Vartman Pravah
Breaking Newsદેશ

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે લક્ષદ્વીપમાં વિવિધ પ્રોજેક્‍ટોની મુલાકાત લઈ અધિકારીઓને આપેલી દિશા-દોરવણી

લક્ષદ્વીપના પ્રશાસક તરીકે અખત્‍યાર સંભાળ્‍યાનું એક વર્ષ પૂર્ણ થયું છે ત્‍યારે જોગ-સંજોગથી આજે લક્ષદ્વીપની મુલાકાતે આવી છેલ્લા એક વર્ષ દરમિયાન સુધારાની શરૂ થયેલી હકારાત્‍મક અસરોની પણ મેળવેલી માહિતી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ/લક્ષદ્વીપ, તા.09
કેન્‍દ્ર શાસિત પ્રદેશ લક્ષદ્વીપના પ્રશાસક તરીકે શ્રી પ્રફુલભાઈ પટેલે અખત્‍યાર સંભાળ્‍યાનું આજે એક વર્ષ પૂર્ણ થતાં સંજોગોવસાત તેમનું લક્ષદ્વીપમાં આગમન પણ થયું છે.
આજે પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે છેલ્લા એક વર્ષ દરમિયાન સુધારાની શરૂ થયેલ હકારાત્‍મક અસરોની જાણકારી મેળવી હતી અને વિવિધ પ્રોજેક્‍ટોની વર્તમાન સ્‍થિતિની માહિતી પણ મેળવી હતી.
લક્ષદ્વીપ ખાતે પ્રશાસકશ્રીના સલાહકારથી માંડી પ્રશાસનિક ટીમે શરૂ કરાયેલા વિવિધ પ્રોજેક્‍ટોના સ્‍ટેટસની વિસ્‍તૃત માહિતી આપી હતી.
પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે પોતાની લક્ષદ્વીપ મુલાકાતના પહેલા દિવસે અગત્તી ખાતે એરપોર્ટ વિસ્‍તૃતીકરણ વિસ્‍તાર, પ્રવાસન વિકાસ તથા સીવીડ કલ્‍ચર (સમુદ્રી શેવાળની ખેતી) જેવા પ્રોજેક્‍ટની મુલાકાત લઈ વિકાસલક્ષી કામો અંગે અધિકારીઓ પાસે જાણકારી મેળવી અને તેમને યોગ્‍યદિશા-દોરવણી પણ આપી હતી.
સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલ સાથે લક્ષદ્વીપના પ્રશાસનિક અધિકારીઓ તથા તેમના અંગત સલાહકાર શ્રી ડી.એ.સત્‍યા પણ જોડાયા હતા.

Related posts

દમણથી પ્રકાશિત હિન્‍દી દૈનિક અસલી આઝાદીના તંત્રી અને માલિક વિજય ભટ્ટના માતૃશ્રી ઉષાબેન ભટ્ટનું નિધન: સ્‍વ. ઉષાબેન ભટ્ટે પોતાના સંતાનોને સંઘર્ષ અને સેવાના સિંચેલા સંસ્‍કાર

vartmanpravah

આઝાદીના અમૃત મહોત્‍સવની અનોખી ઉજવણી: દિલ્‍હીથી 34 રાજ્‍યોમાં ક્‍વીટ ઈન્‍ડિયાની થીમ હેઠળ નિકળેલ 10 મહિલા સહિત 7પ બાઈર્સનું પારડી-વલસાડમાં ભવ્‍ય સન્‍માન કરાયું

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે ટ્‍વીટ કરી ભારતીય સશસ્ત્ર દળના જનરલ બિપીન રાવતના અકાળે થયેલા અવસાનની વ્‍યક્‍ત કરેલી દુઃખની લાગણી

vartmanpravah

વાપી ડુંગરી ફળીયામાં આગનું તાંડવ યથાવત: સતત પાંચમા દિવસે આગ: મેજર કોલ જાહેર

vartmanpravah

સેલવાસના માનસિક રીતે અસ્‍થિર યુવાનની લાશ નાળામાંથી મળી આવી

vartmanpravah

‘હર ઘર તિરંગા’ અભિયાન અંતર્ગત તા.13 થી 15 ઓગસ્‍ટ દરમિયાન દમણના દરેક ઉદ્યોગોની ઈમારત ઉપર તિરંગો લહેરાશેઃ ડીઆઈએની બેઠકમાં લેવાયેલો નિર્ણય

vartmanpravah

Leave a Comment