Vartman Pravah
Other

દાનહ નરોલી મંડળના અધ્‍યક્ષ યોગેશસિંહ સોલંકીના નેતૃત્‍વમાં નરોલી અને સામરવરણી ગ્રા.પં.ના સરપંચો તથા પ્રતિનિધિ મંડળે પ્રશાસકશ્રીની લીધેલી શુભેચ્‍છા મુલાકાત

ગુજરાત અને મહારાષ્‍ટ્રની તર્જ ઉપર આવકના દાખલાની સમયસીમા ત્રણ વર્ષ સુધી માન્‍ય કરવા રજૂઆત

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.13
આજે દાદરા નગર હવેલી જિલ્લાના નરોલી મંડળના ભાજપ પ્રમુખ શ્રી યોગેશસિંહ સોલંકીના નેતૃત્‍વમાં નરોલી ગ્રામ પંચાયતના સરપંચ શ્રી ધર્મેશભાઈ પટેલ, ભાજપ પ્રદેશ મહિલા મોર્ચાના ઉપ પ્રમુખ શ્રીમતી જુલીબેન સોલંકી અને ભાજપ એસ.ટી. મોર્ચાના ઉપ પ્રમુખ શ્રી હરેન્‍દ્રભાઈ પટેલે આજે સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલની શુભેચ્‍છા મુલાકાત લીધી હતી. તેમની સાથે સામરવરણી ગ્રામ પંચાયતના સરપંચ શ્રીમતી કૃતિકાબેન અજયભાઈ બારાત, જિલ્લા પંચાયત સભ્‍ય શ્રી ભગુભાઈ જી.પટેલ, પંચાયત સભ્‍ય શ્રી હિતેશભાઈ ચંદુભાઈ પટેલ, શ્રીમતી પારુબેન નરેશભાઈ પટેલ તથા શ્રીમતી રિનાબેન નવિનભાઈ મોહનકર જોડાયા હતા.
આ પ્રસંગે પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલ સમક્ષ પડોશી રાજ્‍ય ગુજરાત અને મહારાષ્‍ટ્રની તર્જ ઉપર આવકનાપ્રમાણપત્રોની કાયદેસરતા ત્રણ વર્ષની કરવા રજૂઆત કરી હતી. જેના કારણે પ્રદેશના વિદ્યાર્થીઓને મોટી રાહત થઈ શકશે.
સંઘપ્રદેશના પ્રશાસકશ્રી પ્રફુલભાઈ પટેલે ભાજપ અને ગ્રામ પંચાયતોના પ્રતિનિધિ મંડળને આ દિશામાં ઘટતું કરવા આશ્વાસન પણ આપ્‍યું હતું.

Related posts

દમણઃ કડૈયા ગ્રુપ ગ્રા.પં. ખાતે ‘વિકસિત ભારત સંકલ્‍પ યાત્રા’નું કરાયું શાનદાર સ્‍વાગત

vartmanpravah

વાપી, વલસાડ અને સેલવાસમાં બિલ્‍ડીંગ વ્‍યવસાયમાં અગ્રેસર ગણાતા પ્રમુખ ગ્રુપના ડાયરેક્‍ટર દેવશીભાઈ લક્ષ્મણભાઈ ભાટુનું જૂનાગઢ ખાતે આકસ્‍મિક નિધન

vartmanpravah

વલસાડના સરદાર પટેલ સ્‍ટેડિયમ ગ્રાઉન્‍ડ ખાતે રમાયેલી અંડર-23 કર્નલ સી.કે. નાયડુ ટ્રોફીમાં ગુજરાત તરફથી રમતા દમણના સરલ પ્રજાપતિએ જમ્‍મુકાશ્‍મીરની ટીમ સામે કરેલું ભવ્‍ય પ્રદર્શનઃ ગુજરાતનો 8 વિકેટથી વિજય

vartmanpravah

દમણ અને દીવ લોકસભા બેઠકઃ 1987થી 2024 લોકસભાની દમણ અને દીવ બેઠક માટે 1989માં યોજાયેલ સામાન્‍ય ચૂંટણીમાં દેવજીભાઈ ટંડેલે અપક્ષ તરીકે બાજી મારી હતી

vartmanpravah

દાનહ ભારત સ્‍કાઉટ ગાઈડ દ્વારા આયોજીત 5 દિવસીય સમર એડવેન્‍ચર કેમ્‍પનું મનાલી ખાતે સમાપન

vartmanpravah

અષાઢી બીજના દિવસે સમગ્ર દેશ સહિત સંઘપ્રદેશમાં પણ જય જગન્નાથનો ગુંજેલો નાદ : દાદરા નગર હવેલીના સેલવાસમાં અને દમણમાં ભગવાન જગન્નાથની નિકળેલી ભવ્‍ય રથયાત્રા

vartmanpravah

Leave a Comment