(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) સેલવાસ, તા.21 :સેલવાસના આમલી વિસ્તારમાં આવેલ શ્રી ઈચ્છાપૂર્તિ દત્તધામ મંદિરમાં પરમ પૂજ્ય શ્રી રંગ અવધૂત મહારાજની 126મી જન્મ જયંતિ પર્વની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે સવારેઅભિષેક, પૂજન, શણગાર, આરતી ત્યારબાદ બપોરે પૂજ્યશ્રી મહારાજનું રાજોપચાર પૂજન અને સાંજે પૂજ્યશ્રી મહારાજના જન્મોત્સવની સંધ્યા આરતી બાદ મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મોટી સંખ્યામાં શ્રી રંગ અવધૂત પરિવારના ભાવિક ભક્તો ઉપસ્થિત રહ્યા હતા અને આરતી તથા મહાપ્રસાદનો લાભ લીધો હતો.