Vartman Pravah
Breaking Newsવાપી

વાપી ચાર રસ્‍તા ઉપર યુવાનની કરપિણ હત્‍યાનો ભેદ ઉકેલાયો : કુહાડીથી ઘા કરનાર મુખ્‍ય આરોપી હજુ ફરાર

સલમાનની કુહાડીના ઘા કરનાર હત્‍યારા સઈદના પિતા અનવર અને એક સગીરની કરાઈ ધરપકડ

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.07
વાપી હાઈવે ચાર રસ્‍તા ઉપર ગત શનિવારે સાંજે વતનની અદાવતમાં બોસ્‍ટન ટી સ્‍ટોલ સામે એક યુવાન ઉપર ઉપરા-ઉપરી કુહાડીના ઘા કરી ક્રુર હત્‍યા કરી હતી. આ હત્‍યાનો ભેદ પોલીસે ઉકેલ્‍યો છે. હત્‍યા કરનાર મુખ્‍ય આરોપી હજુ પોલીસ પકડથી દૂર છે પરંતુ તેના પિતા અને એક સગીરને પોલીસે ધરપકડ કરી લીધી છે.
પ્રાપ્ત વિગતો મુજબ વાપી ડુંગરામાં રહેતો ઈન્‍તઝાર શેખ ઉર્ફે સલમાન 20 દિવસ પહેલાં વતન યુ.પી. ગયો હતો ત્‍યાં બહેન શબનમ અને પુત્રી સિમરન સાથે ઝઘડો થયો હતો. જેની પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. આ ઝઘડાની અદાવત રાખી મામા-ફોઈના સબંધી થતા ભાણીયા સઈદ અને તેના ભાઈ તથા પિતા અનવર શેખ 1400 કિ.મી. દૂરથી અદાવતનો બદલો લેવા વાપી આવેલા સઈદે શનિવારે સાંજે 6 વાગ્‍યાના સુમારે બોસ્‍ટન ટી સ્‍ટોર્સ ચાર રસ્‍તા વાપી ચા પી રહેલ સલમાન ઉપર કુહાડીના ચાર પાંચ ઘા ઝીકી હત્‍યા કરી ફરાર થઈ ગયો હતો. સમગ્ર ઘટના સી.સી.ટી.વી.માં કેદ થઈ હતી તે ફૂટેજને આધારે પોલીસેસઈદના પિતા અનવર શેખ અને સગીરે મદદગારી કરી હતી તે બદલ હાઈવે ઉપરથી બાતમી આધારે ગત સાંજે ઝડપી લીધા હતા. જ્‍યારે મુખ્‍ય આરોપી સઈદ બાઈક ઉપર ફરાર થઈ ગયેલ તે બન્નેને પોલીસ શોધી રહી છે. ગણતરીના કલાકોમાં પોલીસને યુવાનની કરપીણ હત્‍યાનો ભેદ ઉકેલવાની સફળતા મળી છે.

Related posts

પારડી પોલીસ સ્‍ટેશનના પી.એસ.આઈ. જે.એન.સોલંકીની અધ્‍યક્ષતામાં ગણેશ મંડળો સાથે બેઠકનું થયેલું આયોજન

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલનું ફિજીના વડાપ્રધાન સિટીવેની રાબુકાજી અને નાયબ વડાપ્રધાન બિમન પ્રસાદે કરેલું ઉમળકાભેર ભાવભીનું અભિવાદન

vartmanpravah

પોલીસ બેન્‍ડની સુરાવલી સાથે વલસાડમાં વિકાસ પદયાત્રા નીકળીઃ ઘોડે સવાર પોલીસે આકર્ષણ જમાવ્‍યું

vartmanpravah

રાજયના નાણાં, ઉર્જા અને પ્રેટ્રોકેમિકલ્સ મંત્રી કનુભાઇ દેસાઇના હસ્તે ઉમરગામ નગરપાલિકાના રૂા. ૭.૧ કરોડના વિકાસના કામોનું લોકાર્પણ, ખાતમુર્હૂત અને ભૂમિપૂજન કરાયું

vartmanpravah

સરીગામ પંચાયતે પકડેલી વિકાસની તેજ રફતારઃ રૂ.18 લાખના વિકાસના કામોના લોકાર્પણ સાથે રૂા.15.5 લાખના ખર્ચે નિર્માણ થનારા કામોના કરવામાં આવેલ ખાતમુર્હૂત

vartmanpravah

સરીગામની વેન પેટ્રોકેમ એન્‍ડ ફાર્મા કંપનીની મોટી હોનારતમાં એનજીટીનો હુકમ: મૃતકોને રૂા.20 લાખ અને ઈજાગ્રસ્‍તોને રૂા.10 લાખના વળતર ચુકવણીના આદેશથી પરિવારોને મળેલી આંશિક રાહતઃ જીપીસીબીને નોટિસની ફટકાર

vartmanpravah

Leave a Comment