April 28, 2024
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદેશસેલવાસ

સેલવાસ ન.પા.માં પ્રમુખ અને ઉપ પ્રમુખની વરણી મુદ્દે ભાજપમાં પ્રગટ થયેલો અસંતોષ..?

  • ભાજપના ત્રણ પદાધિકારીઓએ આપેલા રાજીનામા

    રાજીનામા આપનારા ત્રણ પદાધિકારીઓ પૈકી બે વર્તમાન કાઉન્‍સિલરઃ ન.પા.ના કાઉન્‍સિલર પદેથી પણ રાજીનામું આપવા થઈ રહેલી માંગણી

  • (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)

    સેલવાસ, તા.26 : સેલવાસ નગરપાલિકામાં પ્રમુખ અને ઉપ પ્રમુખની વરણીના મુદ્દે ઉભા થયેલા અસંતોષમાં સેલવાસ નગરપાલિકાના કાઉન્‍સિલર શ્રી હિતેશભાઈ જે. પટેલ અને શ્રી મનોજભાઈ આર. દયાતે અનુક્રમે ભાજપ મંડળ-1 શહેરના અધ્‍યક્ષ પદથી અને સેલવાસ જિલ્લા શહેર અનુસૂચિત જનજાતિ મોર્ચાના અધ્‍યક્ષ પદેથી રાજીનામું આપવાની જાહેરાત કરી છે. જ્‍યારે પૂર્વ કાઉન્‍સિલર શ્રી નિલેશ માહ્યાવંશીએ પ્રદેશ અનુસૂચિત જાતિ મોર્ચાના ઉપ પ્રમુખ પદેથી રાજીનામું આપ્‍યું છે અને ત્રણેય ભાજપના પદાધિકારીઓએ પોતાના રાજીનામાનો પત્ર પ્રદેશ ભાજપ પ્રમુખ શ્રીદીપેશભાઈ ટંડેલ તથા સંગઠન મહામંત્રી શ્રી વિવેક દાઢકર અને પ્રદેશ ભાજપ મહામંત્રીને પણ સુપ્રત કર્યો છે.
    દાદરા નગર હવેલીમાં શરૂ થયેલી ચર્ચા પ્રમાણે આ ભાજપના પદાધિકારીઓએ કાઉન્‍સિલર પદેથી રાજીનામું આપવાની પણ હિંમત કરવી જરૂરી હતી. હવે પોતાના રાજીનામા પત્રમાં ફક્‍ત અંગત કારણોથી પદ છોડી રહ્યા હોવાનો ઉલ્લેખ કર્યો છે. પરંતુ આ પદાધિકારીઓની બાબતમાં ભાજપ હાઈકમાન્‍ડ કેવો નિર્ણય લે તેના ઉપર તમામની મીટ મંડાયેલી છે.

Related posts

દાનહના સાંસદ કલાબેન ડેલકરે પોતાના સાંસદનિધિ અંતર્ગત પહેલું કામ ગૌશાળાના ભવન બનાવવા રૂા.5.પ0 લાખની ફાળવણીથી કરેલી શુભ શરૂઆત

vartmanpravah

ભાજપ દ્વારા દેશભરમાં મોદી સરકારના 9 વર્ષ પૂર્ણ થવાના ઉપલક્ષમાં આયોજીત પત્રકાર પરિષદ દેશ બદલાઈ રહ્યો છે નવી દિશામાં ઊંચાઈ તરફ જઈ રહ્યો છેઃ જીતુભાઈ વાઘાણી

vartmanpravah

વલસાડમાં મજબુદાર પરિવારે વૃદ્ધ માતાના મૃત્‍યુ બાદ દેહ દાન કરી મિશાલ પુરી પાડી

vartmanpravah

સુખાલા આરોગ્‍ય કેન્‍દ્રને પરિવાર કલ્‍યાણ વિભાગ કેન્‍દ્ર સરકાર દ્વારા આપવામાં આવેલું સન્‍માન પત્ર

vartmanpravah

વલસાડ જિલ્લામાં પડેલા મુશળધાર વરસાદે ઠેર ઠેર સર્જી તારાજી

vartmanpravah

વલસાડ જિલ્લામાં કમોસમી વરસાદની આગાહીઃ ખેડૂતોને સતર્ક રહેવા સૂચન કરાયું

vartmanpravah

Leave a Comment