July 17, 2026
Vartman Pravah
Breaking Newsદીવદેશ

દીવ કોલેજમાં ‘આઝાદી કા અમૃત મહોત્‍સવ’ અંતર્ગત એઈડ્‍સ જાગૃતિ કાર્યક્રમ યોજાયો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દીવ, તા. 01
દીવમાં તા. 01/12/2021ને મંગળવારના દીવ કોલેજ દીવના એન.એસ.એસ. વિભાગ તથા સાહિત્‍ય પરિષદના સંયુક્‍ત ઉપક્રમે ‘આઝાદી કા અમૃત મહોત્‍સવ’ અંતર્ગત એઈડ્‍સ જાગૃતિ શિબિર સમજ આકાશવાણી, રાજકોટ દ્વારાદેશભક્‍તિ ગીત સ્‍પર્ધાનું આયોજન કરવામાં આવ્‍યું હતું.
આ પ્રસંગે એસ.એસ.પ્રોગ્રામ કો-ઓર્ડિનેટર કુ. કોકિલા ડાભીએ સર્વેને આવકાર્યા હતા અને કોલેજના સહશૈક્ષણિક પ્રવૃત્તિઓના અધ્‍યક્ષ ડો. હર્ષદ ચૌહાણે કાર્યક્રમની રૂપરેખા પ્રસ્‍તુત કરી હતી તેમજ શાબ્‍દિક સ્‍વાગત ડો. દીપક સૌદરવાએ કર્યુ હતું. સ્‍પર્ધાના નિર્ણાયક તરીકેની સેવા ડો.સુશીલા વાઘમશીએ નિભાવી હતી.
આકાશવાણી તરફથી શ્રી ભરતભાઈ, સીએચસી ઘોઘલા એચઆઈવી એઈડસ વિભાગ તરફથી શ્રીમતી નીકી પટેલીયા તથા શ્રીમતી એકતા દમણિયા ઉપસ્‍થિત રહી વિદ્યાથીૃઓને એચઆઈવી અઇડ્‍સ વિશેની માહિતી આપી તેઓને મુંઝવતા પ્રશ્નોનું નિવારણ કરવાનો પ્રયત્‍ન કર્યો હતો.
સમગ્ર શિબિર કોલેજના આચાર્ય શ્રીમાન વૈભવ રિખારીના માર્ગદર્શન હેઠળ સફળ થયો હતો. આકાશવાણી, રાજકોટ દ્વારા દેશભક્‍તિ ગીત સ્‍પર્ધાનું આયોજન કરવામાં આવેલ બોયઝમાં હેમાંગકુમાર પ્રથમ સ્‍થાને, દર્શક બીજા સ્‍થાને અને કબીરે ત્રીજો ક્રમાંક પ્રાપ્ત કર્યો હતો. જ્‍યારે ગર્લ્‍સમાં નીકીતા પ્રથમ, ધૃવીકા દ્ગિતીય અને ઉપકૃતિએ ત્રીજો ક્રમાંક પ્રાપ્ત કર્યો હતો.

Related posts

પારડીના પરિયામાં મહાકાય અજગર ઘર નજીક આવી મરઘાંનું મારણ કરતા ફેલાયેલો ભયનો માહોલ

vartmanpravah

વાપીને દેશમાં પ્રથમ કેન્‍દ્રીય જળ શક્‍તિ મંત્રાલય દ્વારા પાણી વ્‍યવસ્‍થાપન માટે રાષ્‍ટ્રીય જળ પુરસ્‍કાર મળ્‍યો

vartmanpravah

સેલવાસમાં ગણપતિ વિસર્જન દરમ્‍યાન એક યુવાન નદીમાં ડૂબ્‍યો

vartmanpravah

કૃષિ પ્રાયોગિક કેન્‍દ્ર પરીયા દ્વારા ‘ખેડૂત તાલીમ કમ ટેકનોલોજી નિદર્શન’ કાર્યક્રમ યોજાયો

vartmanpravah

રૂ. ૧૫ લાખના ખર્ચે વન સેવા મહા વિદ્યાલય બીલપુડીનું નવું મકાન બનાવાશે: નાણાં મંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે ખાતમુહૂર્ત કરાયું

vartmanpravah

લોકોના પ્રશ્નોનું સ્‍થળ ઉપર જ નિરાકરણનો રાજ્‍ય સરકારનો અનોખો કાર્યક્રમ એટલે ‘સ્‍વાગત’

vartmanpravah

Leave a Comment