(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દીવ, તા.20
આજરોજ ‘આઝાદી કા અમળત મહોત્સવ’ સંવિધાન દિવસ અંતર્ગત રાષ્ટ્રીય સેવા યોજના, દીવ એન.એસ.એસ. કો-ઓર્ડીનેટર દીવ કોલેજ પ્રોગામ ઓફિસરનાં માર્ગદર્શન હેઠળ સંવિધાન દિવસ ઉપર રંગોળી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં દીવ કોલેજનાં વિદ્યાર્થીઓએ તેમજ એન.એસ.એસ. સ્વયંસેવકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો અને બંધારણ સાથે સંબધિત રંગોળી કરવામાં આવી હતી.
સમગ્ર કાર્યક્રમ નિર્ણાયકગણ તરીકેની ભૂમિકા દીવ કોલેજના ડૉ.હર્ષદ પરમાર, ડૉ. નિતીક્ષા ગેડિયા અને તન્વી ચારણીયાએ ભજવી હતી. તેમજ દીવ કોલેજ પરિવારનાં અથાગ સહયોગ આપી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.
સંવિધાન દિવસ ઉપર કાવ્ય પઠન / ગાનનાં વિજેતામાં પ્રથમ ક્રમે સોલંકી મિરાજ અને મનસુરી તુફરાહ, દ્વિતીય ક્રમે બાંભણિયા તેજલ અને કટારીયા વૈદહી અને તળતીય ક્રમે સોલંકી નિધી આવેલ છે. તમામ વિજેતા સ્પર્ધકોને એન.એસ.એસ દીવ કોલેજ દીવ વતી ખુબ ખુબ અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.