October 13, 2025
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદેશસેલવાસ

સેલવાસ ન.પા.માં પ્રમુખ અને ઉપ પ્રમુખની વરણી મુદ્દે ભાજપમાં પ્રગટ થયેલો અસંતોષ..?

  • ભાજપના ત્રણ પદાધિકારીઓએ આપેલા રાજીનામા

    રાજીનામા આપનારા ત્રણ પદાધિકારીઓ પૈકી બે વર્તમાન કાઉન્‍સિલરઃ ન.પા.ના કાઉન્‍સિલર પદેથી પણ રાજીનામું આપવા થઈ રહેલી માંગણી

  • (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)

    સેલવાસ, તા.26 : સેલવાસ નગરપાલિકામાં પ્રમુખ અને ઉપ પ્રમુખની વરણીના મુદ્દે ઉભા થયેલા અસંતોષમાં સેલવાસ નગરપાલિકાના કાઉન્‍સિલર શ્રી હિતેશભાઈ જે. પટેલ અને શ્રી મનોજભાઈ આર. દયાતે અનુક્રમે ભાજપ મંડળ-1 શહેરના અધ્‍યક્ષ પદથી અને સેલવાસ જિલ્લા શહેર અનુસૂચિત જનજાતિ મોર્ચાના અધ્‍યક્ષ પદેથી રાજીનામું આપવાની જાહેરાત કરી છે. જ્‍યારે પૂર્વ કાઉન્‍સિલર શ્રી નિલેશ માહ્યાવંશીએ પ્રદેશ અનુસૂચિત જાતિ મોર્ચાના ઉપ પ્રમુખ પદેથી રાજીનામું આપ્‍યું છે અને ત્રણેય ભાજપના પદાધિકારીઓએ પોતાના રાજીનામાનો પત્ર પ્રદેશ ભાજપ પ્રમુખ શ્રીદીપેશભાઈ ટંડેલ તથા સંગઠન મહામંત્રી શ્રી વિવેક દાઢકર અને પ્રદેશ ભાજપ મહામંત્રીને પણ સુપ્રત કર્યો છે.
    દાદરા નગર હવેલીમાં શરૂ થયેલી ચર્ચા પ્રમાણે આ ભાજપના પદાધિકારીઓએ કાઉન્‍સિલર પદેથી રાજીનામું આપવાની પણ હિંમત કરવી જરૂરી હતી. હવે પોતાના રાજીનામા પત્રમાં ફક્‍ત અંગત કારણોથી પદ છોડી રહ્યા હોવાનો ઉલ્લેખ કર્યો છે. પરંતુ આ પદાધિકારીઓની બાબતમાં ભાજપ હાઈકમાન્‍ડ કેવો નિર્ણય લે તેના ઉપર તમામની મીટ મંડાયેલી છે.

Related posts

સરકારના ભૂસ્‍તર વિજ્ઞાન અને ખનીજ વિભાગ દ્વારા ખનીજ વહન કરતા વાહનોમાં જીપીએસ ફરજિયાત કરાતા ચીખલીમાં દિવાળીના તહેવાર ટાણે જ ટ્રકોના પૈંડા થંભી ગયા

vartmanpravah

વાપીમાં માર્ગ પહોળાઈ તથા ગટરલાઈન પસાર કરવાની કામગીરી શરૂ

vartmanpravah

કપરાડા તાલુકામાં રૂા. એક કરોડના ખર્ચે લાઇબ્રેરી કમ રીડિંગ સેન્‍ટર બનાવાશે

vartmanpravah

વલસાડ હાઈવે ઉપર રેતી ડમ્‍પર ચાલકે બે કારને ટક્કર મારી સદનસીબે કાર સવાર બે પરિવારોનો ચમત્‍કારિક બચાવ

vartmanpravah

દાદરા નગર હવેલીના અંતરિયાળ વિસ્‍તારના કૌંચા ગામના આદિવાસી નવયુવાન શૈલેષ ગાવિતની બી.એસ.એફ.માં પસંદગી થતાં સમગ્ર ગામમાં આનંદ અને ખુશીનું વાતાવરણઃ ગામલોકોએ કરેલું વિશેષ સન્‍માન

vartmanpravah

દાદરા નગર હવેલીમાં શિક્ષણ સંસ્‍થાના સો મીટરના અંતરમાં તંબાકુ બનાવટની વસ્‍તુઓ વેચવા પર પ્રતિબંધ

vartmanpravah

Leave a Comment