March 3, 2026
Vartman Pravah
Breaking Newsવાપી

મુંબઈની તાજ આર્ટ ગેલેરીમાં વાપીના જાણીતા ચિત્રકાર જાગૃતિ કાતરીયાની કૃતિઓ રાષ્‍ટ્રીય કલા પ્રદર્શનમાં આકર્ષક રહી

સ્‍પંદન નેશનલ આર્ટ ફેસ્‍ટીવલ દ્વારા યોજાયેલ ‘આર્ટ એક્‍ઝિબિશન’માં ભારતના નામાંકિત ચિત્રકારોએ લીધેલો ભાગ

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.20
સ્‍પંદન નેશનલ આર્ટ ફેસ્‍ટીવલ તાજેતરમાં મુંબઈની તાજઆર્ટ ગેલેરીમાં યોજાયો હતો. તા.15 થી 18 ડિસેમ્‍બર દરમિયાન યોજાયેલ આ આર્ટ ફેસ્‍ટીવલમાં વાપીના જાણીતા ચિત્રકાર જાગૃતિ કાતરીયા કૃતિઓએ આ રાષ્‍ટ્રીય કલા પ્રદર્શનમાં આકર્ષક રૂપ રહી હતી.
સ્‍પંદન નેશનલ આર્ટ ફેસ્‍ટીવલ તાજેતરમાં મુંબઈની હોટલ તાજની તાજ આર્ટ ગેલેરીમાં યોજાયો હતો. આ રાષ્‍ટ્રીય કલા પ્રદર્શનમાં ભારતભરના પ્રસિધ્‍ધ ચિત્રકારોએ ભાગ લીધો હતો. વાપીના જાણીતા ચિત્રકાર જાગૃતિ કાતરીયાએ પણ રાષ્‍ટ્રીય કલા પ્રદર્શનમાં ભાગ લેવાનું આમંત્રણ મળ્‍યું હતું તેથી તેમણે પણ પોતાની ઉત્‍કૃષ્‍ટ કૃતિઓ પ્રદર્શનમાં રજૂ કરી હતી. જે આકર્ષક રૂપ નિવડી હતી. આર્ટ પ્રદર્શનમાં બોલીવુડ સ્‍ટાર જીમી સેરેગીલ અને તેમના પિતા સત્‍યજીત સેરગીલ જેવા મહાનુભાવો સહિત સેંકડો કલા પ્રેમીઓએ આર્ટ ફેસ્‍ટીવલની મુલાકાત લીધી હતી.

Related posts

સીબીએસઈ બોર્ડના જાહેર થયેલા પરિણામમાં દમણમાં ટોપર બનેલ કોસ્‍ટગાર્ડ પબ્‍લિક સ્‍કૂલની વિદ્યાર્થીની કુ. પર્લ રાઠોડના પરિવારની અસ્‍પી દમણિયાની ટીમે લીધેલી શુભેચ્‍છા મુલાકાત

vartmanpravah

હેડગેવાર ભવન મણિનગર ખાતે સામાજિક સંગઠનની મળેલી વાર્ષિક સભા

vartmanpravah

જિલ્‍લા ચૂંટણી અધિકારીશ્રી ક્ષિપ્રા આગ્રેના અધ્‍યક્ષસ્‍થાને વિધાનસભા સામાન્‍ય ચૂંટણી- ૨૦૨૨ ના નોડલ ઓફિસરોની બેઠક યોજાઇ

vartmanpravah

vartmanpravah

સામરવરણી ગામની પરિણીતા ગુમ

vartmanpravah

વલસાડ જિલ્લાના પેન્‍શનરોએ વાર્ષિક હયાતીની ખરાઇ કરાવી લેવી

vartmanpravah

Leave a Comment