March 3, 2026
Vartman Pravah
Breaking Newsવાપી

વાપી નજીક દેગામ પંચાયતનાચૂંટણી વોર્ડ સભ્‍ય ઉમેદવાર અને પૂર્વ સરપંચ પાંચ દિવસથી રહસ્‍યમય રીતે ગૂમ

પૂર્વ સરપંચ રમણભાઈ હળપતિ અને આ વખતે સભ્‍ય તરીકેના ઉમેદવાર હતા ગત તા.16/12/2021ના રોજ વાપી બાદ ગુમ થઈ ગયા છે

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.20
વાપી નજીક આવેલ દેગામમાં રહેતા અને પંચાયત ચૂંટણીમાં સભ્‍ય તરીકે ચૂંટણી લડી રહેલા તેમજ પૂર્વ સરપંચ એવા રમણભાઈ હળપતિ છેલ્લા પાંચ દિવસથી રહસ્‍યમય રીતે ગુમ થઈ ગયા હોવાથી સરપંચની ચૂંટણી લડી રહેલ પત્‍ની અને પરિવાર ઉપર આફત આવી પડયાની સ્‍થિતિમાં મુકાઈ ગયો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર વાપી પાસે આવેલ દેગામ ગામે રહેતા રમણભાઈ હળપતિ આ વખતે પંચાયતની ચૂંટણીમાં વોર્ડ સભ્‍યની ચૂંટણી લડી રહ્યા હતા. ગત તા. 16ને ગુરુવારે કોઈ કામ હેતુ તેઓ ઘરેથી વાપી જવા નિકળ્‍યા હતા. પરત આવતા જમાઈ કરવડ સુધી મુકી ગયા હતા. ત્‍યાર પછી તેઓ આજદિન સુધી ઘરે પહોંચ્‍યા નથી. અચાનક ચૂંટણી માહોલ વચ્‍ચે રહસ્‍યમ રીતે અચાનક ગુમ થઈ ગયા છે.
ઉલ્લેખનીય છે કે દેગામ પંચાયતની તાજેતરની ચૂંટણીમાં મહિલા અનામત બેઠક હોવાથી તેમના પત્‍ની સવિતાબેન હળપતિ પણ સરપંચ પદે ચૂંટણી લડયા છે. તેમની પૂત્રી પણ વોર્ડ સભ્‍ય તરીકે ચૂંટણી લડી રહી છે. એવા સંજોગો વચ્‍ચે ભેદી રીતેરમણભાઈનું અચાનક ગુમ થવું એ ઘટનાએ પરિવારને હચમચાવી મુક્‍યો છે.
હાલ તો પરિવારે ડુંગરા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે જાણવા જોગ એન્‍ટ્રી પાડી આગળની તપાસ કરી રહી છે. ઘટનાની પાછળ સ્‍થાનિક રાજકરણ તો જવાબદાર નથીને તેવી ચર્ચાઓ પણ ગામમાં ચાલી રહી છે. પરિવાર પાંચ દિવસથી ખાતો-પિતો નથી, ચિંતામાં ડૂબી ગયો છે.

Related posts

આમલીના રામજી મંદિર ટ્રસ્‍ટની જમીનનો ચુકાદો મંદિરના પક્ષે આવતા ફટાકડા ફોડી કરેલી ઉજવણી

vartmanpravah

વાપીના કરવડમાં ધોડિયા પટેલ સમાજના યુવક-યુવતીઓનું મૈત્રી પરિચય સંમેલન યોજાયું

vartmanpravah

આપણુ ગુજરાતઃ ભ્રષ્ટાચાર મુક્ત ગુજરાતઃ વલસાડની સરકારી ઈજનેરી કોલેજમાં ભ્રષ્ટાચાર સામે જાગૃતતા માટે ઇનોવેટીવ ટેક્નિક્સ અંગે કાર્યક્રમ યોજાયો

vartmanpravah

વાપી રેલવે સ્‍ટેશન ઉપરથી અયોધ્‍યા દર્શન આસ્‍થા સ્‍પેશિયલ ટ્રેનને ભાજપના આગેવાનોએ રવાના કરી

vartmanpravah

પરિવારથી વિખૂટી પડેલી મહારાષ્‍ટ્રની મહિલાનું વલસાડના સખી વન સ્‍ટોપ સેન્‍ટરે પરિવાર સાથે મિલન કરાવ્‍યું

vartmanpravah

જિલ્લા વિજ્ઞાન કેન્‍દ્ર ધરમપુર ખાતે ઓપન હાઉસ ક્‍વિઝ સ્‍પર્ધા અને વ્‍યાખ્‍યાન યોજાયું: પ્રદૂષણ ફેલાવવાનું બંધ નહીં થશે તો બાળકોને ટિફિનમાં પાણીની સાથે આક્‍સિજનની પણ બોટલ આપવી પડશેઃ એજ્‍યુકેશન ઓફિસર

vartmanpravah

Leave a Comment