Vartman Pravah
Breaking Newsસેલવાસ

દાનહના રખોલીની આર.આર.કેબલ લિમિટેડ કંપનીમાં રક્‍તદાન શિબિર યોજાઈ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.20
દાનહના રખોલી ગામે આવેલ આર.આર.ગ્‍લોબલ ગ્રુપની આર.આર.કેબલ લિમિટેડ કંપનીમાં વિશ્વ વોલેન્‍ટીયર દિવસ નિમિત્તે રક્‍તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમા લાયન્‍સ ક્‍લબ ઓફ સેલવાસ અને ઇન્‍ડિયનરેડક્રોસ સોસાયટીના સહયોગ રહ્યો હતો.
આ કેમ્‍પમાં કંપનીના એજીએમ શ્રી આલોક સિંઘલ, ડીજીએમ શ્રી સુરેશ આસાવા,ડાયરેક્‍ટર શ્રી રાજેશ જૈન, એચઆર ડેપ્‍યુટી મેનેજર શ્રી દિનેશ મિશ્રા, આસિસ્‍ટન્‍ટ મેનેજર એડમીન શ્રી ગિરીશ પાન્‍ડા, એજીએમ શ્રી રાજીવ મહેશ્વરી, શ્રી ગોપાલ જરકુટિયા (મામા) સહિત દરેક વિભાગના એચઓડી અને દાનહમાં સ્‍થિત આર.આર.ગ્‍લોબલ ગ્રુપના દરેક ચાર યુનિટના વર્કરોએ ઉત્‍સાહપૂર્વક આ કેમ્‍પમાં ભાગ લીધો હતો. જેમા 154 યુનિટ રક્‍ત એકત્ર થયું હતું.
આ કેમ્‍પના આયોજનો મુખ્‍ય ઉદ્દેશ્‍ય પ્રદેશમાં રક્‍તની જે અછત વર્તાય છે જેને પહોંચી વળવા માટે આવા કેમ્‍પોનું આયોજન સંસ્‍થા અને કંપનીઓ દ્વારા કરવામા આવે છે. આ કેમ્‍પમાં મહિલાઓએ પણ રક્‍તદાન કર્યુ હતું.
આ અવસરે કંપનીના સંચાલકો, ઇન્‍ડીયન રેડક્રોસ સોસાયટીનો સ્‍ટાફ, કર્મચારીઓ અને લાયન્‍સ ક્‍લબ ઓફ સેલવાસના સભ્‍ય શ્રી ભરતભાઈ તન્ના ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

પારડીના વિપુલ પાર્કના બંધ ફલેટમાંથી આશરે બે લાખના દાગીનાની ચોરી

vartmanpravah

દમણઃ આટિયાવાડ ગ્રા.પં.ના સરપંચ ઉર્વશીબેન પટેલે આયુષ્‍માન આરોગ્‍ય મેળાનું કરેલું ઉદ્‌ઘાટન

vartmanpravah

દમણ રાણા સમાજ દ્વારા પ્રશાસક પ્રફુલભાઈ પટેલને ખંભાત ખાતે રામનવમી શોભાયાત્રા અસામાજિક તત્‍વો દ્વારા કરાયેલા હુમલામાં જ્ઞાતિના થયેલા અકાળ અવસાનનો વિરોધ નોંધાવવા આવેદન પત્ર અપાયું

vartmanpravah

વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના ચાર ગામોને પડોશના કેન્‍દ્ર શાસિત પ્રદેશમાં સમાવવા થઈ રહેલી હિલચાલ

vartmanpravah

સમરોલીની પ્રાથમિક શાળાના ઓરડાઓના બાંધકામમાં ગેરરીતિના અખબારી અહેવાલ બાદ જિલ્લા પ્રોજેક્‍ટ કો-ઓર્ડીનેટર દ્વારા એજન્‍સીને પાઠેવેલી નોટિસ 

vartmanpravah

વાપી પ્રમુખ ગ્રીન સીટી ચલા છેલ્લા 4 વર્ષથી નવરાત્રી મહોત્‍સવનું થતું આયોજન

vartmanpravah

Leave a Comment