March 4, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટનવસારીપારડીવલસાડવાપી

વાપી, બલીઠા, છરવાડા જલારામમંદિરોમાં બાપાની 223મી જન્‍મ જયંતિની ભવ્‍ય ઉજવણી

હજારો ભક્‍તોએ મહાપ્રસાદનો લાભ લીધો

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.31: વાપી હાઈવે સહિત બલીઠા અને છરવાડા ગામમાં આવેલ જલારામ મંદિરોમાં આજે જલારામ બાપાની 223મી જન્‍મ જયંતિની ભક્‍તિભાવ પૂર્વક ભવ્‍ય ઉજવણી કરવામાં આવી હતી.
જલારામ મંદિર વાપી હાઈવે ઉપર સવારથી જ જલારામ બાપાના ભક્‍તોનો ધસારો શરૂ થઈ ગયો હતો. વિરપુરના સંત શિરોમણી જલારામ બાપાની 223મી જન્‍મ જયંતિ વાપી સહિત ગ્રામ્‍ય વિસ્‍તારો અને વલસાડ જિલ્લામાં ઉજવણી કરવામાં આવી હતી. વાપી મંદિરે સોમવારે સવારે 7 કલાકે ધ્‍વજારોહણ બાદ 9 કલાકે સત્‍યનારાયણ ભગવાનની કથા બપોરે બે વાગે ભજન તથા સાંજના 6 કલાકે થાળની મહા આરતીનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જલારામ જયંતિની ઉજવણી અને મહાપ્રસાદમાં હજારો ભાવિકોએ મહાપ્રસાદનો લાભ લીધો હતો. સેંકડોની મેદની મંદિર પરિસરમાં ઉભરાઈ હતી. મહાપ્રસાદનો લાભ લેવા માટે પડાપડી વધુ થાય તે પહેલાં સુચારું આયોજન કરવામાં આવ્‍યું હતું.

Related posts

સેલવાસ યુથ ક્‍લબ દ્વારા મૂકબધિર ક્રિકેટ ખેલાડીઓ માટે ક્રિકેટ ટૂર્નામેન્‍ટનું કરાયેલું આયોજન ચેમ્‍પિયન બનેલી વલસાડની ટીમ : સુરત રનર્સ અપ

vartmanpravah

બાલદેવીમાં ગેરકાયદેસર માટી ખનનની પ્રવૃત્તિને અટકાવવા સેલવાસ નગરપાલિકાના કાઉન્‍સિલર સુમનભાઈ પટેલ અને મીનાબેન પટેલે જિલ્લા કલેક્‍ટરને કરેલી લેખિત રજૂઆત

vartmanpravah

વલસાડ તિથલ દરિયા કિનારે જીલ નામની 40 થી 50 માછલીઓ મૃત હાલતમાં તણાઈ આવી

vartmanpravah

નરોલી ગ્રા.પં. વિસ્‍તારમાં ગંદકી ફેલાવનાર સામે કાયદેસરની કાર્યવાહી કરવાનો આદેશ : દાનહ જિલ્લા પંચાયતના મુખ્‍ય કાર્યકારી અધિકારીની નરોલી ગામની મુલાકાત દરમિયાન નજરે પડેલી ગંદકી

vartmanpravah

‘એક નયી પહેલ આપકે સાથ’ સંસ્‍થા દ્વારા પ્રદેશમાં ચાર વર્ષમા 2050 વૃક્ષોના છોડોનું કરેલું વાવેતર

vartmanpravah

નર્મદા સેવા અને શ્રમ શિબિરમાં ભાગ લેવા અરજી કરવા અપીલ

vartmanpravah

Leave a Comment