April 19, 2026
Vartman Pravah
Breaking Newsદમણદીવદેશસેલવાસ

દમણવાડા ગ્રામપંચાયતમાં એનડીઆરએફની ટીમે આપત્તિના સમયે સલામતી માટે લેવાનારા પગલાની આપેલી જાણકારી

એનડીઆરએફ વડોદરાની ટીમના આસિસ્‍ટન્‍ટ કમાન્‍ડન્‍ટ રાકેશ સિંઘ, સરપંચ મુકેશ ગોસાવી, પુષ્‍પા રાઠોડ ગોસાવી, આસિ.એન્‍જિ. ભાસ્‍કરન, ચંદ્રેશ પટેલ, ગણેશભાઈ પટેલ સહિતના આગેવાનોની રહેલી ઉપસ્‍થિતિ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.14
દમણવાડા ગ્રામ પંચાયતના પટાંગણમાં આજે નેશનલ ડીઝાસ્‍ટર રીસ્‍પોન્‍સ ફોર્સ(એનડીઆરએફ), વડોદરાની ટીમે આપત્તિના સમયે રાખવાની કાળજીના સંબંધમાં વિસ્‍તૃત સમજ આપી હતી.
ત્‍સુનામી, વાવાઝોડા, પુર, જળપ્રલય, આગ, ધરતીકંપ જેવી કુદરતી અને માનવસર્જિત આફતમાં સુરક્ષિત કેવી રીતે રહેવું તેની પ્રયોગની સાથે જાણકારી આપવામાં આવી હતી.
અકસ્‍માત તથા હૃદયરોગના હુમલા સમયે દર્દીને શરૂઆતમાં કેવી પ્રાથમિક સારવાર આપવી તેની પણ સમજ આપવામાં આવી હતી. આ પ્રસંગે દમણવાડા ગ્રામ પંચાયતના સરપંચ શ્રી મુકેશ ગોસાવી, એનડીઆરએફના આસિસ્‍ટન્‍ટ કમાન્‍ડન્‍ટ શ્રી રાકેશ સિંઘ, દમણ વિદ્યુત વિભાગના સહાયક એન્‍જિનીયર શ્રી ભાસ્‍કરન, સ્‍ટેટ ડેઝિગ્નેટેડ એજન્‍સીના શ્રી ચંદ્રેશભાઈ પટેલ, શ્રી ગણેશભાઈ પટેલ સહિત ગ્રામજનો પણ ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

સંઘપ્રદેશમાં વારે-તહેવારે પ્રશાસક પ્રફુલભાઈ પટેલને હટાવવાનો મુદ્દો કેમ ઉઠતો રહે છે?

vartmanpravah

પારડી વૈજનાથ મહાદેવ મંદિરનો 26મો પાટોત્‍સવ ઉજવાયો

vartmanpravah

વલસાડ જિલ્લા 25 કેન્‍દ્રો ઉપર ગુજકેટની જાહેર પરીક્ષા પૂર્ણ : 6124 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી

vartmanpravah

સરીગામ સીઇટીપીની નાજુક સ્‍થિતિ

vartmanpravah

સેલવાસ શ્રી ગાયત્રી પરિવાર ટ્રસ્‍ટ દ્વારા પિતૃ કૃપાર્થે આયોજીત શ્રીમદ્‌ ભાગવત જ્ઞાન યજ્ઞ સપ્તાહનો પ્રારંભ

vartmanpravah

દમણ જિલ્લામાં ગ્રામ પંચાયતો દ્વારા સ્‍વચ્‍છતા હી સેવા અંતર્ગત વિવિધ હેલ્‍થ સેન્‍ટર સહિત સરકારી ઉપક્રમોની કરેલી સાફ-સફાઈ

vartmanpravah

Leave a Comment