July 18, 2026
Vartman Pravah
Breaking Newsવલસાડ

ધરમપુરના વાંસદાજંગલ ગામે પતિની પ્રેમીકાનું ઢીમ ઢાળવા નિકળેલી પત્‍નીએ ભૂલથી પ્રેમીકાની માતાની હત્‍યા કરી પોતે આપઘાત કરીલીધો

પ્રેમીકા લગ્ન પ્રસંગમાં ગઈ હતી, માતા રાત્રે સૂતેલી હતી, પત્‍ની લીલાએ માતાને કુહાડી મારી હત્‍યા કરી નાંખી

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.03
લગ્નેતર સંબંધો ક્‍યારેક વરવા પરિણામમાં તબદીલ થતા સમાજમાં જોવા મળે છે. કંઈક તેવી જ ઘટના ધરમપુર પાસેના વાંસદા જંગલ ગામે રવિવારે રાત્રે ઘટી હતી. વાંસદા જંગલમાં રહેતી લીલાબેનનો પતિ ગામની અન્‍ય મહિલા સાથે આડા સંબંધ ધરાવતો હતો. પત્‍ની કંટાળી ગઈ હતી. પતિને રવિવારે બહારગામ પિયરમાં મોકલી લીલાબેન પતિની પ્રેમીકાનું કાયમ માટે કાસળ કાઢવા માટે ઘરેથી કુહાડી લઈ પ્રેમીકાના ઘરે રાત્રે પહોંચી ગઈ હતી. પ્રેમીકા લગ્ન પ્રસંગમાં ગઈ હોવાથી ભૂલથી ક્રોધના આવેશમાં લીલાબેનએ સુતેલી પ્રેમીકાની માતા ઉપર હુમલો કરી મોતને ઘાટ ઉતારી દીધી હતી. આ કૃત્‍ય કોઈ જોઈ ગયું હતું તેથી ઘરે આવીને પોતે પણ આપઘાત કરી લેતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી હતી.
વાંસદા જંગલ ગામે રહેતી લીલાબેન આશાવર્કર તરીકે કામ કરતા ના લગ્ન ગુલાબભાઈ સાથે થયા હતા. પરંતુ પતિને ગામની અન્‍ય મહિલા સાથે આડો સબંધ હતો તેથી કંટાળી ગઈ હતી. રવિવારે પતિને પિયર માતા-પિતાની ખબર કાઢવા મોકલી આપી. રાત્રે લીલાબેન પ્રેમીકાનો કાયમી અંત લાવવા ઘરેથી કુહાડીલઈ રાત્રે નિકળી હતી. ખાટલામાં સુતેલી પ્રેમીકા સમજીને લીલાએ મોતને ઘાટ ઉતારી દીધી. હકીકતમાં પ્રેમીકા લગ્નમાં ગઈ હતી. ખાટલામાં પ્રેમીકાની માતા રેશમાબેન સુતા હતા તેમનું મોત નિપજાવી દીધેલું. આ કૃત્‍ય કરતા કોઈ જોઈ ગયેલું. તેથી લીલાએ ઘરે આવીને આપઘાત કરી લીધો હતો. બે મોતની ઘટનાએ પંથકમાં ચકચાર મચાવી દીધી હતી.

Related posts

વાપી ગુંજનમાં ગારમેન્‍ટ સ્‍ટોર્સમાં ચોરીની ઘટના: બુરખાધારી મહિલા ચોર કિંમતી ડ્રેસ ચોરતી સીસીટીવીમાં કેદ

vartmanpravah

વલસાડ મોગરાવાડીમાં ઝેરી દવા પી ને એક જ પરિવારના ચાર સભ્‍યોએ સામુહિક આપઘાતની કોશિષ કરી

vartmanpravah

આજે દાનહ બેઠક ભાજપના ઉમેદવાર કલાબેન ડેલકર હજારો કાર્યકર્તા અને ટેકેદારો સાથે પોતાનું ઉમેદવારી પત્રક ભરશે

vartmanpravah

દાદરા નગર હવેલીમાં 01 કોરોના પોઝિટિવ કેસ નોંધાયો

vartmanpravah

સંઘપ્રદેશમાં કોરોના કેસોમાં મળી રહેલી રાહતઃ દાનહ-દમણમાં 3-3 અને દીવમાં 1 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા

vartmanpravah

ઉમરગામના મોહનગામમાં આદિવાસી અમૃત કુંભ મહોત્‍સવ રથ યાત્રાનું ધારાસભ્‍ય રમણલાલ પાટકરે ઉમળકાભેર સ્‍વાગત કર્યું

vartmanpravah

Leave a Comment