October 15, 2025
Vartman Pravah
Breaking Newsદીવ

દીવ જિલ્લામાં 15 થી 18 વર્ષના વિદ્યાર્થીઓ માટે ત્રણ દિવસીય કોરોના રસીકરણ અભિયાન પૂર્ણ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દીવ, તા.06
કોરોના તથા ઓમીક્રોમની ગંભીરતાને ધ્‍યાનમાં રાખીને દેશના પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદીએ સમગ્ર દેશમાં 15 થી 18 વર્ષનાવિધાર્થીઓને કોરોના રસીકરણ શરૂ કરવામાં આવ્‍યું હતું. જે અંતર્ગત દીવ જીલ્લામાં ત્રણ દિવસીય સ્‍કૂલ કોરોના રસીકરણ અભિયાન હાથ ધરવામાં આવ્‍યું હતું. ત્રણ દિવસ દરમિયાન ઘોઘલા, દીવ, વણાંકબારા, બુચરવાડા, ફુદમ, દગાથી, સાઉદવાડી, નાગવા, કેન્‍દ્રીય વિદ્યાલય, ગેલેક્‍સી સ્‍કૂલ, નિર્મલા માતા,નવોદય વિદ્યાલય, પોલીટેકનિક કોલેજ, દીવ કોલેજ, આઈ.ટી.આઈ તથા ટી.ટી.આઈ વગેરેના 3200 જેટલા વિદ્યાર્થીઓને કોવેકસીન આપવામાં આવી હતી. કોરોના રસીકરણ સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવ્‍યું હતું.
આ અભિયાનમાં 99 ટકા સ્‍વાસ્‍થ્‍ય વિભાગને સફળતા મળી 15 થી 18વર્ષના બાળકો રસીકરણ માટે બાકી હોય તેને ઘરે ઘરે જઈને રસીકરણ કરવામાં આવશે. ભારતમાં જ્‍યારે ત્રીજી લહેરનું આગમન વેગથી વધુ રહ્યું ત્‍યારે પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદીનો આ નિર્ણય ખૂબજ વરદાન દાયક નિવડશે. જેના માટે દરેક વિદ્યાર્થીઓએ પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદી અને દીવ પ્રશાસનનો આભાર વ્‍યક્‍ત કર્યો હતો.

Related posts

ઓનલાઈન નોકરી આપવાના બહાને છેતરપીંડી કરનાર બે આરોપી ઝડપાયા

vartmanpravah

ગુજરાત વિધાનસભાની અનુસૂચિત જનજાતિ કલ્‍યાણ સમિતિ અને તેના સભ્‍યોએ વાપી ઈન્‍ડસ્‍ટ્રીઅલ એસ્‍ટેટની લીધેલી મુલાકાત

vartmanpravah

ચીખલીના થાલા ગામેથી પસાર થતા રાષ્‍ટ્રીય ધોરી માર્ગના સર્વિસ રોડ પર ખાડાનું સામ્રાજ્‍યઃ વિકાસ થંભી ગયો

vartmanpravah

‘વિકસિત ભારત, મોદીની ગેરંટી’  દાનહ અને દમણ-દીવે શિક્ષણના ક્ષેત્રે આભને આંબતી કરેલી દમદાર પ્રગતિ

vartmanpravah

વલસાડ જિલ્લામાં તા.23 માર્ચ સુધી પવન અને ગાજવીજ સાથે કમોસમી વરસાદની આગાહી

vartmanpravah

વાપી કરવડ નહેરમાં ક્ષત-વિક્ષત હાલતમાં મળેલી બાળકની લાશનો ભેદ ઉકેલ્‍યો : તાંત્રિક વિધી માટે બલી ચઢાવાઈ હતી

vartmanpravah

Leave a Comment