Vartman Pravah
Breaking Newsપારડી

પારડી બાર એસોસિએશન દ્વારા વકીલ મંડળોની રચના

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
પારડી, તા.14
સમગ્ર ગુજરાતમાં વકીલ મંડળોની રચના તા.14-12-2021ના રોજ થઈ રહી છે ત્‍યારે પારડી બાર એસોસિએશન દ્વારા પણ આજરોજ વકીલ મંડળોની રચના કરવામાં આવી છે.
પારડી બાર એસોસિએશનની વર્ષોની પરંપરા અને એકતા છે કે પારડીમાં ઈલેકશન નહી પરંતુ વર્ષોથી સર્વ સંમતિથી સિલેકશનથી બિનહરીફ વકિલ મંડળોની રચના થતી આવી છે. વર્ષોની પરંપરાને અનુસરી આજરોજ પણ બે વર્ષ માટેની વકીલ મંડળોની જાહેરાત ચૂંટણી કમિશનર અને એડવોકેટ એવા શ્રી કિર્તીભાઈ આર. રાજપૂતે કરી હતી. જેમાં પ્રમુખ તરીકે શ્રી ભરતભાઈ મોહનભાઈપટેલ, ઉપપ્રમુખ શ્રી હિતેશભાઈ મોહનભાઈ પટેલ, સેક્રેટરી શ્રી હિતેશભાઈ રમેશભાઈ પટેલ, જોઈન્‍ટ સેક્રેટરી શ્રી અશ્વીનભાઈ રમણભાઈ દેસાઈ, ખજાનચી શ્રી માંગીલાલ રાજપુરોહિત, લાઈબ્રેરીયન શ્રી રોનકભાઈ એમ. રાણા તથા ઈ. લાઈબ્રેરીયન તરીકે શ્રી જીનેશભાઈ અનીલભાઈ મપારાની વરણી કરવામાં આવી હતી.
મોટી સંખ્‍યામાં ઉપસ્‍થિત તમામ વકિલ મિત્રોએ તમામ ચૂંટાયેલા હોદ્દેદારોને અભિનંદન આપ્‍યા હતા. નવા નિમાયેલા વકીલ મંડળના પ્રમુખ શ્રી ભરતભાઈ મોહનભાઈ પટેલને વલસાડ જિલ્લા નોટરી એસોસિએશનના પણ પ્રમુખ બનાવવામાં આવ્‍યા છે. તેઓએ આ પ્રસંગે સૌનો આભાર માની કોર્ટની પવિત્રતા જાળવી રાખવાની સાથે પારડીના કોર્ટનું નવુ બિલ્‍ડીંગ જલ્‍દીથી બને તેની પ્રાથમિકતા આપવાનું જણાવ્‍યું હતું.

Related posts

લક્ષદ્વીપના જિલ્લા અને ગ્રામ પંચાયતના પ્રતિનિધિ મંડળે દમણ જિલ્લા પંચાયતની લીધેલી મુલાકાત પેટાઃ બંને કેન્‍દ્ર શાસિત પ્રદેશોના વિકાસની થયેલી ચર્ચાઃ મોદી સરકારના આગમન બાદ પ્રશાસક પ્રફુલભાઈ પટેલના નેતૃત્‍વમાં દાદરા નગર હવેલી અને દમણ-દીવનો દરેક ક્ષેત્રે થયેલો અકલ્‍પનીય વિકાસ પેટાઃ પ્રશાસક પ્રફુલભાઈ પટેલના નેતૃત્‍વમાં લક્ષદ્વીપના લકને પણ ચાર ચાંદ લાગી રહ્યા હોવાનું લક્ષદ્વીપના પ્રતિનિધિ મંડળનું મંતવ્‍ય (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા.24 આજે કેન્‍દ્ર શાસિત પ્રદેશ લક્ષદ્વીપના જિલ્લા પંચાયત અને ગ્રામ પંચાયતના પ્રતિનિધિ મંડળે દમણની મુલાકાત લીધી હતી અને સાંજે દમણ જિલ્લા પંચાયત ખાતે સરપંચો અને જિલ્લા પંચાયત સભ્‍યો સાથે વિચારોનું આદાન-પ્રદાન પણ કરાયું હતું. દમણ જિલ્લા પંચાયત ખાતે લક્ષદ્વીપ અને દમણના જિલ્લા પંચાયત તથા સરપંચો સાથે આયોજીત બેઠકનું નેતૃત્‍વ દમણ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી નવિનભાઈ પટેલે કર્યું હતું. દમણ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી નવિનભાઈ પટેલે લક્ષદ્વીપના પ્રમુખ અને ચીફ કાઉન્‍સેલર શ્રી હસન બોડુમુકાગોથી સહિત અન્‍ય 19 સભ્‍યોનું અભિવાદન કરતા પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદીની કૃપાદૃષ્‍ટિથી પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના કઠોર પરિશ્રમથી દમણ-દીવ અને દાદરા નગર હવેલીના થયેલા સર્વાંગીવિકાસની ઝલક પ્રસ્‍તુત કરી હતી. તેમણે દમણના થયેલા પ્રવાસન અને શૈક્ષણિક વિકાસની પણ ગાથા જણાવી હતી. આ પ્રસંગે દમણના વિવિધ સરપંચો અને જિલ્લા પંચાયત સભ્‍યોએ પણ દાદરા નગર હવેલી અને દમણ-દીવના થયેલા સર્વાંગી વિકાસ પાછળ પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના અથાક પરિશ્રમ અને તેમની દીર્ઘદૃષ્‍ટિને શ્રેય આપ્‍યો હતો. સભ્‍યોએ ભારપૂર્વક જણાવ્‍યું હતું કે, જ્‍યારે પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલ પ્રદેશના વિકાસની બ્‍લ્‍યુપ્રિન્‍ટ બતાવતા હતા ત્‍યારે કોઈને કલ્‍પના પણ નહીં હતી કે, આવા ટચૂકડા કેન્‍દ્ર શાસિત પ્રદેશમાં શિક્ષણ, સંસ્‍કાર, પ્રવાસન ઉદ્યોગ, મચ્‍છીમારી, ઉદ્યોગ સહિત દરેક ક્ષેત્રે સુપ્રિમ કક્ષાનો વિકાસ થશે. આ પ્રસંગે લક્ષદ્વીપના પ્રતિનિધિ મંડળે પણ દમણની એન્‍જિનિયરીંગ કોલેજ, બીચ રોડ, સ્‍કૂલ વગેરેની કરેલી મુલાકાતથી ખુબ જ પ્રભાવિત થયા હતા અને તેઓએ પણ વિશ્વાસ વ્‍યક્‍ત કર્યો હતો કે, પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના નેતૃત્‍વમાં લક્ષદ્વીપના લકને પણ ચાર ચાંદ લાગી રહ્યા છે. તેઓએ દમણના જિલ્લા પંચાયતના સભ્‍યો અને સરપંચોને લક્ષદ્વીપ આવવાનું આમંત્રણ પણ પાઠવ્‍યું હતું. આ કાર્યક્રમમાં દમણ જિલ્લા પંચાયતના સભ્‍યો અને સરપંચો મોટી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહ્યા હતા.

vartmanpravah

રોટરી રેન્‍જર વલસાડ દ્વારા આઇકોનિક ટીચર એવોર્ડ સમારોહ યોજાયો

vartmanpravah

ખુંટેજથી રોહિણા સુધી દમણગંગા નહેર પર 71 જેટલી ગેરકાયદેસર દુકાનો પર ફરી વળ્‍યું બુલડોઝર

vartmanpravah

દાનહમાં છેલ્લા 24 કલાકમાં 3 કોરોના પોઝિટિવ કેસ નોંધાયાઃ 6 દર્દી રિક્‍વર થયા

vartmanpravah

પારડીના ધારાસભ્‍ય અને કેબિનેટ મંત્રી કનુભાઈ દેસાઈ અમૃત કળશ યાત્રા લઈ પારડી ખાતે પધાર્યા

vartmanpravah

વાપી સલવાવ હાઈવે ઓવરબ્રિજ પાસે લક્‍ઝરી બસમાં દારૂના જથ્‍થા સાથે એક ઝડપાયો

vartmanpravah

Leave a Comment