Vartman Pravah
Breaking Newsગુજરાતવાપી

વાપી શહેર કોંગ્રેસ કોરોના મૃતકોને પ0 હજાર નહી પણ 4 લાખ વળતર માટે રેલી કાઢી આવેદન આપ્‍યું

ધારાસભ્‍યો, જિલ્લા પદાધિકારીઓ અને કાર્યકારો રેલીમાં જોડાયા

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.11
કોરોનામાં મૃતક થયેલા પરિવારને સરકાર દ્વારા પ0 હજારની સહાય આપવામાં આવી રહી છે. જેનો કોંગ્રેસ દ્વારા સમગ્ર રાજ્‍યમાં વિરોધ કરવામાં આવી રહ્યો છે. તે અંતર્ગત વાપી શહેર કોંગ્રેસ દ્વારા રેલી કાઢીને મામલતદારને આવેદનપત્ર પાઠવી કોરોના મૃતકો વળતર પ0હજારની નહી પણ ચાર લાખ આપે એવી માંગણી કરવામાં આવી હતી.
કોરોનાની બીજી લહેરમાં હજારો લોકો મોતને ભેટયા હતા. તેઓના પરિવારને સરકાર પ0 હજારની સહાય આપી રહી છે. જેનો કોંગ્રેસ દ્વારા જોરદાર વિરોધ કરીને વળતર 4 લાખ આપવાનીમાં આવે એ માટે વાપી શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા રેલી કાઢી મામલતદાર કચેરીમાં આવેદનપત્ર આપવામાં આવ્‍યું હતું. રેલીમાં જિલ્લા પ્રમુખ શ્રી દિનેશભાઈ પટેલ, પ્રભારી એમ.એબ.એ પુનાજી ગામીત, ચીખલી ધારાસભ્‍ય શ્રી અનંત પટેલ, શહેર પ્રમુખ શ્રી નિમેશ વશી અને પાલિકા વિરોધપક્ષના નેતા ખંડુભાઈ અને કાર્યકરો જોડાયા હતા.

Related posts

સરકારી કચેરી પરિસર અને તેની 200 મીટર ત્રિજ્‍યા વિસ્‍તારમાં ધરણાં-ઉપવાસ કરવા પર પ્રતિબંધ

vartmanpravah

વલસાડ જિ.પં. પ્રમુખ તરીકે મનહરભાઈ પટેલ અને ઉપપ્રમુખ તરીકે બ્રિજનાબેન પટેલની વરણી

vartmanpravah

નવસારી ખાતે ઉજ્જવલ ભારત, ઉજ્જવળ ભવિષ્ય અંતર્ગત વીજ મહોત્સવ @2047  યોજાયો

vartmanpravah

સમગ્ર દમણ રામમય બન્‍યુ : ભગવાન રામની શોભાયાત્રામાં ઉમટેલો માનવ મહેરામણ: ઠેર ઠેર ભગવાન રામની શોભાયાત્રાનું કરાયેલું સન્‍માન : રામરાજ્‍યના જયઘોષની આહલેખ

vartmanpravah

વલસાડના સેવા મિત્ર મંડળ દ્વારા ૨૧૦૦૦ નોટબુકનું નિ:શુલ્ક વિતરણ, ૪૫૦૦ બાળકોને લાભ મળ્યો

vartmanpravah

ઉમરગામ નવી જીઆઈડીસીમાંથી ગુટખાનો જથ્‍થો ઝડપાયો : ગુટખા સહિત 3 વાહનો મળી રૂપિયા એક કરોડનો મુદ્દામાલ જપ્ત : ચાર આરોપીની કરેલી ધરપકડ

vartmanpravah

Leave a Comment