April 20, 2026
Vartman Pravah
Breaking Newsગુજરાતચીખલી

ચીખલીના મલવાડા-મજીગામ નેશનલ હાઇવે સ્‍થિત અંડર પાસ પર હાઇવે ઓથોરિટી દ્વારા વાહન વ્‍યવહાર શરૂ : સાત માસ જેટલો સમય વિતવા છતાં સર્વિસ રોડના ઠેકાણા નહી : વાહનચાલકોના માથે જોખમ યથાવત

(તસવીર-અહેવાલ દીપક સોલંકી ચીખલી)
ચીખલી, તા.06
ચીખલીના મલવાડા-મજીગામ નેશનલ હાઇવે સ્‍થિત અંડર પાસ પર હાઇવે ઓથોરિટી દ્વારા વાહન વ્‍યવહાર શરૂ કરાયાને સાત માસ જેટલો સમય વિતવા છતાં સર્વિસ રોડ ના ઠેકાણા નહી હોવાથી વાહનચાલકોના માથે જોખમ યથાવત રહેવા પામ્‍યો છે
હાઇવે ઓથોરિટીના બેદરકારીભર્યા વહીવટમાં મજીગામ-થાલા વચ્‍ચેની લંબાઇમાં વર્ષોથી સર્વિસ રોડનું કામ અધ્‍ધરતાલ કરતા રહેવા પામ્‍યું છે. દિવસ-રાત વાહન વ્‍યવહારથી ધમધમતા નેશનલ હાઈવે પર મલવાડા-મજીગામફાટકનો વિસ્‍તાર અકસ્‍માત ઝોન બની જવા પામ્‍યો હતો અને જે સમસ્‍યાના નિવારણ માટે સ્‍થાનિકોને વર્ષો જૂની માંગને ધ્‍યાનમાં લઇ હાઇવે ઓથોરિટી દ્વારા મલવાડા મજીગામ ફાટક પાસે કરોડો રૂપિયાના ખર્ચે અંડરપાસનું નિર્માણ કરવામાં આવ્‍યું હતું અને આ અંદર પાસ વાહનચાલકો માટે ગત મે માસમાં જ ખુલ્લો મૂકી દેવાયો હતો.
અંડર પાસ પર વાહન વ્‍યવહાર શરૂ કર્યાને સાતેક માસ વિતવા છતાં સર્વિસ રોડનું અધૂરું કામ કોઈક કારણોસર પુરું કરાયું નથી અને આજે સર્વિસ રોડના અધૂરા કામને પગલે અંડરપાસનો પૂરતો મતલબ ન રહેવા સાથે વાહનચાલકોના માથે જોખમની સ્‍થિતિ યથાવત રહેવા પામી છે.
નેશનલ હાઈવે પર મજીગામથી થાલા વચ્‍ચેની લંબાઈમાં મલવાડા અંડરપાસ પાસે કાલાખાડી નજીક, કસ્‍તુરી ટ્રેડર્સ સહિતના વિસ્‍તારમાં વર્ષોથી સર્વિસ રોડનું કામ અધૂરું છે અને જૈસે-થેની સ્‍થિતિમાં જોવા મળી રહ્યું છે. ખરેખર હાઈવે ઓથોરિટીએ સર્વિસ રોડના અધૂરા કામ પૂર્ણ કરવા આળસ ખંખેરવી જોઈએ. આમ તો નેશનલ હાઇવેનું વિસ્‍તળતીકરણ કરીને સિક્‍સ લેન કરાયાને પણ ઘણા વર્ષો વીતી ગયા છે. તેમ છતાં સર્વિસ રોડની પૂર્ણ કરવામાં આવ્‍યો નથી. સત્તાધારી ભાજપ પક્ષના ચૂંટાયેલા નેતાઓની પણ નિષ્‍ક્રિયતા પણ આ માટે જવાબદાર જણાઈ રહીછે.
થાલાના અનિલભાઈ આહીરના જણાવ્‍યાનુસાર થાલમાં કસ્‍તુરી ટ્રેડર્સ પાસે સએવીસ રોડ અડગુરો હોવાથી ચીખલી તરફ જવા માટે હાઇવે પર રોંગ સાઈડે ચઢવું પડે છે અને આવી સ્‍થિતિમાં રાત્રી દરમ્‍યાન જોખમ વધી જવું હોય છે. ત્‍યારે સર્વિસ રોડની અધૂરી કામગીરીથી લોકો ભારે મુશ્‍કેલી વેઠી રહ્યાં છે.

Related posts

સેલવાસ પ્રશાસન દ્વારા ટ્રાન્‍સપોર્ટનગરના નિર્માણ માટે બાધારૂપ 3 ઝૂંપડાઓનું કરાયું ડિમોલીશન: ત્રણ પરિવારો ઘરવિહોણાં બન્‍યા

vartmanpravah

કેન્‍દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમનના હસ્‍તે પાયલોટ પ્રોજેક્‍ટ તરીકે વાપીથી રાજ્‍યના 12 જીએસટી સેવા કેન્‍દ્રનું ઈ-લોકાર્પણ કરાયું

vartmanpravah

સંઘપ્રદેશ ભાજપ પ્રભારી વિનોદ સોનકરે બૂથ જીતવા નિષ્‍ઠાથી કાર્ય કરવા કરેલી હાકલ

vartmanpravah

સેલવાસ ન.પા. દ્વારા ડેંગ્‍યુ, મેલેરિયા, ટાઈફોડ જેવી બીમારીને ફેલાતી અટકાવવા માટે દવા છંટકાવની શરૂ કરાયેલી કામગીરી

vartmanpravah

દમણ-દીવ લોકસભા બેઠક માટે 24 કલાક માટે શરૂ કરાયો ઈલેક્‍શન કંટ્રોલ રૂમ

vartmanpravah

દમણ અને દાનહના એસ.પી.ની આંતરિક બદલીઃ દમણના એસ.પી. તરીકે રાજેન્‍દ્ર મીણા અને દાનહમાં અમિત શર્મા

vartmanpravah

Leave a Comment