Vartman Pravah
Breaking Newsસેલવાસ

સેલવાસ નગરપાલિકા દ્વારા રીંગરોડ નજીક ગેરકાયદેસર પથ વિક્રેતાઓ સામે કાર્યવાહી કરાઈ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.01
સેલવાસ નગરપાલિકા દ્વારાયાત્રી નિવાસથી પીપરીયા રીંગરોડ પર ગેરકાયદેસર રીતે લારી અને દુકાનો ચલાવનાર સામે કાયદેસરની કાર્યવાહી કરવામા આવી હતી.
પાલિકા દ્વારા શહેરના અંદાજીત 1285 પથ વિક્રેતાઓને ડીજીટલ ઓળખપત્ર આપવામા આવેલ છે જે પથવિક્રેતાઓ પાસે અન્‍ય પણ આવકના સ્‍તોત્ર છે તેવા 130 લોકોને નોટિસ આપવામા આવેલ છે.એની સાથે પાલિકા વિસ્‍તારમા ગેરકાયદેસર ધંધો કરનાર લોકાનું પ્રમાણ વધી રહ્યુ છે જેઓ સામે કાર્યવાહી કરવા માટે પાલિકાની ટીમ દ્વારા યાત્રીનિવાસથી લઈ પીપરીયા પોલીસ સ્‍ટેશન સુધીમાં 16 ગેરકાયદેસર લારી અને દુકાનો સામે કાર્યવાહી કરવામા આવી હતી.
પાલિકા વિસ્‍તારમાં પથવિક્રેતાઓએ ધંધો કરવા માટે ઓળખપત્ર મેળવી લેવુ અનિવાર્ય છે જેઓ સામે ઓળખપત્ર નહી હશે તેઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવામા આવશે. પાલિકા દ્વારા દરેકને નિવેદન કરવામા આવ્‍યું છે કે, કોઈપણ પથ વિક્રેતા જીવિકા સરંક્ષણ અને પથવિક્રયના વિનિયમન અધિનિયમ 2014નો ઉલ્લંઘન કરતા ધ્‍યાનમાં આવે તો ઓનલાઈન અથવા તો હેલ્‍પલાઇન નંબર 83472611 પર ફરિયાદ કરી શકાશે.

Related posts

વલસાડ લીલાપોર કોસ્‍ટલ હાઈવે ઉપર રેતી ભરેલ ટ્રક પલટી મારી જતા દોડધામ મચી ગઈ

vartmanpravah

રેલવે અને પોસ્‍ટ વિભાગના સંયુક્‍ત સાહસથી ચાલતી પાર્સલ સુવિધા ઉમરગામમાં કાર્યરત કરવા યોજેલ કાર્યક્રમ

vartmanpravah

વલસાડ-ડાંગ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર ધવલભાઈ પટેલે સરીગામ ઔદ્યોગિક વિસ્‍તારમાં વિવિધ ઔદ્યોગિક એકમોમાં કાર્યકરો સાથે કરેલી ચૂંટણી સભા

vartmanpravah

વલસાડ જિલ્લામાં 303 ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં 64.32 ટકા નોંધાયેલું મતદાન: 21ના મંગળવારે જે તે મતદાન ગણતરી કેન્‍દ્રો ઉપર મતદાન ગણતરી હાથ ધરવામાં આવનાર છે

vartmanpravah

સેલવાસની પ્રમુખ ગાર્ડન સોસાયટીમાં નવતર અને રોચક રીતેથયેલી આંતરરાષ્‍ટ્રીય મહિલા દિવસની ઉજવણી

vartmanpravah

ગાંધીનગર સુવર્ણ સંકુલમાં નાણા-ઊર્જા મંત્રી કનુભાઈ દેસાઈએ પૂજા-અર્ચના સાથે ઓફિસનો શુભારંભ કર્યો

vartmanpravah

Leave a Comment