March 4, 2026
Vartman Pravah
Breaking Newsસેલવાસ

દાનહમાં 15થી 18વર્ષના બાળકો માટે કોવીડ ટીકાકરણની શરૂઆત કરાઈ

(વર્તમાનપ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.03
દાદરા નગર હવેલીમાં આરોગ્‍ય વિભાગ દ્વારા 15 થી 18 વર્ષના બાળકો માટે કોવેક્‍સિન ટીકાકરણનો પ્રારંભ કરવામા આવ્‍યો છે. દેશના પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદી દ્વારા દેશના લોકોને સંબોધન કરવામાં આવ્‍યું હતું. તેમા એમણે જણાવ્‍યું હતું કે, 3જી જાન્‍યુઆરીથી 15થી 18વર્ષના બાળકો માટે વેક્‍સીનેશનનો પ્રારંભ કરાશે. જે સંદર્ભે પ્રદેશના 52(બાવન) સેન્‍ટરો સહિત શાળા પરિસરોમા વિદ્યાર્થીઓ માટે કોવેક્‍સિન ટીકાકરણનો પ્રારંભ કરવામા આવ્‍યો છે. જેમા પ્રથમ દિવસે 5166 લોકોને વેક્‍સીન આપી દેવામા આવી છે.
પ્રદેશમા અંદાજીત 14800 સરકારી તેમજ ખાનગી શાળાના બાળકોને વેક્‍સીન આપવામા આવશે. ટોકરખાડા સરકારી શાળામાં આચાર્ય શિક્ષકો અને આરોગ્‍ય અધિકારીની ઉપસ્‍થિતિમાં રસીકરણનો શુભારંભ કરવામા આવ્‍યો હતો. બાળકોને સોશિયલ ડીસ્‍ટન્‍સ સાથે ઉભા રાખી પહેલા એમનું રજીસ્‍ટ્રેશન કર્યા બાદ ટીકાકરણ કરવામાં આવ્‍યું હતું.
દાનહ આરોગ્‍ય વિભાગના રસીકરણ મુખ્‍ય અધિકારી ડો.એ.કે.માહલાએ જણાવ્‍યું હતું કે, બાળકોને રસી આપવાની શરૂઆત પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદીના જણાવ્‍યા પ્રમાણે 3જાન્‍યુઆરીથી પ્રદેશમાં કરવામાં આવી છે. જેને લઈ તમામ તૈયારી પૂર્ણ કરવામા આવીછે રસીના 34 હજાર ડોઝ અમારી પાસે આવી ચુકયા છે પ્રદેશનો કોઈ પણ બાળક રહી નહી જાય એનું ધ્‍યાન રાખવા જણાવાયું છે.

Related posts

વાપી એસટી ડેપોમાં કર્મચારીનો નિવૃત્તિ વિદાય સમારંભ યોજાયો

vartmanpravah

વલસાડ જિલ્લાના સરોધી ગામે વિશાળ કાય અજગર રેસ્‍કયુ કરાયો

vartmanpravah

વાપીમાં નાર્કોટિક્‍સના ગુનામાં ઝડપાયેલ એનસીબીએ સીલ કરેલ કંપનીમાં પ્રવેશ, પુરાવા સાથે ચેડા?

vartmanpravah

ધરમપુર મોટી ઢોલડુંગરી ગામે આંગણવાડીનું લોકાર્પણ કરાયું

vartmanpravah

વંદે ગુજરાત વિકાસ યાત્રાનો રથ બીજા દિવસે ચણવઇ ગામમાં પહોંચ્યો, લાભાર્થીઓને સહાયનું વિતરણ કરાયું

vartmanpravah

મગરવાડા ગ્રુપ ગ્રામ પંચાયતની ગ્રામ સભામાં સબકી યોજના સબકા વિકાસ જીપીડીપી પ્‍લાનને મળેલી મંજુરી

vartmanpravah

Leave a Comment