Vartman Pravah
Breaking Newsવલસાડ

વલસાડઃ વશીયરમાં રેલવેના નવા બ્રિજ માટે ડિમોલીશન કરવા ગયેલ ટીમને સ્‍થાનિકોએ અટકાવતા મામલો ઉગ્ર બન્‍યો: સાત જેટલા મકાનો ડિમોલીશનમાં જતા હોવાથી લોકોએ નોંધાવેલો વિરોધ

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.10
વલસાડના વશીયર ગામે રેલવેના નવિન પુલ માટે જરૂરી જમીન સંપાદન કરવા માટે અધિકારીઓની ટીમ ડિમોલીશન કરવા આજે શુક્રવારે સવારે પહોંચી હતી. સ્‍થાનિકોએ ઉગ્ર વિરોધ કરતા ડિમોલીશનની કામગીરી હાલ પુરતી પડતી મુકવામાં આવી હતી. વલસાડ નજીક આવેલ વશીયર ગામે રેલવેનો નવો પુલ બનનાર હોવાથી તે અંગે જરૂરી જમીન સંપાદન કરવા જાહેર બાંધકામ વિભાગના ઈજનેર એમ.એન. પટેલ અને તેમની ટીમ પોલીસ સાથે વશીયર ગામે ડિમોલીશન કરવા પહોંચી હતી. પરંતુ પુલ માટે જે જમીન સંપાદન થનાર હતી તેમાં 7 જેટલા સ્‍થાનિકોના મકાન આવેલા હોવાથી તેમના મકાન તૂટી જશે, તેઓ ઘર વિહોણા થઈ જશે તે મામલે લોકોએ ઉગ્ર વિરોધ નોંધાવ્‍યો હતો. લોકોની ઉગ્ર રજૂઆત જોતા હાલ પુરતી ડિમોલીશનની કામગીરી પડતી મુકાઈ હતી પરંતુ સંપૂર્ણ તપાસ બાદ તા.16 ડિસેમ્‍બર પછી ફરી ડિમોલીશનની કામગીરી હાથ ધરાશે તેવુ તંત્ર દ્વારા જણાવવામાંઆવ્‍યું હતું.

Related posts

વાપી જીપીસીબીએ આગના બનાવો રોકવા કરવડ, ડુંગરા પંચાયત અને પાલિકા પાસે ગોડાઉનો પરવાનગી અંગેની નકલો મંગાવી

vartmanpravah

આપણા દાદા આપણે આંગણે : આજે વાપી સલવાવ ગુરુકુળ ખાતે શ્રીકષ્ટભંજન હનુમાન દાદાનો રથનું ભવ્‍ય સ્‍વાગત કરાશે

vartmanpravah

67મા મહા પરિનિર્વાણ દિન નિમિત્તે દમણવાડા ગ્રામ પંચાયત દ્વારા વિશ્વ વંદનીય ભારત રત્‍ન ડો.બાબાસાહેબ આંબેડકરને અપાયેલી સ્‍મરણાંજલિ

vartmanpravah

વલસાડ જિલ્લાની બે ખેલાડી હોકીની નેશનલ ચેમ્‍પિયનશીપમાં ભાગ લેશે

vartmanpravah

વાપી મચ્‍છી માર્કેટમાં મોંઘીદાટ બીએમડબલ્‍યુ કારમાંથી 1.29 લાખનો દારૂ ઝડપાયો

vartmanpravah

અનંત ચૌદસના દિવસે પારડીમાં 40 થી વધુ મંડળો દ્વારા ગણેશ વિસર્જન કરાયું

vartmanpravah

Leave a Comment