Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદેશવલસાડવાપી

નવતર પ્રયોગ : વલસાડ મોગરાવાડી ગરનાળાની પગદંડીનું કામ વિરોધ પક્ષ નેતાએ લોકફાળો ઉઘરાવી શરૂ કર્યું

ચોમાસામાં એક, બે ફૂટ પાણી નાળામાં ભરાઈ જતા અવર-જવર મુશ્‍કેલ બનતી

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.03
વલસાડ નગરપાલિકાનો વહિવટ સાવ ખાડે જઈ ચૂકેલાના અનેક ઉદાહરણો શહેરમાં જોવા મળી રહ્યા છે. સફાઈ, આરોગ્‍ય, લોકસુવિધાના કામો પાલિકા દ્વારા નજરઅંદાજ કરવામાં આવી રહ્યા છે ત્‍યારે પાલિકા વિરોધપક્ષના નેતા અને એક સભ્‍યએ મોગરાવાડી ગરનાળામાં વરસાદી પાણી ભરાઈ જાય તો અવર-જવરમાં ઉભી થતી મુશ્‍કેલી દૂર કરવા માટે લોકફાળાથી આજે બુધવારે નાળામાં પગદંડી બનાવાની કામગીરી શરૂ કરીને પાલિકાને તમાચો માર્યો જેવી સ્‍થિતિ સર્જાઈ હતી.
વલસાડ મોગરાવાડીનું રેલનાળું વલસાડની હાર્ટલાઈન સમાન છે. નાળા બનાવ્‍યા બાદ સમયે સમયે ઊંડું થતું ગયેલું. ચોમાસામાં એકથી બે ફુટ પાણી ભરાઈ જાય છે. તેથી સામાન્‍ય લોકોને અવર-જવર કરવા માટે પાણીમાં ચાલવું પડે છે. પાલિકામાં અનેકવાર નાળામાંલોકોને ચાલવા પગદંડી બનાવાની માંગણી ઉઠી છે. વિરોધ પક્ષે વારંવાર રજૂઆત કરી પણ પગદંડી નહી બનતા પાલિકાના વિરોધપક્ષના નેતા ગીરીશભાઈ દેસાઈ અને સભ્‍ય સંજયભાઈએ લોકફાળો શરૂ કર્યો. સિમેન્‍ટ, પ્‍લેવર બ્‍લોક, મજુરી માટે લોકફાળો લીધો, કોઈએ દાન પણ કર્યું. અંતે આજે લોકફાળાથી પગદંડી બનાવાની કામગીરી શરૂ થઈ હતી. પાલિકા અને શહેર માટે આ એવો નવતર પ્રયોગ હતો કે પાલિકા પાસે કોઈ જવાબ નહોતો.

Related posts

ચીખલી તાલુકા સેવા સદનમાં આધારકાર્ડ-પાનકાર્ડ લિંક અને સુધારો-વધારો કરવા માટે અરજદારોની લાગેલી કતારો

vartmanpravah

આજે દીવ ન.પા.ની ચૂંટણીનું પરિણામઃ વિજય માટે એક માત્ર ભાજપમાં ઉત્‍સાહ

vartmanpravah

સેલવાસ કલા કેન્‍દ્ર ખાતે એસ્‍પિરેશનલ બ્‍લોક પ્રોગ્રામ માટે બ્‍લોક ડેવલોપમેન્‍ટ સ્‍ટ્રેટેજીની તૈયારી હેઠળ ચિંતન શિબિર યોજાઈ

vartmanpravah

મહામહિમ રાષ્‍ટ્રપતિનું દમણ આગમનઃ પ્રદેશ માટે બન્‍યા જીવનભરના સંભારણાં

vartmanpravah

ગુજરાત-મહારાષ્‍ટ્ર સરહદ ઉપર માહ્યાવંશી વિકાસ મંચ દ્વારા સમાજના અતિથિ ગૃહના નિર્માણનો આરંભ

vartmanpravah

કપરાડાના હુડા ગામે ઘાટ ચઢતા ટ્રક પલટી મારી જતા ક્‍લિનરનું ઘટના સ્‍થળે મોત

vartmanpravah

Leave a Comment