September 3, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ચીખલીના થાલા ગામેથી પસાર થતા રાષ્‍ટ્રીય ધોરી માર્ગના સર્વિસ રોડ પર ખાડાનું સામ્રાજ્‍યઃ વિકાસ થંભી ગયો

વરસાદે વિરામ લીધાને લાંબો સમયવીતવા છતાં હાઇવે ઓથોરિટીને ખાડા પુરવાની ફુરસદ નથીઃ વાહન ચાલકો જીવના જોખમે આ સર્વિસ રોડ પરથી પસાર થવા મજબુર

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી,(વંકાલ), તા.14: તાલુકામાંથી પસાર થતા રાષ્‍ટ્રીય ધોરીમાર્ગ અને તેના સર્વિસ રોડની છેલ્લા વર્ષોમાં સૌથી ખરાબ સ્‍થિતિ આ ચોમાસામાં જોવા મળી છે. અને મરામતમાં પણ હાઇવે ઓથોરિટી અને તેની એજન્‍સી દ્વારા સૌથી વધુ બેદરકારી આ વખતે જ દાખવવામાં આવી હોય તેવું સ્‍પષ્ટ દેખાઇ રહ્યું છે. હાઈવેની વાત હોય કે તેના સર્વિસ રોડની પરંતુ મરામતમાં નકરી વેઠ ઉતારી મનમાની ચલાવવામાં આવી રહી છે.
તાલુકામાંથી પસાર થતા હાઇવેના સર્વિસ રોડ ઉપર ચોમાસામાં ઠેર ઠેર મસમોટા ખાડા પડયા હતા. આજે વરસાદે વિદાય લીધાને લાંબો સમય વીતવા છતાં મરામત કરાઈ નથી. થાલામાં પેટ્રોલપંપની આગળ તો આખેઆખો સર્વિસ રોડ બેસી જવા પામ્‍યો છે. અને એટલા મોટા અને ઊંડા ખાડા પડયા છે કે સર્વિસ રોડનું અસ્‍તિત્‍વ જ ભૂંસાઈ જવા પામ્‍યું છે. આવી હાલત તોછેવાડાના ગામડાના શેરી રસ્‍તાની પણ નથી. આ મહાકાય ખાડામાંથી પસાર થવું વાહન ચાલકો માટે જોખમી પુરવાર થાય તેવી સ્‍થિતિ ઉભી થવા પામી છે. ખાડાની આજુબાજુ સલામત જગ્‍યા શોધીને પસાર થવું પડી રહ્યું છે. સર્વિસરોડ ખાસ કરીને સ્‍થાનિકોને ખૂબ ઉપયોગી હોય તેવામાં ચોમાસાની વિદાયના દિવસો વીતવા છતાં મરામત માટે ફુરસદ મળી નથી.
ટોલટેક્ષ પેટે લાખો રૂપિયાની આવક મેળવનાર હાઇવે ઓથોરિટીને લોકોની સલામતીની કોઈ જ પડેલી ન હોય તેમ મરામતમાં બેદરકારી દાખવવામાં આવી રહી છે. ચંૂટણીમાં મત મળી ગયા બાદ નેતાઓને પણ લોકોની સલામતી કે સુવિધા માટે ફુરસદ હોતી નથી. તેવા હાઇવે ઓથોરિટીને કોઈ પૂછનાર જ ન હોય તેવામાં મનમાની કરવા માટે તેને મોકળું મેદાન મળી જવા પામ્‍યું છે. જેમાં લોકોએ પીસાવા સિવાય કોઈ છૂટકો જણાતો નથી ત્‍યારે આવી સ્‍થિતિમાં હાઇવે ઓથોરિટી દ્વારા કયારે મરામત કરાશે તે જોવું રહ્યું.

Related posts

દાનહ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર બનતા કલાબેન ડેલકરઃ ડેલકર જૂથના કાર્યકર્તાઓમાં આનંદની લહેર: વરસોથી ભાજપને વફાદાર રહેલા સંનિષ્‍ઠ કાર્યકરો હતાશ

vartmanpravah

દાનહમાં દમણગંગા કિનારે તથા ગામડાઓમાં નહેર કાંઠે અસ્‍તાંચળના સૂર્યને અર્ઘ્‍ય આપી છઠ્ઠ મહાપર્વ નિમિત્તે ઉત્તર ભારતીયોએ કરેલું પૂજન-અર્ચન

vartmanpravah

રાજ્‍યના પાણી પુરવઠા મંત્રી જીતુભાઈ ચૌધરીનો પ્રવાસ કાર્યક્રમ (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) વલસાડ તા.05: ગુજરાતના કલ્‍પસર, મત્‍સ્‍યોદ્યોગ (સ્‍વતંત્ર હવાલો), નર્મદા, જળસંપત્તિ, અને પાણી પુરવઠા વિભાગના રાજ્‍યકક્ષાના મંત્રી શ્રી જીતુભાઈ ચૌધરી તા.6/4/2022ના રોજ સવારે 10-00 કલાકે નાનાપોંઢા ખાતે ભાજપના સ્‍થાપના દિનના કાર્યક્રમમાં ઉપસ્‍થિત રહેશે, ત્‍યારબાદ મતવિસ્‍તારના ગામોની મુલાકાત લઈ લોકસંપર્ક કરશે. તા.7/4/2022 અને તા.8/4/2022ના રોજ અનુラકૂળતાએ તેમના મતવિસ્‍તારના ગામોની મુલાકાત લઈ લોકસંપર્ક કરશે. તા.9/4/2022ના રોજ સાંજે 4-00 કલાકે જલારામધામ, ફલધરા ખાતે રામનવમી નિમિત્તે ભવ્‍ય આનંદ મેળામાં હાજરી આપશે, ત્‍યારબાદ મતવિસ્‍તારના ગામોની મુલાકાત લઈ લોકસંપર્ક કરશે. તા.10/4/2022ના રોજ સવારે 9-00 કલાકે નૂતન વિદ્યાલય ધરાસણા ખાતે ગુજરાત પ્રદેશ અધ્‍યક્ષની ઉપસ્‍થિતિમાં યોજાનારા મેગા બ્‍લડ ડોનેશન કેમ્‍પમાં હાજરી આપશે અને ત્‍યારબાદ મતવિસ્‍તારના ગામોની મુલાકાત લઈ લોકસંપર્ક કરશે. સાંજે 4-30 કલાકે મહર્ષિ સદ્‌ગુરુ સદાફલ દેવ દંડકવન આશ્રમ, વાંસીયાતળાવ, તા.વાંસદા, જિ.નવસારી ખાતે વિહંગમ યોગસત્‍સંગ સમારોહ અને ધ્‍યાન શિબિરમાં હાજરી આપી અનુકૂળતાએ ગાંધીનગર જવા રવાના થશે

vartmanpravah

વાપી યુ.પી.એલ. મુક્‍તિધામને 6 વર્ષ પુરા થયા: 4763 જેટલા મૃતદેહોના અગ્નિ સંસ્‍કાર કરાયા

vartmanpravah

દમણ-દીવ સ્‍ટેટ કો.ઓ. બેંકે પોતાના જૂના બાકીદારો પાસેનું દેવું વસૂલવા ઘરે બેન્‍ડવાજાની ટીમ મોકલવા શરૂ કરેલો નવો કિમીયો

vartmanpravah

અગ્રવાલ લેડીઝ સોશીયલ કલબ દ્વારા તા.૨૦મી ડિસેમ્‍બરથી વલસાડ ખાતે શ્રીમદ ભાગવત કથા જ્ઞાનયજ્ઞનું આયોજન

vartmanpravah

Leave a Comment