October 14, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટનવસારીપારડીવલસાડવાપી

વાપી, બલીઠા, છરવાડા જલારામમંદિરોમાં બાપાની 223મી જન્‍મ જયંતિની ભવ્‍ય ઉજવણી

હજારો ભક્‍તોએ મહાપ્રસાદનો લાભ લીધો

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.31: વાપી હાઈવે સહિત બલીઠા અને છરવાડા ગામમાં આવેલ જલારામ મંદિરોમાં આજે જલારામ બાપાની 223મી જન્‍મ જયંતિની ભક્‍તિભાવ પૂર્વક ભવ્‍ય ઉજવણી કરવામાં આવી હતી.
જલારામ મંદિર વાપી હાઈવે ઉપર સવારથી જ જલારામ બાપાના ભક્‍તોનો ધસારો શરૂ થઈ ગયો હતો. વિરપુરના સંત શિરોમણી જલારામ બાપાની 223મી જન્‍મ જયંતિ વાપી સહિત ગ્રામ્‍ય વિસ્‍તારો અને વલસાડ જિલ્લામાં ઉજવણી કરવામાં આવી હતી. વાપી મંદિરે સોમવારે સવારે 7 કલાકે ધ્‍વજારોહણ બાદ 9 કલાકે સત્‍યનારાયણ ભગવાનની કથા બપોરે બે વાગે ભજન તથા સાંજના 6 કલાકે થાળની મહા આરતીનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જલારામ જયંતિની ઉજવણી અને મહાપ્રસાદમાં હજારો ભાવિકોએ મહાપ્રસાદનો લાભ લીધો હતો. સેંકડોની મેદની મંદિર પરિસરમાં ઉભરાઈ હતી. મહાપ્રસાદનો લાભ લેવા માટે પડાપડી વધુ થાય તે પહેલાં સુચારું આયોજન કરવામાં આવ્‍યું હતું.

Related posts

સેલવાસ લાયન્‍સ સ્‍કૂલમાં ‘શિક્ષક દિન’ની કરાયેલી ઉજવણી

vartmanpravah

વલસાડમાં મજબુદાર પરિવારે વૃદ્ધ માતાના મૃત્‍યુ બાદ દેહ દાન કરી મિશાલ પુરી પાડી

vartmanpravah

પારડી હાઈવે ઉપર જૈન સાધુ-સાધ્‍વીજીઓના સંઘ ઉપર ગૌવંશોએ હુમલો કરતા ઘાયલોને સારવાર માટે મોકલાયા

vartmanpravah

વલસાડ જિલ્લા-સંઘપ્રદેશ સહિત ગુજરાતભરમાં પાંચ દિવસથી ટીવી પડદે બ્‍લેક આઉટ

vartmanpravah

21મી મેના રવિવારે ખાનવેલના ચૌડા ગ્રાઉન્‍ડ ખાતે દાનહ આદિવાસી કલા ઉત્‍સવ સમિતિ દ્વારા પ્રદેશની આદિવાસી પરંપરા અને સંસ્‍કૃતિને નવું જોમ આપવા ‘તારપા મહોત્‍સવ’ યોજાશે

vartmanpravah

ચીખલી તાલુકામાં કમોસમી વરસાદથી ખેતરોમાં ડાંગરના પુળીયા ભીંજાતા ખેડૂતોને ભારે નુકસાન

vartmanpravah

Leave a Comment