‍સિલ અને ભારતીય સંસ્‍કૃતિ યુવા મંચ દ્વારા સેલવાસ રિવરફ્રન્‍ટ ખાતે નેતાજી સુભાષચંદ્ર બોઝની જન્‍મજયંતિ મનાવવામાં આવી

vartmanpravah

આવતા દિવસોમાં દાદરા નગર હવેલી અને દમણ-દીવ સમગ્ર રાષ્‍ટ્ર માટે પણ દિશાદર્શક બની શકે છે

vartmanpravah

દમણના વેટરનરી વિભાગના યુડીસી અમ્રતભાઈ હળપતિને આપવામાં આવ્‍યું નિવૃત્તિ વિદાયમાન

vartmanpravah

વલસાડ લઘુ ઉદ્યોગ ભારતી દ્વારા વિશ્વકર્મા જ્‍યંતીની ઉજવણી કરવામાં આવી

vartmanpravah

Leave a Comment