July 16, 2026
Vartman Pravah
Breaking Newsદમણદેશ

સંઘપ્રદેશના શિક્ષણ સચિવ પૂજા જૈન અને ટ્રાન્‍સપોર્ટ સચિવ દાનિસ અસરફની દિલ્‍હી બદલીનો આદેશ

  • ગોવાથી 2015 બેચના આઈએસ અધિકારી અંકિતા આનંદ અને મેકાલા ચૈતન્‍ય પ્રસાદનું થનારૂ આગમન

  • સંઘપ્રદેશના આઈપીએસ અધિકારી શરદ દરાડેની અરુણાચલ પ્રદેશ બદલી, તેમના સ્‍થાને 2015 બેચના આઈપીએસ અધિકારી ફુલજેલે પિયુષ નિરાકર

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.રર
ભારત સરકારના ગૃહ મંત્રાલય દ્વારા વિવિધ આઈએએસ અને આઈપીએસ અધિકારીઓની બદલીના જારી કરેલા આદેશમાં આજે સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવમાં ટ્રાન્‍સપોર્ટ સચિવ તરીકે ફરજ બજાવી રહેલા ર011 બેચના આઈએસ અધિકારી શ્રી દાનિસ અસરફ અને સંઘપ્રદેશના શિક્ષણ સચિવ શ્રીમતી પૂજા જૈનની દિલ્‍હી બદલીના આદેશ જારી કરાયા છે.
દાનહ અને દમણ-દીવમાં કાર્યરત 2013 બેચના આઈપીએસ અધિકારી શ્રી શરદ ભાસ્‍કર દરાડેની અરુણાચલ પ્રદેશ બદલી કરાઈ છે.
2015 બેચના આઈએસ અધિકારી સુશ્રી અંકિતા આનંદ અને મેકાલા ચૈતન્‍ય પ્રસાદની ગોવાથી સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અનેદમણ-દીવ માટે બદલી કરાઈ છે.
અત્રે નોંધનીય છે કે, સંઘપ્રદેશમાં શિક્ષણના સુધારા માટે શિક્ષણ સચિવ તરીકે શ્રીમતી પૂજા જૈને મહત્‍વની ભૂમિકા ભજવી હતી. તેમની બદલીનો આદેશ ગૃહ મંત્રાલય દ્વારા થયા બાદ હવે સંઘપ્રદેશ પ્રશાસન તેમને રીલીવ કરી તેમના સ્‍થાને અન્‍ય અધિકારીઓની નિયુક્‍તિ કરી શકે છે.

Related posts

સેલવાસની વૃંદાવન સોસાયટી ખાતે શ્રીમદ્‌ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનો શુભારંભ

vartmanpravah

અથાલની કંપનીમાં વોચમેન તરીકે ફરજ બજાવતા યુવાનનું મોત

vartmanpravah

વાપી ડુંગરામાં કંપનીનું નામ બદલી અન્‍ય જગ્‍યાએ બિઝનેસ કરી રૂા.32.89 કરોડ વેચાણ વેરો ચાઉં કરનાર બે ડાયરેક્‍ટરોની ધરપકડ

vartmanpravah

સેલવાસની દીપ ડેરીમાં શોર્ટ સર્કિટના કારણે લાગેલી આગઃ દુકાનનો સામાન બળીને ખાખ

vartmanpravah

કોરોના વાયરસ સામે રક્ષણ મેળવવા લોક સહયોગ જરૂરી

vartmanpravah

વલસાડ-નવસારી હાઈવે ઉપર ગોઝારો અકસ્‍માત સર્જાયો : વર્ષના છેલ્લા દિવસે 9 લોકોની જીંદગીનો આખરી દિન બન્‍યો

vartmanpravah

Leave a Comment