April 17, 2026
Vartman Pravah
Breaking NewsOtherઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદમણદીવદેશનવસારીપારડીવલસાડવાપીસેલવાસ

ખેતીવાડી તંત્ર દ્વારા ખેડૂતોને બિયારણ, રાસાયણિક ખાતર અને જંતુનાશાક દવાઓની ખરીદીમાં સાવધાની રાખવા અપીલ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) વલસાડ, તા.01
જિલ્લાના ખેડૂતોને આગામી ચોમાસા ઋતુમાં ગુણવત્તા સભર અધિકળત બિયારણ, રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાઓ ઉપલબ્‍ધ થઈ શકે એ હેતુથી ખેતી નિયામકશ્રી ગાંધીનગરના માર્ગ્‍દર્શન હેઠળ સંયુક્‍ત ખેતી નિયામકશ્રી(વિસ્‍તરણ) સુરત વિભાગ દ્વારા તા.25મી મે થી તા.28મી મે દરમિયાન આંતર-જિલ્લા સ્‍ક્‍વોડ બનાવી બિયારણ, ખાતર અને જંતુનાશક દવાઓનું વેચાણ કરતા ડીલરો અને એજન્‍સીઓમાં ગુણવત્તા નિયંત્રણના નિયમોનુસાર ચકાસણી ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. જે અન્‍વયે વલસાડ જિલ્લામાં તા.25મી થી તા.28મી મે દરમિયાન 143 ડીલરો અને એજન્‍સીઓની ચકાસણી કરાતા બિયારણના 13, ખાતરના 09 અને જંતુનાશક દવાઓના 05 નમૂના લઈ તપાસ માટે પ્રયોગશાળામાં મોકલવામાં આવ્‍યા હતા. તથા બિયારણના 14, ખાતરના 08 અને જંતુનાશક દવાઓના 08 વિક્રેતાઓને શો-કોઝ નોટિસ આપી, બિયારણનો આશરે રૂા.81.12 લાખ, ખાતરનો રૂા.14.43 લાખ અને જંતુનાશક દવાઓનો રૂા.0.33 લાખના જથ્‍થોનું વેચાણ અટકાવવામાં આવ્‍યું હતું.
ખેતીવાડી તંત્ર દ્વારા ખેડૂતોને બિયારણ, રાસાયણિકખાતર અને જંતુનાશક દવાઓની ખરીદીમાં અમુક બાબતોનુ ખાસ ધ્‍યાન રાખવા જણાવાયું છે. જેમ કે, બિયારણ, રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાઓ અધિકળત લાયસન્‍સ ધરાવતી સહકારી મંડળી પાસેથી કરવી. રાસાયણિક ખાતરની થેલી, જંતુનાશક દવાઓની બોટલ કે ટીન તથા બિયારણની થેલીના સીલની અને મુદ્દતની ચકાસણી કરી લેવી. વેપારીઓ પાસે લાયસન્‍સ નંબર, પુરેપુરા નામ, તેમની સહીવાળા બીલમાં ઉત્‍પાદકનું નામ અને બિયારણના કિસ્‍સામાં મુદ્દત પુરી થયાની તારીખ વગેરે વિગતો દર્શાવતું પાકું બીલ મેળવવું અને બીલમાં દર્શાવેલ વિગતોની ખરાઇ થેલી, ટીન અને લેબલ સાથે અવશ્‍ય કરી લેવી. ખાતરની થેલી/બારદાન ઉપર યથાપ્રસંગ ફર્ટીલાઇઝર, બાયોફર્ટીલાઇઝર, ઓર્ગેનિક ફર્ટીલાઇઝર અથવા નોન-એડીબલ ડી-ઓઇલ્‍સ કેક ફર્ટીલાઇઝર લખેલુ ન હોય તો તેવી થેલીમાં ખાતરને બદલે ભળતો પદાર્થ હોઈ શકે છે તેથી આવા પદાર્થોની ખરીદી કરવી નહી. જમીન સુધારકોને નામે વેચાતા પદાર્થો હકીકતમાં રાસાયણિક કે અન્‍ય ખાતર હોતા નથી તેથી આવા પદાર્થો ખરીદવા કે ખેતીમાં વાપરવા નહીં. વૃધ્‍ધિકારકો (ગ્રોથ હોર્મોન)સહિત જંતુનાશક દવાના લેબલ ઉપર સેન્‍ટ્રલ ઇન્‍સેક્‍ટીસાઇડ બોર્ડ દ્વારા આપેલ સી.આઇ.બી. રજીસ્‍ટ્રેશન નંબર તથા લાયસન્‍સ નંબર લખેલો ન હોય તેમજ લેબલઉપર 45 ડીગ્રીના ખુણે હીરા આકારના ચોરસમાં બે(2) ત્રિકોણ પૈકી નીચેના ત્રિકોણમાં ચળકતો લાલ, પીળો, વાદળી કે લીલો રંગ અને ઉપરના ત્રિકોણમાં ઝેરીપણા અંગેની નિશાની કે ચેતવણી દર્શાવેલી ન હોય તેવા વૃધ્‍ધિકારકો, જંતુનાશક દવાઓની બોટલ, પાઉચ, પેકેટ કે થેલીમાં રહેલ પદાર્થોની ગુણવત્તાની કોઈ ખાતરી ન હોવાથી કોઇપણ સંજોગોમાં આવા પદાર્થોની ખરીદી કરવી નહીં.
આ ઉપરાંત બિયારણ, રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાઓની ગુણવત્તા અંગે જો કોઈ શંકા કે સંશય હોય તો જિલ્લા નાયબ ખેતી નિયામકશ્રી(વિસ્‍તરણ), મદદનીશ ખેતી નિયામકશ્રી(ગુ.નિ), ખેતીવાડી અધિકારી, વિસ્‍તરણ અધિકારી તથા ગ્રામ સેવકનો સંપર્ક કરવા નાયબ ખેતી નિયામક દ્વારા જણાવાયું છે.

Related posts

દાનહઃ શ્રીમતી દેવકીબા મોહનસિંહજી ચૌહાણ કોલેજ ઓફ કોમર્સ એન્‍ડ સાયન્‍સ અને હવેલી ઈન્‍સ્‍ટીટયૂટ ઓફ લીગલ સ્‍ટડીઝ એન્‍ડ રિસર્ચ દ્વારા સ્‍પેક્‍ટ્રમ 2021-22 કાર્યક્રમનું ભવ્‍ય આયોજન

vartmanpravah

દમણ જિલ્લા ખેલ મહોત્‍સવનો આન બાન અને શાનથી આરંભ : જિલ્લા કલેક્‍ટર તપસ્‍યા રાઘવે કરાવેલો જયઘોષ

vartmanpravah

ચીખલી તાલુકાના દેગામમાં ખાનગી કંપની દ્વારા પનીયારી ખાડીના પટમાં દબાણ અને સ્‍થાનિકોને રોજગારી સહિતના મુદ્દે બીટીટીના પ્રદેશ મહામંત્રીની રજૂઆત બાદ સીએમ કાર્યાલય દ્વારા જિલ્લા કલેક્ટરને તપાસ સોંપાઈ

vartmanpravah

સંઘપ્રદેશના આરોગ્‍ય વિભાગના સહયોગથી સેલવાસમાં ‘ભારતીય જન ઔષધિ સપ્તાહ’ અંતર્ગત નિકળેલી વિશાળ બાઈક રેલી

vartmanpravah

નાનાપોંઢા પો.સ્‍ટે.માં દારૂના ગુનામાં કાર માલિક મહિલાનું નામ નહી ખોલવા મામલે દોઢ લાખની લાંચ લેતા વચેટીયો ઝડપાયો

vartmanpravah

વલસાડ પારડી સાંઢપોર ગ્રામ પંચાયતનો પ્રશંસનીય નવતર પ્રયોગ : 48 એપાર્ટમેન્‍ટનું પાણી બોરીંગમાં ઉતારાશે

vartmanpravah

Leave a Comment