Vartman Pravah
Breaking Newsદમણ

ભિખી માતા અને દુધી માતાના નવનિર્મિત મંદિરના પ્રાણ-પ્રતિષ્‍ઠા મહોત્‍સવમાં દમણના કચીગામ કાછલ ફળિયા સહિત સમગ્ર વિસ્‍તાર ભક્‍તિમય બન્‍યો

કચીગામ ચાર રસ્‍તા સુધી નિકળેલી શોભાયાત્રામાં જોડાયેલું આખું કચીગામ : મહાપ્રસાદ સાથે પ્રાણ-પ્રતિષ્‍ઠા મહોત્‍સવ સંપન્ન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.13
દમણના કચીગામ કાછલ ફળિયા ખાતે ભિખી માતા અને દુધી માતાના નવનિર્મિત મંદિરના પ્રાણ-પ્રતિષ્‍ઠા મહોત્‍સવનું આજે સમાપન થયું હતું. છેલ્લા ત્રણ દિવસથી ચાલી રહેલ પ્રાણ-પ્રતિષ્‍ઠા મહોત્‍સવમાં ફક્‍ત કચીગામ જ નહીં પરંતુ સમગ્ર દમણ ભક્‍તિભાવથી ઉપસ્‍થિત રહી આજે મહાપ્રસાદમાં પણ સેંકડો ભાવિકભક્‍તો જોડાયા હતા.
કાછલ ફળિયાના ભિખી માતા અને દુધી માતાના પ્રાણ પ્રતિષ્‍ઠા મહોત્‍સવ નિમિત્તે મોટી શોભાયાત્રા પણ કચીગામ ચાર રસ્‍તા સુધી જઈ પરત મંદિરના પટાંગણમાં પહોંચી હતી. સાંસદ શ્રી લાલુભાઈ પટેલ એમના પુત્ર અને યુવા નેતા શ્રી ગૌરાંગ લાલુભાઈ પટેલ સહિતની ટીમ તથા શ્રી ઈશ્વરભાઈ અને તેમના સાથીદારોએ આ સમગ્ર કાર્યક્રમને સફળ અને યશસ્‍વી બનાવવા પોતાના તન, મન અને ધનનું યોગદાન આપ્‍યું હતું. મનિષા વસાવા અને તેમના સાથીઓએ ભજન અને ભક્‍તિ ગીતનીજમાવેલી રમઝટથી સમગ્ર વાતાવરણ ભક્‍તિમય બનવા પામ્‍યું હતું.

Related posts

ચીખલી પોલીસે બારોલીયાથી વિદેશી દારૂનો જથ્‍થો ઝડપ્‍યો : 3 વોન્‍ટેડ

vartmanpravah

સેલ્‍યુટ તિરંગા સંસ્‍થા દ્વારા ન્‍યુ દિલ્‍હી ખાતે રાષ્‍ટ્રીય મહિલા સંમેલન યોજાયું

vartmanpravah

દમણ એરપોર્ટ ખાતે સાંસદ સહિતમહાનુભાવોએ પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીનું કરેલું અભિવાદન

vartmanpravah

ચીખલી-ખેરગામ તાલુકામાં સામી દિવાળીએ માર્ગ મકાન વિભાગ દ્વારા 25 રસ્‍તાઓનું નવીનીકરણ કરાતા લોકોમાં રાહત

vartmanpravah

દમણવાડા ગ્રા.પં.માં રાષ્‍ટ્રીય ટીકાકરણ દિવસની ઉત્‍સાહપૂર્વક થયેલી ઉજવણી

vartmanpravah

કોંગ્રેસના ગઢ ઉનાઈ ખાતે ગૃહમંત્રી અમિત શાહે બિરસા મુંડા આદિવાસી ગૌરવ યાત્રાનો પ્રારંભ કરાવ્‍યો

vartmanpravah

Leave a Comment