Vartman Pravah
Breaking Newsગુજરાતનવસારી

બિનજરૂરી લીલાપોર-સરોણ રેલવે ઓવરબ્રિજનું કામ શરૂ થતા ખેરગામ પ્રદેશનું સ્‍વપ્‍ન રોળાયું : ત્રણ કિલોમીટરમાં બીજો રેલ ઓવરબ્રિજ!

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.25
પશ્ચિમ રેલવે દ્વારા ફ્રેટ કૉરીડોર બની રહ્યો છે જેના સંદર્ભમાં દરેક ફાટકની જગ્‍યાએ ઓવરબ્રિજના ખર્ચા થઈ રહ્યા છે. જે સંદર્ભમાં મુંબઈથી 204 કિલોમીટરના અંતરે કુંડી ફાટકે ઓવરબ્રિજ પૂર્ણતાને આરે છે જ્‍યારે ત્રણ કિલોમીટર ઉત્તરે ઓછા વપરાશી માર્ગે 201 કિ.મી. પર લીલાપોર સરોણ ઑવર બ્રિજના પીલર પણ ઉભા થઈ રહ્યા છે, જેનાથી ખેરગામ તાલુકાના 22 ગામો અને વલસાડ તાલુકાના પૂર્વના 15 ગામનુ ઔરંગા નદીની આસપાસ રેલ ઓવરબ્રિજનુ સ્‍વપ્ન રોળાયું હોય પ્રજાજનોમાં અસંતોષ ફેલાયો છે.
રેલવે ઓવરબ્રિજ બનાવવામાં તેની જરૂરિયાત અગત્‍યતાને ધ્‍યાને લીધા વિના ‘‘રસ્‍તો છે તો ઓવરબ્રિજ બનાવો” એ નીતિ અપનાવીને ઓવરબ્રિજ બનાવી રહી છે. કુંડી રેલફાટક બંધ કરી દેવાથી ગુંદલાવ થઈને વલસાડ શહેરમાંઅત્‍યંત ટૂંકા રસ્‍તે ઝડપી આવન-જાવન થઈ શકે છે, છતાં કુંડી ફાટક-101 એ ઓવરબ્રિજ બનાવી રહ્યા છે. હવે તેની ઉત્તરે ત્રણ કિલોમીટર લીલાપુર અને સરોધી હાઈવે-48 ને જોડતા ઓછી વસ્‍તીવાળા 3 કિ.મી.ના સામાન્‍ય રસ્‍તા પર 99 નંબરની રેલવે ફાટકની ઉત્તરે રેલવે ઓવરબ્રિજ બનાવી રહી છે જેમાં બંને બાજુ અનેક ગરીબ વસ્‍તી ઝુંપડાવાળાનો ભોગ લેવામાં આવશે. આ ઓવરબ્રિજ 300/400 મીટર દક્ષિણે ખસેડી લઈને તેના માટે લીલાપોર-વેજલપોરના હયાત રસ્‍તાને એપ્રોચમાં લીધો હોત તો આ ભોગ બનનારી વસ્‍તીને બચાવી શકાય હોત, અને ગુંદલાવ ચોકડીથી વેજલપોર-લીલાપોર રસ્‍તો જોડાતા વલસાડ શહેર સાથે ગુંદલાવ ચોકડીથી સરળતાથી જોડી શકાતે. આવું કરવાથી પૂર્વના પચાસેક ગામોને દર ચોમાસામાં જે છીપવાડમાં પરેશાની થાય છે, અવરજવર અવરોધાય છે તેનાથી હંમેશાં મુક્‍તિ મળી જતે. પરંતુ વલસાડના સાંસદ, ધારાસભ્‍ય, રાજનેતાઓ અધિકારીઓને બિનજરૂરી ખર્ચાથી પ્રજાના નાણા બચત કરવાની અને ઓછા ખર્ચે સુવિધા પ્રાપ્ત થાય તેવું સૂઝતુ જ નથી. હવે ગુંદલાવ ચોકડી ખેરગામ ગામના લોકો માટે દોઢેક કિલોમીટરના અંતરમાં જ ત્રીજો રેલવે ઓવરબ્રિજ બનાવવો પડશે જે સંભવતઃ વલસાડ-પારડી-સાંઢપોર વચ્‍ચે થશે અને તેના લીધે ઔરંગા નદીનો સ્‍મશાન ભૂમિનો પુલ પણ નવોબનાવવો પડશે. 99 નંબરની ફાટક નાના બે-3 ગામો પૂરતી જ છે, જેના માટે 333 નંબરનું અંડરપાસ ઉપયોગી બની શકે છે, પૂર્વમાં નેશનલ હાઈવે તો છે જ. છતાં ઓવરબ્રિજ બનાવીને રેલવે આંધણ કરી રહી છે જેનુ દક્ષિણે સ્‍થળાંતર કર્યું હોત તો બીજા ઓવરબ્રિજનો ખર્ચો બચાવી શકાતે, પણ પ્રજાનું- સરકારનું ભલુ વિચારનારા કેટલા? 99 ફાટકવાળા ઔર ભી તો અને ગરીબોનો ભોગ લેવાવાનો છે, જેની વ્‍યથા સાંભળનારું કોઈ નથી.

Related posts

વલસાડ-નવસારી જિલ્લામાં પ્રતિ સોમવારે ઉદ્યોગોનો વીજકાપ રહેશે : સરકારનો નિર્ણય

vartmanpravah

વાપીની કંપની સંચાલકોએ 7 વર્ષનો 3.01 કરોડ વેચાણ વેરો નહી ભરતા પોલીસ ફરિયાદ નોંધાઈ

vartmanpravah

કિલ્લા પરિસરના સૌંદર્યીકરણની જાળવણી બાબતે દમણ ન.પા.ના ચીફ ઓફિસરે રહેવાસીઓ સાથે કરેલી બેઠક

vartmanpravah

દાનહના મૂકસેવાભાવી કાંતિભાઈ એમ. પટેલનું ટૂંકી માંદગી બાદ આકસ્‍મિક નિધન

vartmanpravah

ખેરગામ તાલુકામાં નવા ભાવ મુજબના 5 અને જૂના મુજબના 3 મળી છેલ્લા ચાર દિવસમાં કુલ 8 જેટલા દસ્‍તાવેજની નોંધણી થવા સાથે રૂા.1,70,705 લાખની આવક

vartmanpravah

સેલવાસની ફેશન મોડલનો ફોટો આર્ટેલ્‍સ પત્રિકાના ફ્રન્‍ટ પેજ પર

vartmanpravah

Leave a Comment