March 3, 2026
Vartman Pravah
Other

દાનહ નરોલી મંડળના અધ્‍યક્ષ યોગેશસિંહ સોલંકીના નેતૃત્‍વમાં નરોલી અને સામરવરણી ગ્રા.પં.ના સરપંચો તથા પ્રતિનિધિ મંડળે પ્રશાસકશ્રીની લીધેલી શુભેચ્‍છા મુલાકાત

ગુજરાત અને મહારાષ્‍ટ્રની તર્જ ઉપર આવકના દાખલાની સમયસીમા ત્રણ વર્ષ સુધી માન્‍ય કરવા રજૂઆત

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.13
આજે દાદરા નગર હવેલી જિલ્લાના નરોલી મંડળના ભાજપ પ્રમુખ શ્રી યોગેશસિંહ સોલંકીના નેતૃત્‍વમાં નરોલી ગ્રામ પંચાયતના સરપંચ શ્રી ધર્મેશભાઈ પટેલ, ભાજપ પ્રદેશ મહિલા મોર્ચાના ઉપ પ્રમુખ શ્રીમતી જુલીબેન સોલંકી અને ભાજપ એસ.ટી. મોર્ચાના ઉપ પ્રમુખ શ્રી હરેન્‍દ્રભાઈ પટેલે આજે સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલની શુભેચ્‍છા મુલાકાત લીધી હતી. તેમની સાથે સામરવરણી ગ્રામ પંચાયતના સરપંચ શ્રીમતી કૃતિકાબેન અજયભાઈ બારાત, જિલ્લા પંચાયત સભ્‍ય શ્રી ભગુભાઈ જી.પટેલ, પંચાયત સભ્‍ય શ્રી હિતેશભાઈ ચંદુભાઈ પટેલ, શ્રીમતી પારુબેન નરેશભાઈ પટેલ તથા શ્રીમતી રિનાબેન નવિનભાઈ મોહનકર જોડાયા હતા.
આ પ્રસંગે પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલ સમક્ષ પડોશી રાજ્‍ય ગુજરાત અને મહારાષ્‍ટ્રની તર્જ ઉપર આવકનાપ્રમાણપત્રોની કાયદેસરતા ત્રણ વર્ષની કરવા રજૂઆત કરી હતી. જેના કારણે પ્રદેશના વિદ્યાર્થીઓને મોટી રાહત થઈ શકશે.
સંઘપ્રદેશના પ્રશાસકશ્રી પ્રફુલભાઈ પટેલે ભાજપ અને ગ્રામ પંચાયતોના પ્રતિનિધિ મંડળને આ દિશામાં ઘટતું કરવા આશ્વાસન પણ આપ્‍યું હતું.

Related posts

જમીન દલાલો અને ભૂ-માફિયાઓ દ્વારા દાદરા નગર હવેલીના ગરીબ આદિવાસીઓના લેન્‍ડલેસ પ્‍લોટો પડાવી લેવા રચવામાં આવેલ કૌભાંડની તટસ્‍થ તપાસની ઉઠેલી ઉગ્ર માંગ

vartmanpravah

દાનહ અને દમણ-દીવની લોકસભા ચૂંટણીમાં કોઈપણ પ્રકારની ગરબડ દેખાય કે મતદારોને પ્રભાવિત કરવાની ચેષ્‍ટા થાય તો સી-વિજીલ એપ ઉપર ફરિયાદ કરી પોતાની નિષ્‍પક્ષ ફરજ બજાવવા ચૂંટણી પંચનું આહ્‌વાન

vartmanpravah

સેલવાસ-નરોલી રોડ પર અથાલ નજીક ઈકો કારને નડેલો અકસ્‍માત

vartmanpravah

સેલવાસ ખાતે ‘વિકસિત ભારત, મોદીની ગેરંટી’ અંતર્ગત વિદ્યાર્થીઓને લેપટોપ-સાયકલ વિતરણનો સમારંભ યોજાયો

vartmanpravah

દાનહઃ પ્રયોશા પ્રતિષ્ઠાન દ્વારા ધોરણ-10 બાદ પછી શું? સંદર્ભે માર્ગદર્શન સેમિનાર યોજાશે

vartmanpravah

કેન્‍દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવમાં રાસાયણિક આપત્તિ અને સમુદ્ર કિનારાની સફાઈ બાબતે મોકડ્રીલ યોજાઈ

vartmanpravah

Leave a Comment