Vartman Pravah
Breaking Newsગુજરાતનવસારી

અબોલ જીવને બચાવવા જિલ્લાના સામાજીક વનીકરણ વિભાગ, પશુપાલન વિભાગ ,સ્વૈછિક સંસ્થાઓ દ્વારા કરૂણા અભિયાન હાથ ધરાશે.

(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) નવસારી: આગામી ઉતરાયણ પર્વ દરમિયાન પતંગની દોરીથી અબોલ પક્ષીઓ ઘાયલ થવાના બનાવ અટ્કે તેમજ ઘાયલ પક્ષીઓની ત્વરીત સારવાર કરી સ્વસ્થ પક્ષીઓનો જીવ બચાવી પુન:મુક્ત કરી શકાય તે અર્થે ગુજરાત સરકાર દ્વારા સમગ્ર રાજ્યમાં આગામી તા.૧૦/૦૧/૨૦૨૨ થી તા.૨૦/૦૧/૨૦૨૨ દરમિયાન કરૂણા અભિયાન-૨૦૨૨નું આયોજન કરવાની સુચના ભાગરૂપે નવસારી જિલ્લામાં સામાજીક વનીકરણ વિભાગ,પશુપાલન વિભાગ,સ્વૈછિક સંસ્થાઓ દ્રારા પતંગના દોરાથી પક્ષીઓ ઘાયલ થવાના બનાવ અટકે તેમજ ઘાયલ પક્ષીઓની ત્વરીત સારવાર અર્થે જિલ્લા તથા તમામ તાલુકા કક્ષાએ કંટ્રોલરૂમ,ઓનલાઇન લિંક લોકેશન સહીતની વિગતના હેલ્પલાઇન સેન્ટર,રેશ્ક્યુટીમ,પશુ દવાખાનાની વિગતો સહીત આયોજન કરવામાં આવેલ છે.જેથી ઉતરાયણ પર્વ દરમિયાન અબોલ પક્ષીઓના જીવનું રક્ષણ કરી શકાય. જિલ્લા કંટ્રોલરૂમ વન વિભાગ-(૦૨૬૩૭)૨૫૯૮૨૩  અને ગુજરાત વન વિભાગનું કરૂણા અભિયાનમાં ૧૦ જાન્યુઆરી થી ૨૦ જાન્યુઆરી ૨૦૨૨ સુધી કાર્યરત હેલ્પલાઇનનો માટે નીચે આપેલ લિંક કિલક કરવા વિનંતી છે. https://bit.ly/karunaabhiyan   તથા https://youtu.be/StQZemGyzvc

Related posts

દાનહ સમાજ કલ્‍યાણ વિભાગ અને મહિલા તથા બાળ વિકાસ વિભાગ દ્વારા ‘‘આંતરરાષ્‍ટ્રીય મહિલા દિવસ”ની કરાયેલી ઉજવણી

vartmanpravah

સેલવાસમાં દમણગંગા નદીમાં ન્‍હાવા ગયેલા બે યુવાનોમાંથી એક યુવાન તણાયો

vartmanpravah

વાપીથી શિવમ ગુમ થયો છે

vartmanpravah

વલસાડ જિલ્લામાં કોંગ્રેસના કાર્યકર્તાઓને માર્ગદર્શન પૂરું પાડવા બે દિવસ ચાલેલો બેઠકનો દોર

vartmanpravah

ચીખલીના ખૂંધમાં કલરની દુકાનમાં આગ લાગી

vartmanpravah

દાનહ-ગુજરાત બોર્ડરનાના પીપરીયા પુલ નજીકથી અજાણ્‍યા યુવાનની લાશ મળી

vartmanpravah

Leave a Comment