Vartman Pravah
Breaking Newsદમણ

મોટી દમણ-પટલારાના ભીખી માતાજી અને હરી હરેશ્વર મહાદેવ મંદિરના પાટોત્‍સવની ભવ્‍ય ઉજવણી સંપન્ન

  • શોભાયાત્રા અને મહાપ્રસાદમાં સેંકડો ભાવિકભક્‍તોએ લીધેલો લાભ

  • વરસો પહેલા સ્‍વાધ્‍યાયના પ્રણેતા પ.પૂ. પાંડુરંગ શાષાી-દાદાના આગમનથી પાવન બનેલી પટલારાની ભૂમિ પ્રસિદ્ધ કથાકાર મેહુલભાઈ જાનીના આગમનથી ફરી દીપી ઉઠી હોવાનો વ્‍યક્‍ત થયેલો ભાવ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.22
આજે મોટી દમણના પટલારા ખાતે આવેલ શ્રી ભીખી માતાજી અને શ્રી હરી હરેશ્વર મહાદેવના મંદિરના પાંચમાં પાટોત્‍સવનું ભવ્‍ય રીતે ઉજવણી કરવામાં આવી હતી. સવારે નિકળેલી શોભાયાત્રામાં સંપૂર્ણ પટલારા સહિત આજુબાજુવિસ્‍તારના સેંકડો ભાવિકભક્‍તો જોડાયા હતા.
આ પ્રસંગે પ્રસિદ્ધ કથાકાર શ્રી મેહુલભાઈ જાની (ખેરગામવાળા) પણ ખાસ ઉપસ્‍થિત રહ્યા હતા અને તેમણે મહાપ્રસાદ પણ ગ્રહણ કર્યો હતો.
આ પ્રસંગે કાર્યક્રમનો ચિતાર આપતા ટ્રસ્‍ટી શ્રી સુભાષભાઈ પટેલે જણાવ્‍યું હતું કે, વરસો પહેલા પ.પૂ. પાંડુરંગ શાષાીના આગમનથી પાવન થયેલી પટલારાની ભૂમિ આજે ત્‍યારબાદ ફરી વખત પ્રસિદ્ધ કથાકાર શ્રી મેહુલભાઈ જાનીના આગમનથી દીપી ઉઠી છે. તેમણે ઉપસ્‍થિત તમામ લોકોનો આભાર પણ પ્રકટ કર્યો હતો.
આ પ્રસંગે આયોજીત મહાપ્રસાદમાં પણ મોટી સંખ્‍યામાં ભાવિકભક્‍તો જોડાયા હતા. પાંચમા પાટોત્‍સવની ઉજવણીમાં સમગ્ર પટલારા ગામ ભક્‍તિમય બની ગયું હતું.

Related posts

દિલ્‍હી ખાતે રાષ્‍ટ્રીય ફિશરીઝ બોર્ડની મળેલી બેઠકમાં દમણ-દીવના માછીમારોની સમસ્‍યાની સભ્‍ય મનિષ ટંડેલે કરેલી વિસ્‍તૃત રજૂઆત

vartmanpravah

આઈએફએસસીએ ના ભવનનો શિલાન્‍યાસ અને દેશના પ્રથમ ઈન્‍ડિયા ઈન્‍ટરનેશનલ બુલિયન એક્‍સચેન્‍જ તથા એનએસઈ, આઈએફએસસી, એસજીએક્‍સ કનેક્‍ટનો શુભારંભ

vartmanpravah

વાપી સરકીટ હાઉસથી રેલવે સ્‍ટેશન રોડ ઉપરથી અતિક્રમણ પોલીસે દૂર કર્યું

vartmanpravah

વાપીની કંપનીમાં લાગેલી આગમાં ઍક કામદાર બળીને ભડથું

vartmanpravah

વલસાડ જિલ્લામાં ૫ વર્ષમાં ૨૬૦૧૯ દસ્તાવેજો મહિલાઓના નામે થયા, સરકારે રૂ. ૨૮.૬૪ કરોડની નોંધણી ફી કરી માફ

vartmanpravah

પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીના જન્‍મ દિવસના ઉપલક્ષમાં આજે દાનહ અને દમણ-દીવ પ્રદેશ ઓબીસી મોર્ચા દ્વારા ભગવાન વિશ્વકર્માની મહાપૂજાનું આયોજન: વિશાળ બાઈક રેલી પણ યોજાશે

vartmanpravah

Leave a Comment