(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.04: વર્ષો પહેલા ઈરાનથી આપણા હિન્દુસ્તાનમાં આવી વસેલા પારસી સમુદાયના મહાન ધર્મગુરુ વડા ખુરશેદ કેકોબાદ દસ્તુરજીને રામ જન્મભૂમિ અયોધ્યામાં ભગવાન શ્રી રામજીની પ્રાણપ્રતિષ્ઠામાં ઉપસ્થિત રહેવા આજે આમંત્રણ આપતા વિશ્વ હિન્દુ પરિષદ દક્ષિણ ગુજરાત પ્રાંતના પદાધિકારીઓ શ્રી રાજેશભાઈ રાણાજી, શ્રી અજયભાઈ વ્યાસજી, શ્રી જિનેશભાઈ નહારજી, શ્રી ભરતભાઈ સોનીજી સાથે વલસાડ જિલ્લા અધ્યક્ષશ્રી પિયુષભાઈ શાહ, જિલ્લા ગૌરક્ષા અધ્યક્ષશ્રી અંકિતભાઈ શાહે ઉપસ્થિત રહી એઓના આશિર્વાદ મેળવવી ધન્યતા અનુભવી હતી.