January 17, 2026
Vartman Pravah
Breaking Newsદીવ

રાષ્‍ટ્રીય સેવા યોજના, દીવના સ્‍વયંસેવકો દ્વારા દીવ કોલેજમાં ‘આઝાદી કા અમૃત મહોત્‍સવ’ અને સંવિધાન દિવસ અંતર્ગત રંગોળી કાર્યક્રમ યોજાયો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દીવ, તા.20
આજરોજ ‘આઝાદી કા અમળત મહોત્‍સવ’ સંવિધાન દિવસ અંતર્ગત રાષ્‍ટ્રીય સેવા યોજના, દીવ એન.એસ.એસ. કો-ઓર્ડીનેટર દીવ કોલેજ પ્રોગામ ઓફિસરનાં માર્ગદર્શન હેઠળ સંવિધાન દિવસ ઉપર રંગોળી સ્‍પર્ધાનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં દીવ કોલેજનાં વિદ્યાર્થીઓએ તેમજ એન.એસ.એસ. સ્‍વયંસેવકોએ ઉત્‍સાહપૂર્વક ભાગ લીધો હતો અને બંધારણ સાથે સંબધિત રંગોળી કરવામાં આવી હતી.
સમગ્ર કાર્યક્રમ નિર્ણાયકગણ તરીકેની ભૂમિકા દીવ કોલેજના ડૉ.હર્ષદ પરમાર, ડૉ. નિતીક્ષા ગેડિયા અને તન્‍વી ચારણીયાએ ભજવી હતી. તેમજ દીવ કોલેજ પરિવારનાં અથાગ સહયોગ આપી કાર્યક્રમને સફળ બનાવ્‍યો હતો.
સંવિધાન દિવસ ઉપર કાવ્‍ય પઠન / ગાનનાં વિજેતામાં પ્રથમ ક્રમે સોલંકી મિરાજ અને મનસુરી તુફરાહ, દ્વિતીય ક્રમે બાંભણિયા તેજલ અને કટારીયા વૈદહી અને તળતીય ક્રમે સોલંકી નિધી આવેલ છે. તમામ વિજેતા સ્‍પર્ધકોને એન.એસ.એસ દીવ કોલેજ દીવ વતી ખુબ ખુબ અભિનંદન પાઠવવામાં આવ્‍યા હતા.

Related posts

સેલવાસના નક્ષત્ર વન ઉલ્‍ટન ફળિયાની મુખ્‍ય ગટર નજીક બિલ્‍ડરે કરેલું દબાણઃ ચોમાસામાં લોકોને મુશ્‍કેલી ઉભી કરશે

vartmanpravah

બે વર્ષ બાદ કોરોનાનું વિઘ્‍ન ટળતા વાપી-વલસાડમાં અનેક મંડળો દ્વારા ગણેશોત્‍સવની ધામધૂમથી કરાયેલી સ્‍થાપના

vartmanpravah

વાપી બ્રહ્માકુમારી દ્વારા 8મી માર્ચથી ત્રી ત્રિદિવસ શિવ શક્‍તિ આધ્‍યાત્‍મિક મેળો યોજાશે

vartmanpravah

અંબિકા અને કાવેરી નદીમાં પુરના કારણે ગણદેવી તાલુકાના 966 નાગરિકોને સ્‍થળાંતરિત કરાયા

vartmanpravah

દિલ્‍હીમાં યોજાયેલ ભાજપના રાષ્‍ટ્રીય અધિવેશનમાં વલસાડ જિલ્લા ભાજપ પદાધિકારીઓએ ભાગ લીધો

vartmanpravah

રાષ્‍ટ્રીય યુવા મહોત્‍સવ-2023માં ભાગ લેવા સંઘપ્રદેશનું 100 સભ્‍યોનું યુવા દળ કર્ણાટક હુબલી રવાના

vartmanpravah

Leave a Comment