April 17, 2026
Vartman Pravah
Breaking Newsદમણદીવદેશ

દાનહ નમો મેડિકલ કોલેજમાં શૈક્ષણિક વર્ષ-2021-22 માટે પ્રવેશનો પ્રારંભ

વેબસાઈટ પર ઓનલાઈન ફોર્મ ભરીને એમ.બી.બી.એસ.ના એડમિશન માટે નોંધણી કરાવી શકાશે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.09
સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અન દમણ-દીવ સાયલી સ્‍થિત નમો મેડિકલ એજ્‍યુકેશન એન્‍ડ રીસર્ચ ઈન્‍સ્‍ટિટયૂટ(નમો મેડિકલ કોલેજ)માં એમ.બી.બી.એસ. શૈક્ષણિક વર્ષ ર0ર1-રર માટે પ્રવેશ શરૂ ગયો છે. જેથી જે પણ વિદ્યાર્થીઓ પ્રવેશ મેળવવા ઈચ્‍છતા હોય તેઓ ઓનલાઈન ફોર્મ ભરી પોતાની નોંધણી કરાવી શકે છે.
નીટની પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓની તમામ માહિતી આ ઓનલાઈન ફોર્મમાં ભરવાની રહેશે તેમજ અન્‍ય ઘણી એવી શૈક્ષણિક અને અંગત માહિતીઓ છે. જેના વિશે ઓનલાઈન ફોર્મમાં પૂછવામાં આવી છે. ફોર્મ ભરતા પહેલા તમામ જરૂરી દસ્‍તાવેજો તમારી સાથે રાખવા કે જેથી ફોર્મ ભરતી વખતે તેને સમજવામાં સરળતા રહે.
નમો મેડિકલકોલેજમાં ઓનલાઈન એડમિશન ફોર્મ ભરીને રજીસ્‍ટ્રેશન કરાવવા માટે વેબસાઈટ રૂરૂરૂ.રુણુણૂત્ર્.ફુઁત્ર્.ઁશણૂ.શઁ અને રૂરૂરૂ.ર્ઁીળંળફૂશ્વર્શીફુળશતતશંઁ.શઁ રાખવામાં આવી છેં જેની મુલાકાત લઈને તમે તમારું ઓનલાઈન એડમિશન ફોર્મ ભરી શકો છો. વેબસાઈટ ઉપર ભ્‍ય્‍બ્‍લ્‍ભ્‍ચ્‍ઘ્‍વ્‍શ્‍લ્‍ (પ્રોસ્‍પેક્‍ટસ) પણ મૂકવામાં આવેલ છે જ્‍યાં તમામ વિદ્યાર્થીઓ કે જેઓ ડોક્‍ટર બનવાની ઈચ્‍છા ધરાવતા હોય અને મેડિકલ કોલેજ માટે લાયક હોય તેઓએ પોતાનું રજીસ્‍ટ્રેશન કરાવવું જોઈએ અને તેમના પોતાના પ્રદેશની નમો મેડિકલ કોલેજમાં પ્રવેશ મેળવી અભ્‍યાસ કરવાનો લાભ લેવો જોઈએ.
ઉપરાંત તમામ માતા-પિતાને વિનંતી કરવામાં આવે છે કે, જો તમારું બાળક અથવા પરિવારનો કોઈ સભ્‍ય મેડિકલ કોલેજમાં એડમિશન લેવા માટે શૈક્ષણિક રીતે લાયક હોય તો તેઓ ઓનલાઈન એડમિશન માટે દર્શાવેલ વેબસાઈટ પર જઈને પોતાનું નામની નોંધણી કરાવી શકે છે.

Related posts

ચીખલી સમરોલી સ્થિત બીએપીએસ સ્વામિનારાયણ મંદિરના દસ વર્ષ પૂર્ણ થતા હરિભક્તો દ્વારા દિવ્યતા અને ભવ્યતા સાથે કરવામાં આવેલી ઉજવણી

vartmanpravah

પ્રદેશ ભાજપ પ્રભારી દુષ્યંતભાઈ પટેલના દિશા-નિર્દેશ અંતર્ગત દાનહ અને દમણ-દીવ પ્રદેશ ભાજપની ટીમે મહારાષ્ટ્રના ડહાણુ વિધાનસભાના ભાજપના ઉમેદવાર વિનોદ સુરેશ મેઢાની તરફેણમાં શરૂ કરેલો પ્રચાર

vartmanpravah

પ્રશાસક પ્રફુલભાઈ પટેલના નેતૃત્વમાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દાનહ અને દમણ-દીવની રાષ્ટ્રીય સ્તરે મળેલી ઍક વધુ સિદ્વિ

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે નાગવા ખાતેના G20ના પ્રતિનિધિઓના આવાસ સ્થળની લીધેલી મુલાકાત

vartmanpravah

વાપી નોટિફાઈડ તંત્ર દ્વારા પાણી વિતરણ સેવા નહી પરંતુ વેપાર છે? : ઉઘાડી લૂંટ ચલાવાઈ રહી છે

vartmanpravah

ચીખલી ખાતે રૂા. 304 લાખના ખર્ચે નવનિર્મિત થનાર બસ સ્‍ટેશનનું ખાતમુહૂર્ત રાજ્‍યના આદિજાતિ વિકાસ મંત્રી નરેશભાઈ પટેલના હસ્‍તે કરાયું

vartmanpravah

Leave a Comment