April 29, 2024
Vartman Pravah
Breaking Newsદમણ

પ્રશાસક પ્રફુલભાઈ પટેલનો અથાક પરિશ્રમ : નવા લક્ષદ્વીપના નિર્માણનો જયઘોષ: કડમત ટાપુ ખાતે સી.યુ.સી., નિઓટ, વેસ્‍ટર્ન જેટી, નર્સરી સ્‍કૂલ અને એસ.બી.એસ. સેન્‍ટર જેવા વિસ્‍તારોની મુલાકાત અને ગુણવત્તા સાથે નિર્ધારીત સમયમર્યાદામાં કાર્યપૂર્ણ કરવા અધિકારીઓને દિશા-નિર્દેશ

  • આંગણવાડીના નાના બાળકો સાથે ગુફતેગુ કરી મેળવેલો નિજાનંદ
  • કલ્‍પેની ખાતે હોસ્‍પિટલ સાઈટ, પાંચ નંબરની આંગણવાડી, હાર્બર જેટી, બેક વોટર સાઈટની મુલાકાત સાથે વિકાસ કામોની કરેલી સમીક્ષા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
કવરતી, તા.12:
સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે પોતાની લક્ષદ્વીપની મુલાકાત દરમિયાન કડમત ટાપુ ખાતે સી.યુ.સી., નિઓટ, વેસ્‍ટર્ન જેટી, નર્સરી સ્‍કૂલ અને એસ.બી.એસ. સેન્‍ટર જેવા વિસ્‍તારોની શનિવારે મુલાકાત લઈ વિકાસના કામો શ્રેષ્‍ઠ રીતે વધારવા અને ગુણવત્તાની સાથે નિર્ધારીત સમયમર્યાદામાં પૂર્ણ કરવા અધિકારીઓને દિશા-નિર્દેશો આપ્‍યા હતાં.
આજે લક્ષદ્વીપના કલ્‍પેની ખાતે વિકાસ કામો અને પ્રશાસનિક સુવિધાઓ સૂચારૂ અને નીતિ-નિયમોની મર્યાદામાં ચાલે તેની જાણકારી મેળવવા માટે હોસ્‍પિટલ સાઈટ, પાંચ નંબરની આંગણવાડી, હાર્બર જેટી, બેક વોટર સાઈટ જેવા વિસ્‍તારોનું નિરીક્ષણ પણ કર્યુ હતું.
દરમિયાન સંઘપ્રદેશનાપ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે દેશનું આવતી કાલનું ભવિષ્‍ય એવા નાના બાળકો સાથે ખાસ્‍સો સમય રહી તેમની સાથે વાતચીત પણ કરી હતી.
અત્રે નોંધનીય છે કે, લક્ષદ્વીપના પ્રશાસક તરીકેના એક વર્ષના કાર્યકાળ દરમિયાન શ્રી પ્રફુલભાઈ પટેલે પ્રદેશના ઓલ રાઉન્‍ડ વિકાસ ઉપર પોતાનું ફોકસ કેન્‍દ્રિત કર્યુ છે અને લક્ષદ્વીપના લગભગ દરેક ટાપુ ઉપર તેમણે રૂબરૂ પહોંચી ત્‍યાંની ભૌગોલિક અને સાંપ્રત પરિસ્‍થિતિનો અભ્‍યાસ કરી તે ક્ષેત્રનો સર્વાંગી વિકાસ કેવી રીતે થાય તેના અભ્‍યાસ ઉપર પોતાની નજર દોડાવી છે. જેના કારણે આજે નવા લક્ષદ્વીપના નિર્માણનો જયઘોષ થઈ રહ્યો છે.

Related posts

દાદરા નગર હવેલી રોટરી ક્‍લબના સહયોગથી દાનહ જિલ્લા પ્રશાસન દ્વારા મહિલાઓના ગર્ભાશય અને સ્‍તન કેન્‍સરના નિદાન માટે ત્રિ-દિવસીય શિબિરનું આયોજન

vartmanpravah

દાનહની શ્રીમતી દેવકીબા કોલેજના વનસ્‍પતિ વિભાગના વિદ્યાર્થીઓએ કર્યું હર્બલ હોળી રંગ ક્રોમેટિકાનું ઉત્‍પાદન

vartmanpravah

કપરાડાના શ્રમિક યુવકનું ધગડમાળમાં અકસ્‍માત: અંધારામાં લાઈટ વિના રોંગ સાઇડે પાર્ક કરેલ ટ્રકમાં બાઈક ઘૂસી જતાં ચાલકનું મોત

vartmanpravah

પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદી એપ્રિલના બીજા પખવાડિયામાં સેલવાસ-દમણની મુલાકાતે આવી શકે છે

vartmanpravah

નેશનાલિસ્‍ટ કોંગ્રેસ પાર્ટીના નવી દિલ્‍હીમાં યોજાયેલ રાષ્‍ટ્રીય કન્‍વેન્‍શનમાં દાનહ-દમણ-દીવના એનસીપી સ્‍ટેટ પ્રેસિડેન્‍ટ તરીકે ધવલભાઈ દેસાઈની વરણી ઉપર નેશનલ પ્રેસિડેન્‍ટ શરદ પવારે મારેલી મહોર

vartmanpravah

વલસાડ જિલ્લામાં તા. 22મી મે, રવિવારનાં રોજ કોવિડ-19 વેક્‍સિનેશન મેગા કેમ્‍પ યોજાશે

vartmanpravah

Leave a Comment