Vartman Pravah
Breaking Newsઉમરગામવલસાડ

સરીગામ-2 બેઠકના તાલુકા પંચાયતના સભ્‍ય સહદેવ વઘાતે સભ્‍યપદ પરથી આપેલુંરાજીનામું

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સરીગામ,તા.03
ઉમરગામ તાલુકા પંચાયતના સરીગામ-2 બેઠકના તાલુકા પંચાયતના સભ્‍ય શ્રી સહદેવભાઈ વઘાતે આજરોજ તાલુકા પંચાયતના પ્રમુખશ્રીને સભ્‍યપદ પરથી દૂર થવા રાજીનામુ આપ્‍યું છે.
શ્રી સહદેવભાઈ વધાતે તાજેતરમાં યોજાયેલી સરીગામ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં સરપંચના ઉમેદવાર તરીકે જીત હાંસલ કરી છે. ગુજરાત પંચાયત ધારાની કલમ 29 (3) મુજબ શ્રી સહદેવભાઈ વઘાતે કોઈપણ એક હોદ્દાનો ફરજીયાત ત્‍યાગ કરવો જરૂરી છે. જેથી આજરોજ સરીગામ વિકાસ મંચ પેનલના પ્રણેતા શ્રી રાકેશભાઈ રાય અને સરપંચની ચૂંટણીમાં જીત મેળવવામાં અહમ ભૂમિકા ભજવનાર તાલુકા પંચાયતના પૂર્વ સભ્‍ય શ્રી વિનોદભાઈ ઠાકોરની ઉપસ્‍થિતિ સાથે શ્રી સહદેવભાઈ વધાતે તાલુકા પંચાયત સભ્‍યપદ ઉપરથી રાજીનામું આપ્‍યું હતું.
શ્રી સહદેવભાઈ વધાત તાલુકા પંચાયતની ચૂંટણી કોંગ્રેસના પ્રતીક ઉપર જીતી હતી. ઉમરગામ તાલુકા પંચાયતમાં માત્ર બે બેઠક પર કોંગ્રેસે વિજય હાંસલ કર્યો હતો. જેમાંથી આજરોજ એક સભ્‍યએ રાજીનામુ આપતા હવે તાલુકા પંચાયતમાં કોંગ્રેસની એક બેઠક રહી જવા પામી છે.
શ્રી સહદેવભાઈ વધાતે આપેલા રાજીનામાની જાણકારી તાલુકા વિકાસ અધિકારી, જિલ્લા વિકાસ અધિકારી, કલેકટરશ્રી વલસાડ અને તલાટી કમમંત્રીશ્રી સરીગામને કરી દેવામાં આવી છે.

Related posts

સંઘપ્રદેશમાં ટુરિઝમ વિભાગના રજીસ્‍ટ્રેશન/લાયસન્‍સ વગર ચાલતી હોટલો, હોમસ્‍ટે ઉપર તવાઈઃ નિર્ધારિત સમયમાં રિન્‍યુ કરવા તાકિદ

vartmanpravah

વલસાડના કપરાડા તાલુકાના અંભેટી ગામની ઘટના કાકાએ ભત્રીજા પર હુમલો કર્યા બાદ પોતે ફાંસો ખાઈ લેતા ભારે ચકચાર મચી ગઈ

vartmanpravah

આજે વિશ્વ આદિવાસી દિવસઃ જિલ્લામાં પશુપાલન ક્ષેત્રે આદિવાસી મહિલા અગ્રેસર

vartmanpravah

વલસાડ એસટી વિભાગીય કચેરી દ્વારા પડતર પ્રશ્નોના નિકાલ માટે ઓપન હાઉસની નવી પહેલ

vartmanpravah

વાપી રાજસ્‍થાન પ્રગતિ મંડળ દ્વારા એ.એસ.પી. શ્રીપાલ શેસ્‍માનો અભિનંદન સમારોહ યોજાયો

vartmanpravah

હરિદ્વારથી 1400 કિમીની પદયાત્રા કરીને આવેલા ભક્‍તો ગંગાજળથી આજે આછવણી ખાતે પ્રગટેશ્વર મહાદેવનો અભિષેક કરશે

vartmanpravah

Leave a Comment