October 14, 2025
Vartman Pravah
Breaking Newsવલસાડવાપી

વલસાડ – કાંપરી રેલવેફાટક 29મી નવે.થી 05 ડિસે. 2021 સુધી સરકારના પગલે બંધ

વાહન ચાલકોને પાંચ કિલોમીટર ચકરાવો કરી વલસાડ આવવાની ફરજ પડશે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.29
વલસાડ નજીક આવેલું કાંપરી રેલ્‍વે ફાટક નંબર 101નું સમારકામ હોવાથી આવતીકાલે 29થી 5 ડિસેમ્‍બર સુધી ફાટક બંધ કરવામાં આવશે. જેથી વલસાડ અને ડુંગર ચીખલી તરફથી આવતા વાહનોએ પાંચ કિલોમીટરનો ચકરાવો કરી વલસાડ આવવાની ફરજ પડશે.
પશ્ચિમ રેલ્‍વે દ્વારા કોરિડોર યોજના હેઠળ ફોર રેલવે ટ્રેકની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. તો બીજી તરફ અનેક રેલ્‍વે સ્‍ટેશનો નજીક આવેલા રેલ્‍વે ફાટકોનું રીપેરીંગ કામ કરવામાં આવી રહ્યું છે, ત્‍યારે વલસાડ નજીક આવેલા કાપરી ગામે આવેલી રેલ્‍વે ફાટક નંબર 101નું સમારકામ તારીખ 29-11-2021થી આગામી તારીખ 05-12-2021 સુધી 7.00 વાગ્‍યાથી રાત્રે 8.00 વાગ્‍યા સુધી રેલવે ફાટક બંધ રહેશે. તેથી કાંપરી રેલ્‍વે ફાટક વલસાડથી ચીખલી ડુંગરી તરફ જનારા વાહનો તેમજ ચીખલીથી કુંડી હાઈવે થઈ વલસાડ આવનારા વાહનોએ ગુંદલાવ ચોકડી થઈ વલસાડ આવવાની ફરજ પડશે.
આમ કાંપરી રેલવે ફાટક 7 દિવસ સુધી સરકારના પગલે બંધ કરવામાં આવતા વાહન ચાલકોને પાંચ કિલોમીટર ચકરાવો કરી વલસાડઆવવાની ફરજ પડશે.

Related posts

ચીખલીમાં તાલુકા કક્ષાના યોજાયેલા બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનમાં બાળ વૈજ્ઞાનિકો દ્વારા વિવિધ વિભાગોમાંથી 75-જેટલી કૃતિઓ રજૂ કરવામાં આવી

vartmanpravah

વાપી વીઆઈએ  ગ્રાઉન્ડ ખાતે ૭૭મા સ્વાતંત્ર્ય પર્વની કરાયેલી ઉજવણી

vartmanpravah

વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદીના જન્‍મ દિવસ નિમિત્તે કેબિનેટ મંત્રી નરેશભાઈ પટેલ દ્વારા ચીખલી-ગણદેવી સહિતના મત વિસ્‍તારોમાં સુકન્‍યા સમૃદ્ધિ યોજનામાં 800 જેટલી બાળાઓના ખાતાઓ ખોલી તેમના દ્વારા પ્રથમ પ્રીમિયની રકમ પણ જમા કરાવાઈ

vartmanpravah

…અને દાનહના ડુંગરાળ તથા અંતરિયાળ જંગલ વિસ્‍તાર રાંધાની કન્‍યાઓ ઈન્‍ટરનેટ સાથે જોડાઈ ડિજિટલ ઈન્‍ડિયાનો હિસ્‍સો બની

vartmanpravah

વલસાડ જિલ્લા તમાકુ નિયંત્રણ કમિટીની બેઠક કલેકટર ક્ષિપ્રા આગ્રેના અધ્‍યક્ષસ્‍થાને યોજાઈ

vartmanpravah

સેલવાસ નગરપાલિકા વિસ્‍તારના લોકોને ફરજીયાત સીવરેજ-સેપ્‍ટિક ટેન્‍કની સાફ-સફાઈ કરવા સૂચના

vartmanpravah

Leave a Comment