December 1, 2025
Vartman Pravah
Breaking Newsવલસાડવાપી

વલસાડ – કાંપરી રેલવેફાટક 29મી નવે.થી 05 ડિસે. 2021 સુધી સરકારના પગલે બંધ

વાહન ચાલકોને પાંચ કિલોમીટર ચકરાવો કરી વલસાડ આવવાની ફરજ પડશે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.29
વલસાડ નજીક આવેલું કાંપરી રેલ્‍વે ફાટક નંબર 101નું સમારકામ હોવાથી આવતીકાલે 29થી 5 ડિસેમ્‍બર સુધી ફાટક બંધ કરવામાં આવશે. જેથી વલસાડ અને ડુંગર ચીખલી તરફથી આવતા વાહનોએ પાંચ કિલોમીટરનો ચકરાવો કરી વલસાડ આવવાની ફરજ પડશે.
પશ્ચિમ રેલ્‍વે દ્વારા કોરિડોર યોજના હેઠળ ફોર રેલવે ટ્રેકની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. તો બીજી તરફ અનેક રેલ્‍વે સ્‍ટેશનો નજીક આવેલા રેલ્‍વે ફાટકોનું રીપેરીંગ કામ કરવામાં આવી રહ્યું છે, ત્‍યારે વલસાડ નજીક આવેલા કાપરી ગામે આવેલી રેલ્‍વે ફાટક નંબર 101નું સમારકામ તારીખ 29-11-2021થી આગામી તારીખ 05-12-2021 સુધી 7.00 વાગ્‍યાથી રાત્રે 8.00 વાગ્‍યા સુધી રેલવે ફાટક બંધ રહેશે. તેથી કાંપરી રેલ્‍વે ફાટક વલસાડથી ચીખલી ડુંગરી તરફ જનારા વાહનો તેમજ ચીખલીથી કુંડી હાઈવે થઈ વલસાડ આવનારા વાહનોએ ગુંદલાવ ચોકડી થઈ વલસાડ આવવાની ફરજ પડશે.
આમ કાંપરી રેલવે ફાટક 7 દિવસ સુધી સરકારના પગલે બંધ કરવામાં આવતા વાહન ચાલકોને પાંચ કિલોમીટર ચકરાવો કરી વલસાડઆવવાની ફરજ પડશે.

Related posts

વાપી વી.આઈ.એ.ની 52મી એ.જી.એમ. યોજાઈ: વર્ષ 2023 થી 2026 ની ટર્મ માટે પ્રમુખ તરીકે સતિષભાઈ પટેલની વરણી

vartmanpravah

પ્રદેશ ભાજપ મહિલા મોર્ચાએ સુશાસન દિવસના ઉપલક્ષમાં પૂર્વ પ્રધાનમંત્રી સ્‍વ.અટલ બિહારી વાજપેયી વિશે યોજેલી વક્‍તૃત્‍વ સ્‍પર્ધા

vartmanpravah

નરોલીના કનાડી ફાટક નજીક આવેલ પૉલી પ્રોડક્‍ટ્‍સ કંપનીમાં શનિવારે લાગેલી ભીષણ આગથી કરોડોનું થયેલું નુકસાન

vartmanpravah

બિપરજોય ચક્રવાતને ધ્‍યાનમાં રાખી 17મી જૂન સુધી જમ્‍પોરથી લાઈટ હાઉસ અને સમુદ્ર નારાયણ મંદિરથી પ્રિન્‍સેસ પાર્ક સુધીનો સી-ફ્રન્‍ટ રોડ બંધ રહેશે

vartmanpravah

દેશભરમાં વિજળીના ખાનગીકરણ સામે તેજ થઈ રહેલો અવાજ : 27 લાખ વીજ કર્મીઓ-એન્‍જિનિયરો 23-24મીફેબ્રુ.એ હડતાલમાં જોડાશે

vartmanpravah

કચીગામ ખાતે ભીખીમાતા અને દૂધીમાતા મંદિરના ત્રીજા પાટોત્‍સવની ધામધૂમથી કરાયેલી ઉજવણી

vartmanpravah

Leave a Comment