Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ધરમપુરના વિલ્‍સન લેડી મ્‍યુઝિયમના 14 કર્મચારીઓને 6 દિવસથી ફરજ ઉપર હાજર ના થવા દેવાતા ગેટ બહાર દેખાવો

કર્મચારીઓ પોલીસમાં એ્ટ્રોસીટી એક્‍ટ મુજબ ફરિયાદ નોંધાવી

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.06: ધરમપુરમાં આવેલ વિલ્‍સન લેડી મ્‍યુઝિયમમાં ફરજ બજાવતા 14 જેટલા કર્મચારીઓએ પોતાની કેટલીક રજૂઆત-માંગણીઓ કરી હતી. તેથી મ્‍યુઝિયમના સંચાલકોએ તમામ 14 કર્મચારીઓને ફરજ ઉપર હાજર રહેવા ના દેતા મામલો ગરમાયો હતો. તમામ કર્મચારીઓ મ્‍યુઝિયમ સામે દેખાવા કરવા, માંગણી કરવા બેસી ગયા હતા તેમજ ધરમપુર પોલીસમાં એક્‍ટ્રોસીટી એક્‍ટ મુજબ કર્મચારીઓએ સંચાલક વિરૂધ્‍ધ ફરિયાદ નોંધાવી હતી.
ધરમપુરમાં આવેલ ધી લેડી વિલ્‍સન મ્‍યુઝિયમમાં ફરજ બજાવતા આઉટ સોર્સિંગના 14 જેટલા કર્મચારીઓએ ગત તા.01 ફેબ્રુઆરીના રોજ મ્‍યુઝિયમ સંચાલક ઈન્‍દ્રા જે વત્‍સને કેટલીક માંગણી માટે રજૂઆત કરી હતી ત્‍યારે કર્મચારીઓને જાતિ વિષયક સંચાલકે શબ્‍દો ઉચ્‍ચારેલા તેમજ તા.01 થી ફરજ ઉપર નહી રાખવાની કરેલી તજવીજના કર્મચારીઓ ઉપર ભારે રોષ સાથે ઘેરા પ્રત્‍યાઘાત પડયા હતા. 6 દિવસથી ફરજ મુક્‍ત કરાયેલા 14કર્મચારીઓ અંતે મ્‍યુઝિયમ ગેટ સામે બેસી માંગણીઓ માટે દેખાવ આંદોલન શરૂ કરી દીધું છે. તદ્‌ઉપરાંત પ્રાંત અધિકારી અને પોલીસને લેખિત રજૂઆત પણ કરી છે. પોતાની માંગણી માંગવા કે રજૂઆત કરવા જતા કર્મચારીઓ તાનાશાહીનો ભોગ બન્‍યાનું બહાર આવ્‍યું છે. જો ઉકેલ નહી આવે તો ધરણા ઉપર કર્મચારી બેસશે એવું ધરમપુર તા.પં.ના અપક્ષ સભ્‍ય કલ્‍પેશ પટેલે જાહેરાત કરી હતી.

Related posts

સમસ્‍ત વલસાડ જિલ્લા બ્રાહ્મણના આગેવાનોની મીટિંગ યોજાઈ: ભગવાન શિવ વિશે અપમાનજનક શબ્‍દો ઉચ્‍ચારનાર સ્‍વામિનારાયણના સંત સામેશિવભક્‍તોમાં આક્રોશ

vartmanpravah

સેલવાસ કલા કેન્‍દ્ર ખાતે એસ્‍પિરેશનલ બ્‍લોક પ્રોગ્રામ માટે બ્‍લોક ડેવલોપમેન્‍ટ સ્‍ટ્રેટેજીની તૈયારી હેઠળ ચિંતન શિબિર યોજાઈ

vartmanpravah

‘વિકસિત ભારત, મોદીની ગેરંટી’ અંતર્ગત સંઘપ્રદેશ પ્રશાસન દ્વારા 16મી ફેબ્રુઆરીના શુક્રવારે સેલવાસ ખાતે વિદ્યાર્થીઓને સાયકલ અને લેપટોપ વિતરણ સમારંભનું આયોજન

vartmanpravah

વલસાડની સેગવા પ્રાથમિક શાળામાં કુદરતી આપત્તિ માર્ગદર્શન અને વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો

vartmanpravah

વાપી જે.સી.આઈ. દ્વારા નાઈટ ફિમેલ મેરેથોન દોડ યોજાઈ

vartmanpravah

દાનહમાં શિવસેનાએ ગ્રામીણ વિસ્‍તારમાં ધાબળા અને માસ્‍ક વિતરણ કરી મનાવ્‍યો બાળાસાહેબ ઠાકરેનો જન્‍મદિવસ

vartmanpravah

Leave a Comment