April 29, 2024
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

નવસારી જિલ્લામાં લોકઅદાલતો યોજાઈઃ 15738 કેસોનો નિકાલ કરાયો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
નવસારી, તા.14: રાષ્‍ટ્રીય કાનૂની સેવા સત્તા મંડળના નેજા હેઠળ ગુજરાત રાજય કાનૂની સેવા સત્તા મંડળ, અમદાવાદ અને જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના માર્ગદર્શન હેઠળ તા.12/11/22ના રોજ નવસારી, ગણદેવી, ચીખલી, ખેરગામ, વાંસદા તથા ડાંગ જિલ્લાના આહવા, વઘઈ, સુબીર મથકે વકીલ બારના સહયોગથી લોક અદાલતો યોજવામાં આવી હતી.
લોક અદાલતોમાં તમામ પ્રકારના સિવિલ, ક્રિમીનલ, ભરણપોષણ, ચેક રીટર્ન, જમીન સંપાદનના કેસો,ઈ-મેમો, કૌટુંબિક તકરાર, બેંક મેટર્સ તથા એમ.એ.સી.પી. વિગેરે કેસોનો નિકાલ કરવામાં આવ્‍યો હતો. પ્રિલીટીગેશન લોક અદાલતમાં 4713, લોક અદાલતમાં 677 તથા સ્‍પેશીયલ સીટીંગમાં 10348 મળી કુલ 15738 કેસોનો લોક અદાલતમાં નિકાલ કરવામાં આવ્‍યો છે.
લોકો દ્વારા ચાલતી અદાલત એટલે લોકઅદાલત. આ લોકઅદાલતમાં પક્ષકારોને ઝડપી, ઓછા ખર્ચે, ન્‍યાય મળે છે અને પક્ષકારોના એકબીજાના સમાધાનથી તકરારનો સુખદ અંત આવે તે માટે પ્રયત્‍ન કરવામાં આવે છે. તેમ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, નવસારીની યાદીમાં જણાવ્‍યું છે.

Related posts

વાપી-વલસાડમાં રોડ અકસ્‍માતમાં બે મોત : ચણોદમાં ટેમ્‍પો પલટી મારી જતા દબાઈ ગયેલ સાયકલ સવારનું મોત

vartmanpravah

વાપી વૈશાલી હાઈવે ઉપર સ્‍ટેયરિંગ પર કાબુ ગુમાવતા ટ્રક પલટી મારી ડિવાઈડર ઉપર ચઢી ગઈ

vartmanpravah

રાજ્‍યના નાણાં, ઉર્જા અને પેટ્રોકેમિકલ્‍સ મંત્રી કનુભાઈ દેસાઈના હસ્‍તે વાપી નગરપાલિકાના રૂા.816 લાખના ખર્ચે તૈયાર થનાર પેડેસ્‍ટ્રીયન અંડરપાસ/સબવેનું ખાતમૂહુર્ત અને નગરપાલિકાના 57 સફાઈ કામદારોને હુકમો એનાયત કરાયા

vartmanpravah

પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીની સેલવાસ-દમણ ખાતેની ઐતિહાસિક જનસભા-રેલીનો રાજકીય ફાયદો શાસક ભાજપ ઉઠાવી શકશે?

vartmanpravah

કપરાડા વડોલી વિસ્તારમાં વટાળ પ્રવૃત્તિઓમાં વધારો: આવેદનપત્ર પાઠવાયું

vartmanpravah

સંઘપ્રદેશમાં સંપૂર્ણ પરિવાર આરોગ્‍ય સર્વેક્ષણના પહેલાં દિવસે 9266 ઘરો-પરિવારોનું કરાયેલું સર્વેક્ષણ

vartmanpravah

Leave a Comment