Vartman Pravah
Breaking Newsવલસાડવાપી

વલસાડ – કાંપરી રેલવેફાટક 29મી નવે.થી 05 ડિસે. 2021 સુધી સરકારના પગલે બંધ

વાહન ચાલકોને પાંચ કિલોમીટર ચકરાવો કરી વલસાડ આવવાની ફરજ પડશે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.29
વલસાડ નજીક આવેલું કાંપરી રેલ્‍વે ફાટક નંબર 101નું સમારકામ હોવાથી આવતીકાલે 29થી 5 ડિસેમ્‍બર સુધી ફાટક બંધ કરવામાં આવશે. જેથી વલસાડ અને ડુંગર ચીખલી તરફથી આવતા વાહનોએ પાંચ કિલોમીટરનો ચકરાવો કરી વલસાડ આવવાની ફરજ પડશે.
પશ્ચિમ રેલ્‍વે દ્વારા કોરિડોર યોજના હેઠળ ફોર રેલવે ટ્રેકની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. તો બીજી તરફ અનેક રેલ્‍વે સ્‍ટેશનો નજીક આવેલા રેલ્‍વે ફાટકોનું રીપેરીંગ કામ કરવામાં આવી રહ્યું છે, ત્‍યારે વલસાડ નજીક આવેલા કાપરી ગામે આવેલી રેલ્‍વે ફાટક નંબર 101નું સમારકામ તારીખ 29-11-2021થી આગામી તારીખ 05-12-2021 સુધી 7.00 વાગ્‍યાથી રાત્રે 8.00 વાગ્‍યા સુધી રેલવે ફાટક બંધ રહેશે. તેથી કાંપરી રેલ્‍વે ફાટક વલસાડથી ચીખલી ડુંગરી તરફ જનારા વાહનો તેમજ ચીખલીથી કુંડી હાઈવે થઈ વલસાડ આવનારા વાહનોએ ગુંદલાવ ચોકડી થઈ વલસાડ આવવાની ફરજ પડશે.
આમ કાંપરી રેલવે ફાટક 7 દિવસ સુધી સરકારના પગલે બંધ કરવામાં આવતા વાહન ચાલકોને પાંચ કિલોમીટર ચકરાવો કરી વલસાડઆવવાની ફરજ પડશે.

Related posts

વાપી સમર્પણ જ્ઞાન સ્‍કૂલના વિદ્યાર્થીઓ સ્‍કૂલ ફેડરેશન ઓફ ઈન્‍ડિયામાં ઉત્‍કૃષ્‍ટ પ્રદર્શન

vartmanpravah

‘વિશ્વ વસતી દિવસ’ નિમિતે દાદરા નગર હવેલી સ્‍કાઉટ ગાઈડ દ્વારા ચિત્રકામ સ્‍પર્ધા યોજાઈ

vartmanpravah

દમણના કલેક્‍ટર ડો. તપસ્‍યા રાઘવની દિલ્‍હી બદલીનો આદેશઃ દરેક વિભાગોમાં નિષ્‍ઠા અને કર્મઠતાથી બજાવેલી ફરજ

vartmanpravah

દમણ-દીવના સાંસદ લાલુભાઈ પટેલે પાકિસ્‍તાની જેલમાં બંદીવાન માછીમારોને છોડાવવા લોકસભામાં કરેલી સિંહગર્જના: વિદેશ મંત્રીને દરમિયાનગીરી કરવા કરેલી હાકલ

vartmanpravah

ડાંગ જિલ્લામાં માનવભક્ષી દીપડાનો આતંક યથાવત્‌: આહવાના નડગખાડી ગામના આધેડને દીપડાએ ફાડી ખાતા સ્‍થાનિકોમાં ભયનો માહોલ

vartmanpravah

દમણની વૈદિક ડેન્‍ટલ કોલેજ દ્વારા ઉદવાડા-પરિયાના આધાર ટ્રસ્‍ટ ખાતે ડેન્‍ટલ ચેકઅપ કેમ્‍પનું કરાયેલું આયોજન

vartmanpravah

Leave a Comment