February 13, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટનવસારીપારડીવલસાડવાપી

વાપી, બલીઠા, છરવાડા જલારામમંદિરોમાં બાપાની 223મી જન્‍મ જયંતિની ભવ્‍ય ઉજવણી

હજારો ભક્‍તોએ મહાપ્રસાદનો લાભ લીધો

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.31: વાપી હાઈવે સહિત બલીઠા અને છરવાડા ગામમાં આવેલ જલારામ મંદિરોમાં આજે જલારામ બાપાની 223મી જન્‍મ જયંતિની ભક્‍તિભાવ પૂર્વક ભવ્‍ય ઉજવણી કરવામાં આવી હતી.
જલારામ મંદિર વાપી હાઈવે ઉપર સવારથી જ જલારામ બાપાના ભક્‍તોનો ધસારો શરૂ થઈ ગયો હતો. વિરપુરના સંત શિરોમણી જલારામ બાપાની 223મી જન્‍મ જયંતિ વાપી સહિત ગ્રામ્‍ય વિસ્‍તારો અને વલસાડ જિલ્લામાં ઉજવણી કરવામાં આવી હતી. વાપી મંદિરે સોમવારે સવારે 7 કલાકે ધ્‍વજારોહણ બાદ 9 કલાકે સત્‍યનારાયણ ભગવાનની કથા બપોરે બે વાગે ભજન તથા સાંજના 6 કલાકે થાળની મહા આરતીનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જલારામ જયંતિની ઉજવણી અને મહાપ્રસાદમાં હજારો ભાવિકોએ મહાપ્રસાદનો લાભ લીધો હતો. સેંકડોની મેદની મંદિર પરિસરમાં ઉભરાઈ હતી. મહાપ્રસાદનો લાભ લેવા માટે પડાપડી વધુ થાય તે પહેલાં સુચારું આયોજન કરવામાં આવ્‍યું હતું.

Related posts

પારડી નગપાલિકાનાં વોર્ડ નંબર બે માં બે ફેરફારો: SC ની બેઠક મહિલાઓ માટે અનામત જ્‍યારે ST મહિલાની જગ્‍યાએ ST પુરુષ

vartmanpravah

સેલવાસની ગુરુદેવ સોસાયટીમાં કોઈક વ્‍યક્‍તિએ ઝેરયુક્‍ત ખોરાક ખવડાવતા પાંચ ગલુડિયાંના થયેલા મોત

vartmanpravah

સેલવાસ ડીસ્‍ટ્રીકટ કોર્ટ ખાતે 30મી એપ્રિલના રોજ લોક અદાલતનું આયોજન કરાશે

vartmanpravah

વલસાડનગરપાલિકા દ્વારા કાર્યરત કરાયેલ સીટી બસ સેવાનો હજારો રિક્ષા ચાલકોએ વિરોધ કર્યો

vartmanpravah

એન્‍જિનિયર્સ એસોસિએશન ઓફ વાપી દ્વારા બુલેટ ટ્રેન અને ડેડિકેટેડ ફ્રેઈટ કોરિડોરની માહિતી અંગે વિશેષ સેમિનાર યોજાયો

vartmanpravah

વાપી મેઈન રેલવે ગરનાળામાં કોઈ અવળચંડાએ તાડપત્રી ખોસી દેતા નાળું પાણીમાં ગરકાવ

vartmanpravah

Leave a Comment