July 18, 2026
Vartman Pravah
Breaking Newsવાપી

વાપીના હરિયા પાર્ક ચેરીટેબલ ટ્રસ્‍ટ દ્વારા ડુંગરાના અંબામાતા મંદિરમાં હનુમાનજી, શિવપરિવાર, ગણેશજીની મૂર્તિઓનું શાષાોક્‍ત વિધિ-વિધાન સાથે કરવામાં આવેલી સ્‍થાપના

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.16
વાપી નજીક ડુંગરા ગામે 27 વર્ષથી બિરાજમાન અંબા માતા મંદિરે દરેક સમાજના લોકો આવે અને તેમના ઈષ્ટદેવને નમન કરી શકે તેવા ઉદ્દેશથી હરિયા પાર્ક ચેરીટેબલ ટ્રસ્‍ટ દ્વારા સાક્ષીગોપાલ હનુમાનજી, શિવપરિવાર, ગણેશજીની મૂર્તિઓનું શાત્રોક્‍ત વિધિવિધાન સાથે ભક્‍તિમય વાતાવરણમાં સ્‍થાપન કરવામાં આવ્‍યું છે. જે માટે આયોજિત બે દિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્‍સવનું બુધવારે ભક્‍તિભાવ સાથે સમાપન કરવામાં આવ્‍યં હતું.
આ પ્રાણપ્રતિષ્ઠા મહોત્‍સવ અંગે ટ્રસ્‍ટીઓ દ્વારા જણાવ્‍યું હતું કે, ડુંગરામાં હરિયાપાર્ક ખાતે 27 વર્ષથી અંબામાતાનું મંદિર હતું. જેમાં અન્‍ય દેવી-દેવતાઓની પણ સ્‍થાપના કરવામાં આવે તેવી ઈચ્‍છા હરિયા પાર્ક સહિત ગામના ભક્‍તજનોની હતી. જે ધ્‍યાને આવ્‍યા બાદ સાક્ષીગોપાલ, હનુમાનજી, શિવપરિવાર, ગણેશજી એમ વધુ ચાર મંદિરનું નિર્માણ કરવાનું બીડું હરિયા પાર્ક ચેરીટેબલ ટ્રસ્‍ટ દ્વારા ઉપાડવામાં આવ્‍યુ હતું.
જેથી 14મી ડિસેમ્‍બરે ભવ્‍ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્‍સવનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં પ્રથમદિવસે ગણેશ પૂજન, દેવ પૂજન બાદ ભવ્‍ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી. જ્‍યારે બીજા દિવસે 15મી ડિસેમ્‍બરે સવારે પૂજા-હવન બાદ બપોરે 12 કલાકે વિજય મુહૂર્તમાં મૂર્તિઓની સ્‍થાપના કરી ભક્‍તોને દેવોના દર્શનનો લાભ આપ્‍યો હતો. જે બાદ મહાપ્રસાદનું આયોજન કરી મંદિરના દાતાઓ, ટ્રસ્‍ટીઓ અને મોટી સંખ્‍યામાં ઉપસ્‍થિત ભાવિક ભક્‍તોની હાજરીમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્‍સવનું સમાપન કરવામાં આવ્‍યું હતું.

Related posts

નવસારી જિલ્લામાં નાની રકમની ચલણી નોટો તથા સિકકાનો અસ્‍વીકાર કરનાર સામે રાજદ્રોહની કાર્યવાહી કરાશે

vartmanpravah

વાપી છરવાડા શ્રી રાજ રાજેશ્વરી વિદ્યામંદિરનું સીબીએસઈ ધો.૧૦ અને ધો.૧૨ સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહનું પરિણામ

vartmanpravah

વલ્લભ આશ્રમ એમ.જી.એમ. અમીન એન્‍ડ વી.એન. સવાણી સ્‍કૂલ કિલ્લા પારડી ઓલ ઈન્‍ડિયા લેવલ આઈપીએસસી યુ-14 બોયસ ક્રિકેટ ટુર્નામેન્‍ટ

vartmanpravah

સંઘપ્રદેશ દાનહ અને દમણ-દીવમાં ઓળખ મૂલ્‍યાંકન – રાજ્‍ય શૈક્ષણિક સિદ્ધિ સર્વેક્ષણ પ્રક્રિયા સફળતાપૂર્વક સંપન્ન

vartmanpravah

સેલવાસમાં ભાગવત કથાનો શુભારંભ

vartmanpravah

ડીઆઈએના પ્રમુખ અગ્રવાલ અને તેમની ટીમે દમણ જિ.પં.ના નવનિયુક્‍ત પ્રમુખ જાગૃતિબેન પટેલ, ઉપ પ્રમુખ બાબુભાઈ પટેલ અને ન.પા. પ્રમુખ અસ્‍પી દમણિયા તથા ઉપ પ્રમુખ રશ્‍મિબેન હળપતિનું કરેલું અભિવાદન

vartmanpravah

Leave a Comment