Vartman Pravah
Breaking Newsવલસાડવાપી

ફલધરામાં સનાતન ધર્મના સંતો-આગેવાનોની મીટિંગ યોજાઈ

શરદ વ્‍યાસ, પ્રફુલ્લ શુકલ, પી.ડી.જી. વણઝારા જેવા મહાનુભાવો ઉપસ્‍થિત રહ્યા

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.14
જલારામ ધામ ફલધરામાં સનતાન ધર્મના મનન ચિંતન અને ઉત્‍કર્ષ માટે એક મીટિંગ યોજાઈ હતી. મીટિંગમાં અગ્રણી કથાકારો, સંતો અને ધાર્મિક આગેવાનો જોડાયા હતા.
રાજ્‍ય સત્તા સાથે હિંદુ સત્તા પણ જરૂરી છે. સમાજમાં સનાતન ધર્મના મુલ્‍યોની જાળવણી કરવા અને વિકાસ કરવા માટે જાણીતા જલારામ ધામ ફળધરા ખાતે સંતો, પૂ.કથાકારોની એક મીટિંગ યોજાઈ હતી. મીટિંગમાં જાણીતા કથાકારશ્રી શરદભાઈ વ્‍યાસ, શ્રી પ્રફુલ્લભાઈ શુકલ, શ્રી ચંન્‍દ્ર શુકલ, લંડનથી શ્રી મિતેશભાઈ જોષી, પી.ડી.જી. વણઝારા સહિત આગેવાન સંતો, સંસ્‍થા સંચાલક શ્રી કુલસીંગભાઈ પટેલ વિગેરે ઉપસ્‍થિત રહ્યા હતા. મીટિંગમાં સંતોએ, કથાકારોએ સનાતન ધર્મના મુલ્‍યોની જાળવણી અને જતન કેમ કરવું તેની ચર્ચા-વિચારણા અને વિમર્સ કર્યો હતો. આ પ્રસંગે ડી.જી.પી. વણઝારાએ જણાવ્‍યું હતું કે, 23 ડિસેમ્‍બરના રોજ અમદાવાદ સોલા ઉમિયાધામમાં મહાકુંભ યોજાવાનો છે તેમાં સર્વએ પધારી ભાગ લેવાનું તેઓએ આહવાન કર્યું હતું.

Related posts

દલવાડા માહ્યાવંશી ફળિયા ખાતે જલારામ બાપ્‍પાની જન્‍મ જયંતિની ભક્‍તિભાવ પૂર્વક આનંદ ઉત્‍સાહથી થયેલી ઉજવણી

vartmanpravah

દીવ ખાતે 154 મી ગાંધી જયંતિ તથા લાલબહાદુર શાસ્ત્રીની જન્‍મ જયંતીની ઉજવણી કરવામાં આવી

vartmanpravah

પારડીમાં બજરંગ દળ શોર્ય જાગરણ યાત્રાનું થયું આગમન

vartmanpravah

કપરાડા તાલુકાના માંડવા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને NQAS કાર્યક્રમ હેઠળ કવોલિટી સર્ટિ. મળ્યું, સાથે ૩ વર્ષ સુધી દર વર્ષે રૂ. ૩ લાખની ગ્રાન્ટ પણ મળશે

vartmanpravah

ટુકવાડાનું અવધ ઉથોપીયા એટલે નામ બડે ઓર દર્શન ખોટે: ક્‍લબના મેનેજર નીરજ પટેલે સંકેત મહેતા વિરુદ્ધ નોંધાવી રૂા.40 લાખની છેતરપિંડીની ફરિયાદ

vartmanpravah

વલસાડમાં તન્‍મય ચેરીટેબલ ટ્રસ્‍ટ દ્વારા ચેસ ટુર્નામેન્‍ટ યોજાઈ

vartmanpravah

Leave a Comment