March 3, 2026
Vartman Pravah
Breaking Newsસેલવાસ

દાનહ સિવિલ સોસાયટી જિ.પં.ના વિકાસ કામોનું સોશિયલ ઓડિટ કરશે

દાનહ સિવિલ સોસાયટીના અધ્‍યક્ષ સની ભિમરાના નેતૃત્‍વમાં સીઈઓ અપૂર્વ શર્માની મુલાકાત કરી રજૂ કરેલો પ્રસ્‍તાવ
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.રર
દાનહ સિવિલ સોસાયટીના અધ્‍યક્ષ શ્રી સની ભીમરાના નેતૃત્‍વમાં એક પ્રતિનિધિ મંડળે આજે દાનહ જિલ્લા પંચાયતના મુખ્‍ય કાર્યકારી અધિકારી શ્રી અપૂર્વ શર્માની મુલાકાત કરી તેમને અભિનંદન અને શુભકામના પાઠવી હતી.
દાનહ જિલ્લા પંચાયતના મુખ્‍ય કાર્યકારી અધિકારી શ્રી અપૂર્વ શર્માએ જિલ્લા પંચાયત દ્વારા ગ્રામ્‍ય વિસ્‍તારોમાં અમલ કરવામાં આવી રહેલ વિવિધ યોજનાઓની જાણકારી પણ સિવિલ સોસાયટીના સભ્‍યોને આપી હતી.
આ પ્રસંગે દાનહ સિવિલ સોસાયટીના અધ્‍યક્ષ શ્રી સની ભિમરાએ રજૂઆત કરતા જણાવ્‍યું હતું કે, પ્રધાનમંત્રી શ્રીનરેન્‍દ્રભાઈ મોદીના નેતૃત્‍વમાં દેશ વિકાસની તરફ અગ્રેસર બન્‍યો છે અને દાદરા નગર હવેલી અને દમણ-દીવમાં પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના સક્રિય પ્રયાસોથી દાદરા નગર હવેલીની રોનક બદલાઈ ચૂકી છે અને છેવાડેના લોકોમાં પણ એક આશા જન્‍મી છે ત્‍યારે, જિલ્લા પંચાયત દ્વારા ગ્રામ્‍ય વિસ્‍તારોમાં થતા વિકાસ કામોનું સોશિયલ ઓડિટ માટે ડીએનએચ સિવિલ સોસાયટીએ પ્રસ્‍તાવ રજૂ કર્યો હતો જેને મુખ્‍ય કાર્યકારી અધિકારીએ સ્‍વીકાર કરી વિવિધ યોજનાઓના અમલ માટે જન ભાગીદારીને પ્રોત્‍સાહન આપ્‍યું હતું.

Related posts

ડેંગ્‍યુના ફેલાવાને રોકવા અને નિયંત્રણ માટે જનભાગીદારી છે જરૂરી અભિયાન અંતર્ગત દાનહમાં એક મહિનામાં 25 હજારથી વધુ મચ્‍છરોના પ્રજનન સ્‍થળોને નષ્‍ટ કરાયા

vartmanpravah

બુધવારે મોટી દમણના પટલારાના ભીખી માતાજી અને હરી હરેશ્વર મહાદેવ મંદિરનો પાંચમો પાટોત્‍સવ યોજાશે

vartmanpravah

સ્‍વ.એન.આર. અગ્રવાલની પુણ્‍યતિથિએ વાપી-સરીગામમાં રક્‍તદાન શિબિર યોજાઈ

vartmanpravah

આજે સંઘપ્રદેશના ભાવિનું પરિણામઃ બહુમતિ લોકોના જન માનસનો પડનારો પડઘો: પ્રદેશમાં ભારે ઉત્તેજના અને રોમાંચનો માહોલ

vartmanpravah

આમલીના રામજી મંદિર ટ્રસ્‍ટની જમીનનો ચુકાદો મંદિરના પક્ષે આવતા ફટાકડા ફોડી કરેલી ઉજવણી

vartmanpravah

ધરમપુર ખાતે સાંસદ ડો.કે.સી.પટેલની અધ્‍યક્ષતામાં ભાજપના સુશાસન સપ્‍તાહ ઉજવણીનો કાર્યક્રમ યોજાયો: આદિજાતિના ૫૩૯ લાભાર્થીઓને રૂ.૩.૩૪ કરોડની યોજનકીય સહાયનું વિતરણ કરાયું

vartmanpravah

Leave a Comment