October 14, 2025
Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદેશવલસાડવાપી

નવતર પ્રયોગ : વલસાડ મોગરાવાડી ગરનાળાની પગદંડીનું કામ વિરોધ પક્ષ નેતાએ લોકફાળો ઉઘરાવી શરૂ કર્યું

ચોમાસામાં એક, બે ફૂટ પાણી નાળામાં ભરાઈ જતા અવર-જવર મુશ્‍કેલ બનતી

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.03
વલસાડ નગરપાલિકાનો વહિવટ સાવ ખાડે જઈ ચૂકેલાના અનેક ઉદાહરણો શહેરમાં જોવા મળી રહ્યા છે. સફાઈ, આરોગ્‍ય, લોકસુવિધાના કામો પાલિકા દ્વારા નજરઅંદાજ કરવામાં આવી રહ્યા છે ત્‍યારે પાલિકા વિરોધપક્ષના નેતા અને એક સભ્‍યએ મોગરાવાડી ગરનાળામાં વરસાદી પાણી ભરાઈ જાય તો અવર-જવરમાં ઉભી થતી મુશ્‍કેલી દૂર કરવા માટે લોકફાળાથી આજે બુધવારે નાળામાં પગદંડી બનાવાની કામગીરી શરૂ કરીને પાલિકાને તમાચો માર્યો જેવી સ્‍થિતિ સર્જાઈ હતી.
વલસાડ મોગરાવાડીનું રેલનાળું વલસાડની હાર્ટલાઈન સમાન છે. નાળા બનાવ્‍યા બાદ સમયે સમયે ઊંડું થતું ગયેલું. ચોમાસામાં એકથી બે ફુટ પાણી ભરાઈ જાય છે. તેથી સામાન્‍ય લોકોને અવર-જવર કરવા માટે પાણીમાં ચાલવું પડે છે. પાલિકામાં અનેકવાર નાળામાંલોકોને ચાલવા પગદંડી બનાવાની માંગણી ઉઠી છે. વિરોધ પક્ષે વારંવાર રજૂઆત કરી પણ પગદંડી નહી બનતા પાલિકાના વિરોધપક્ષના નેતા ગીરીશભાઈ દેસાઈ અને સભ્‍ય સંજયભાઈએ લોકફાળો શરૂ કર્યો. સિમેન્‍ટ, પ્‍લેવર બ્‍લોક, મજુરી માટે લોકફાળો લીધો, કોઈએ દાન પણ કર્યું. અંતે આજે લોકફાળાથી પગદંડી બનાવાની કામગીરી શરૂ થઈ હતી. પાલિકા અને શહેર માટે આ એવો નવતર પ્રયોગ હતો કે પાલિકા પાસે કોઈ જવાબ નહોતો.

Related posts

સલવાવની શ્રીમતી ભાવનાબેન નાનુભાઈ બાંભરોલીયા સ્‍વામિનારાયણ ફાર્મસી કોલેજમાં આંતરરાષ્‍ટ્રીય ગેસ્‍ટ લેક્‍ચર યોજાયો

vartmanpravah

દાનહમાં શરૂ થઈ શૈક્ષણિક ક્રાંતિઃ આદિવાસી બાળકોના ડોક્ટર ઍન્જિનિયર બનવાના સપના સાકાર

vartmanpravah

ધગડમાળના ખાડાએ સોનવાડાના યુવાનનો લીધો ભોગ: પિતાની છત્રછાયા ગુમાવતી બે માસુમ બાળકીઓ

vartmanpravah

જિલ્લા પ્રભારી મંત્રી કનુભાઈ દેસાઈના અધ્‍યક્ષસ્‍થાને જિલ્લા આયોજન મંડળની બેઠક યોજાઈ

vartmanpravah

આદિવાસી એકતા પરિષદ દ્વારા દાનહ ફોરેસ્‍ટ વિભાગ દ્વારા આદિવાસી સમુદાયને હેરાન કરવાના મુદ્દે કલેક્‍ટરને કરાયેલી રજૂઆત

vartmanpravah

કવાલ ગામે ગ્રામ પંચાયત તેમજ આંગણવાડીનું મકાન બનાવાશે

vartmanpravah

Leave a Comment