(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દીવ, તા.14
અહીંના બાલ ભવન-દીવમાં વર્ષ દરમ્યાન વિવિધ એક્ટિવિટીસ થતી જ રહે છે… તેનો દીવના બાળકોને ખૂબ જ લાભ મળે છે.
તાજેતરમાં જ તા.07-12-2021 થી તા.11-12-2021 પાંચ દિવસ સુધી ચાલેલા વ્ત્ચ્ ્રૂ ઝળ્ચ્(ટાઈ એન્ડ ડાઈ) ષ્ંશ્વત્ત્તત્ર્ંષ્ટમાં આશરે 30 જેટલા બાળકોએ ઉત્સાહથી ભાગ લીધો હતો. વર્કશોપમાં જયપુર (રાજસ્થાન)થી આવેલા એક્સપર્ટ શ્રી બાદશાહ ખાને સફેદ કાપડમાંથી અલગ-અલગ કલરથી બાંધણ અને લહેરિયા કેમ બને તે શીખવાડયું હતું.
અલગ-અલગ રીતે સફેદ કાપડને દોરાથી બાંધી પછી રંગમાં ડુબાડવાથી કેવી કેવી આકર્ષક ડિઝાઈન બને તે શીખવ્યું. દરેક બાળકોએ પોતાની રીતે જ પાંચ દિવસમાં પાંચ-પાંચ ડિઝાઈન બનાવી હતી. સાથોસાથ બાલ ભવન-દીવનાં સ્ટાફને પણ ખુબ જ રસ પડતા બાળકો સાથે ડિઝાઈનબનાવી હતી.
આ વર્કશોપની સફળતા માટે બાલ ભવન-દીવના ડાયરેક્ટર, શ્રી પ્રેમજીત બારીયાએ ખૂબ જ મહેનત કરી હતી અને વેસ્ટ ઝોન કલ્ચરલ સેન્ટર-ઉદયપુરનો ખૂબ જ આભાર માન્યો હતો. જેમણે આ એક્સપર્ટ શ્રી બાદશાહ ખાનને ‘‘ટાઈ એન્ડ ડાઈ” વર્કશોપ માટે મોકલ્યા હતા.
દીવ કલેક્ટર શ્રીમતી સલોની રાય આઈએએસનાં સહકાર અને માર્ગદર્શનથી બાલ ભવન-દીવ પ્રવૃતિમય રહે છે… અને આ પછી ઙ્કય્ચ્લ્ત્ફ ખ્ય્વ્ઙ્ઘ ષ્બ્ય્ધ્લ્ણ્બ્ભ્ આવતા અઠવાડિયામાં શરૂ થશે. જેમાં લેમિનેશન કેમ્પ કરી શકાય તેની કલા શીખવવા માટે અમદાવાદથી એક્સપર્ટ આવશે.
Previous post